SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોહનલાલ અર્ધશતા કે આ સિદ્ધિચન્દ્રગણિએ પણ પૃ૦ ૧૩ માં આ જ પ્રમાણે અર્થ કર્યો છે. એમણે ““ - હરિ ચ”િ એમ કહ્યું છે. હર્ષકીર્તિસૂરિએ “મંગલ એટલે દુરિતેનું ઉપશમન અને કલ્યાણું એટલે નિગીપણું અથવા સંપત્તિને ઉત્કર્ષ એમ પૃ. ૧૫ માં કહ્યું છે. આમ એમણે કલ્યાણને એક નો અર્થ દર્શાવ્યો છે. ઉવસગવારંપાર્સ'ના ત્રણ અર્થ અને “પાસ”ને પૃથ> ગણતાં એના બે અર એમ એકંદર પાંચ અર્થો, “કમ્મઘણુમુક્ત' ના બે અર્થ, “વિસહરવિસનિન્નાસં” ના ચાર અર્થો અને “મંગલકલ્લાણઆવાસં” ના બે અર્થો એ બધાને સમગ્રપણે–સંયોજનની દષ્ટિએ વિચાર કરતાં ૫૪ ૨ ૪૪૪૨ =૮૦ ભિન્ન ભિન્ન અર્થ થાય. એ તમામ અર્થ પૂજા અર્થાત્ પાશ્વનાથના વિશેષણરૂપ છે. એવા વિશેષણથી વિભૂષિત પાર્શ્વનાથ)ને હું વંદન કરું છું એમ પહેલી ગાથાના અંર્થનું વિવિધ્ય છે. બીજી ગાથાની અર્થવિચારણુ–પાશ્વદેવગણિએ બીજી ગાથાને નીચે મુજબ અર્થ કર્યો છે – જે મનુષ્ય વિષધરફુલિંગ' મંત્રને કંઠમાં સર્વદા ધારણ કરે છે તેનાં ગ્રહે, રેગે, મારી અને દુષ્ટ વરે વિનાશ પામે છે. આમ કહી રહે એટલે સૂર્ય વગેરે ૮૮ હેની પીડા, રેગો એટલે વાતમય, પિત્તમય અને કફમય ઈત્યાદિ (વ્યાધિઓ), મારિ એટલે શુદ્ર યંત્ર, મંત્ર અને ગિનીકૃત (પીડા), અને દુષ્ટ જવર એટલે દાહ-જવર, વાત-જવર, પિત્ત-જવર, વિષમ-જ્વર, નિત્ય-જવર, વેલા-જવર અને મુહુર્ત-જવર વગેરે એવું સ્પષ્ટીકરણ કર્યું છે. વિષધર–કુલિંગ' મંત્રના ઉપલક્ષણથી “પંચ-નમસ્કાર ચક્ર –આઠ આરાનું આઠ વલયવાળું ચક્ર સમજવું એમ આ ગણિએ કહ્યું છે. ' અથક૫તા (પૃ. ૧૫) માં બીજી ગાથાને ઉપર મુજબ અર્થ કરાયો છે. વિશેષમાં એમાં મંત્રના ત્રણ અર્થ અને “માણુઓ” ના મનુષ્ય અને માંત્રિક એમ બે અર્થ કર્યા છે. આ ઉપરાંત પ્રસ્તુત મંત્ર એટલે ભગવાનના નામથી ગર્ભિત ૧૮ અક્ષરવાળે, શરૂઆતમાં ત્રિલેય, લક્ષમી અને અહંતના બીજ વડે અને અંતમાં તત્ત્વના અને પ્રણિપાતના બીજ વડે અઢાવીસ (૨૮) અક્ષરવાળે મંત્ર એમ કહ્યું છે. ૨૫. આને અર્થ દર્શાવતી વેળા પાWદેવગણિએ તીર્થકરના કેટલાક અતિશય અને સમવસરણ વિષે સંક્ષેપમાં કથન કર્યું છે. ૨૬. મન મનન્નાનાન્મિત્રમ્ વા સમાનાર્થે વા'' ' અર્થાત મનના રક્ષણના યોગથી, મંત્રણાથી તેમજ ગુપ્ત ભાષણથી મંત્ર. એમ અર્થકલ્પલતા (પૃ. ૧૫) માં ઉલ્લેખ છે. ૨૭. હર્ષકીર્તિસૂરિએ માંત્રિકે એટલે પાશ્વનાથના માંત્રિકે એમ કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy