SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થ ફલતિ કાલેન, સદ્ય: સાધુસમાગમ:.” ૩૧ પ્રભાવિત બની તેમણે મુનિશ્રીની મુલાકાત માંગી. તે સમયના રાજવીઓ તેમજ હોદ્દેદાર વર્ગ ધર્મતત્ત્વને કેટલા વફાદાર હતું ને તે માટે કેટલો સજાગ હતું તેનું આ ઉજળું ઉદાહરણ છે. એક દિવસ સીહીનરેશ ને ચરિત્રનાયકની મુલાકાત થાય છે. અને પહેલી જ મુલાકાતે શ્રી નરેશ મુનિશ્રીની જ્ઞાનપ્રતિભાથી એટલા બધા પ્રભાવિત બને છે કે તે જ તેમના દર્શનાર્થે જાય છે. ( નિઃસ્પૃહી મુનિઓને શું અર્પણ કરી અનૃણ થઈ શકાય ? આ પ્રશ્ન સીહીનરેશને ઘણીવાર મુંઝવી જતો. આપવા માટે તે નરેશ પાસે અઢળક હતું, પણ મુનિશ્રીને ખપે નહિ તે એ શું કામનું? છેવટે ગોચરી માટે શ્રી નરેશે વિનંતિ કરી. જૈનોને સુગમતાથી પ્રાપ્ત થતું આ પુણ્ય પ્રસંગ નરેશ જેવા નરેશ માટે અશક્ય નહતે પરંતુ દુર્લભ તે જરૂર હતી. નરેશને મન આ એક મહામૂલો પ્રસંગ હતો, આથી મુનિશ્રીને ગોચરી વહોરાવતાં તેના આનંદની અવધિ નહતી. પણ મુનિશ્રી સીધી રીતે ગોચરી કેમ વહેરી લે? કારણ મુનિશ્રીને ગોચરી એ જ અંતિમ નથી હોતું, અને ચરિત્રનાયક તે દીર્ઘદ્રષ્ટા હતા. અને એવા દ્રષ્ટાઓની દરેકે દરેક નાની મોટી પ્રવૃત્તિ લક્ષ્યમૂલક હોય છે. | મુનિએ નરેશને કીધું –“રાનન્ નો મ ઘવાર્થ સાવ મુક્યું તેને જે સિચે મુસ્થિત हुआ है वह तो आप के सामने खडे हुओ गृहस्थ लोग भी आसानी से दे सकते हैं। और लाभ पा लेते हैं । आप को चाहिये कि अच्छी से अच्छी चीज हमें दे । और अच्छे से કચ્છી ઢામ ઝુકાવે ! રાજને મુનિશ્રીની વાતમાં કંઈ સ્પષ્ટ સમજ ન પડી. મુનિશ્રી તે સમજી ગયા. તરત જ તેમણે ફોડ પાડતાં કહ્યું – “કો વીર હોજ સે નણિ સતે ચરિ ઐસી વીગ મ સ ના તી ટીવ રા ...” . એના જેવું રૂડું બીજું શું ? આપ જે ફરમાવે તે કરવા હું તૈયાર છું. આપની આજ્ઞા ઉઠાવતાં હું મારી જાતને ધન્ય સમજીશ.” નરેશે વિનમ્રભાવે જવાબ આપે. મુનિશ્રીએ રાજાની ગ્યતા અને ભાવના જોઈ જે વસ્તુની માંગણી કરી એ તેમની દિર્ધદષ્ટિને અભૂતપૂર્વ દાખલ છે. " राजन् ! एसी अकमात्र चीज है । जोवदया का पालन । आप राज्य में औसा फरमान करें कि इस राज्य में हिंसा करना मना है।" અને મહારાજા કેસરીસિંહજીએ રાજ્યભરમાં શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા સુદ ૧૧ સુધી અહિંસાવૃત પળાશે એવી ખાત્રી આપી. મોગલવંશી સમ્રાટ અકબર જેવા પણ જે અહિંસાને ટેકે આપે તે એક ક્ષત્રિય ફરજંદ એટલી પણ ઉદારતા ન બતાવે એમ બને જ કેમ? મુનિશ્રીની ભાવનાને શ્રી નરેશે આજ્ઞા સમજી માથે ચડાવી ને તેનું યંગ્ય પાલન પણ કરાવ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy