________________
ભૂગર્ભાનાં ભાગ્ય ઉઘડે છે
૪૩
સ્થડિલ જવાના વિચાર મૂકી એ રેતટેકરીની નજદીક ગયા. સરતી રેતીને એ જોઇ જ રહ્યા. એ કશુંક જોઈને નક્કી કરી રહ્યા હતા, પણ મન કબૂલ નહેતુ કરતું.
એમની નજરમાં એ રેતટેકરીમાં જૈનસસ્કૃતિનું મહામૂલું પ્રતીક દેખાતું હતું. એ વીતરાગત્વની જયગાથા ગાતા શિખરનેા સુવર્ણ કળશ જોઇ રહ્યા હતા. નજર ઢગે। તે નથી દેતી ને? એમણે દાંડા હાથમાં પકડી તેના આગળના ભાગને એ રેતટેકરીમાં ખાસ્યા.
અને આશ્ચય ! એક વેંત જેટલા દાંડા હાથમાં બાકી રહેતાં એ કશાકને અથડાયા. ત્યાંથી તે આગળ ન જ ગર્ચા. નક્કી ! આ રેતટેકરી જ માત્ર નથી ત્યાં જરૂર કાઇ ઇતિહાસ દટાયા છે. ખરેજ એ રેતી જ રેતી નથી ત્યાં તા ઇતિહાસની કાઇ અમર યાદ છૂપાયી છે.
અને તેમનુ હૈયુ. તે જોર જોરથી કહી રહ્યું હતું: ‘અહીં એક જિનાલય છે, વીતરાગનું મદિર છે. અહીં તે. ’ હૈયાના ધબકારાને તેમણે સાચા કરવા એ રેતટેકરી ખસેડવા સંઘમાં વાત કરી.
અને એ વાતે કામ શરુ કર્યું. રતટેકરી પાતળી બની ગઇ. ધીમે ધીમે તે। રેત બધી જ સાફ થઈ ગઈ. અને જ્યાં ગઇ કાલે એકમાત્ર રેતટેકરી હતી, ત્યાં તે એક ભવ્ય જિનાલય જણાઇ આવ્યું. કાણુ જાણે કેટલાય વરસેથી એ ભૂગર્ભવાસમાં હશે ? મુનિશ્રીએ તેના જીર્ણોદ્ધાર માટે હાકલ કરી. અને હાકલ વધુ જોરદાર બને તે પહેલાં તે તેમના એક જ અવાજે જોધપુર તથા લેાધીના સંઘે એ પુણ્યકામ ઉપાડી લીધું.
કહેવાય છે કે કેટલાક કામ તે અમુક વ્યક્તિની રાહ જોઈને જ બેઠા હેાય છે. એ વ્યક્તિ આવે, એના હાથના એ કામને સ્પર્શી થાય કે નજર પડે કે તરત જ એ કામ ખની જાય. અટવાયેલુ ને થંભેલું કામ પણ પાર પડી જાય. તે શું એસિયાનું એ દટાયેલુ દેરાસર મુનિશ્રીની જ વાટ જોતુ હતું ? હા. ઇતિહાસ તે। કઇક એવું જ કહે છે. કારણ મુનિશ્રીના ત્યાં પગલા પડ્યા પછી એ તીર્થભૂમિની જાહેાજલાલી ખૂબ જ વધી ગઈ.
એજ અરસામાં એક બીજો પણ મહત્ત્વના પ્રસંગ બની ગયા.
એક મુમુક્ષુ ગુરુની શેાધમાં હતા. આમ તે ગુરુ તેને ઘણા મળતા હતા, પણ તેનું મન નહેાતું માનતું. એ તે એવા ગુરુની શોધમાં હતા કે જે તેના હૈયાને સમજી શકે. તેના જીવનને ઉર્ધ્વગામી બનાવી શકે. આ માટે તેણે ઘણાના સાથ કર્યાં, ઘણાનેા પરિચય પણ કર્યા, દિવસે અને મહિનાઓ અનેકની સાથે એ રહ્યા. પણ જે ભૂખ માટે વરસેાથી અંતર તડપતુ હતું, તે ભૂખ તેની કયાંય ન શમી, કચાંય ન શમી.
૧. શ્રી મણીલાલ ન્યાલચંદ આ પ્રસંગની નેંધ લેતાં પેાતાનાં ‘ પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ’ નામક પુસ્તકમાં લખે છે. :—
“ આસિયા દેરાસરના જીર્ણોદ્ધારનું કાર્ય સ. ૧૯૩૬ માં મુનિ મહારાજ શ્રી મેાહનલાલજીના ઉપદેશથી થયું..
પૃ. ૩૪૦
Jain Education International
39
For Personal & Private Use Only
www.jainelibrary.org