SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ પં. નાનસન્દૂ પૂજ્ય ગુરૂદેવ કાર્યવ મહારાજ જન્મ તાબ્દિ સ્મૃતિગ્રંથ તો જોઈ શકીએ કે ન સહન કરી શકીએ અને ન મૌન નિષ્ક્રિય ઊભા રહી શકીએ. આવી વિષમ પરિસ્થિતિમાં સમયસૂચકતા વાપરી તે બાળકને હાથથી પકડી રસ્તામાંથી દૂર ખેંચી લઉં અને ખચી જાય તેવે પ્રયત્ન કરુ. આવે નીડરતાભર્યા જવાબ સાંભળી તે મારવાડી ભાઇએ ફરી પ્રશ્ન કર્યા કે “હાથ ઝાલતાં પહેલાં તે છોકરી છે કે છોકરી તે તમે જાણવા પ્રયત્ન કરો કે કેમ ? ત્યારે ગુરુદેવે કહ્યું કે વિચાર કરવાના તે અવસર નથી. માત્ર તે બનાવને જોતાં જ મારા હૃદયની કરુણાના વેગને હું કોઇ રીતે શકી શકું જ નહિ. તે બાળક હોય કે પછી બાળિકા હોય પણ પ્રથમ તેા હું તેને હાથ પકડીને દૂર ખેંચી લઉ.” એલા, તમારે શું કહેવુ છે ? કુતૂહલ દૃષ્ટિએ પૂછાએલ પ્રશ્નના કરુણાની દૃષ્ટિએ નીડરપણે આપેલ અણધાર્યો શીઘ્ર અને સચોટ જવાબથી આખી સભા મંત્રમુગ્ધ બની ગઈ. શ્રોતાએએ ગુરુદેવની જય બેલાવી હર્ષ વ્યકત કર્યો. પેલા મારવાડીભાઈ એ ચૂપચાપ વિદાય થયા ત્યારે પૂજ્ય ગુરુદેવે સ્વયંસેવકોને તેમને વળાવવા માકલ્યા અને તેઓ શાન્તિપૂર્વક સ્વસ્થાને પહોંચી ગયા. ધન્ય છે ધર્મવીર-ક્રાન્તિવીર ગુરુદેવને ! પૂ. ગુરૂદેવ શ્રી નાનચંદ્રજી મ. સા. ના વ્યકિતત્વની સુવાસ સતશિષ્યની “જીવનસરતા” ના જળ સમાજે ખેાબલે ખાખલે, ભરી પીધાં ન પીધાં ત્યાં તે સાગરમાં વહી ગયાં. તેમના સંસ્મરણા રૂપી અમૃતબંદુએ, એ યુવાન પેઢીને ચાખવા મળશે કે જેમણે એ મહાસતને કદાચ જોયા, અને સાંભળ્યા પણ નિહ હાય. પ્રભુ ચરણમાં સ્થાન પામવા પ્રભુ વિરહથી તડપતા, ભકત હૃદયમાંથી ઉદ્ભવતા, “દુર કાં પ્રભુ દોડ તું માટે રમત રમવી નથી” જેવા સ્વરચિત ભકિતપદો, દર્દ ભર્યા મધુર કંઠે ગવાતાં સાંભળવાનો લ્હાવા મળ્યા નહિ હોય, એવા પૂ. ગુરુદેવ સાથેના પરિચયના લાંબા કાળ દરમ્યાનના સંસ્મરણા માનસપટ પર ચલચિત્રની જેમ અંકિત થયેલ છે, જે રજૂ કરવાની તક મળી તેથી ધન્યતા અનુભવુ છું.... સ. ૧૯૯૮ ના વૈશાખ વદના ૬ મગળ દિવસ, સંસારપક્ષે મારા મેટા બહેન ૧૬ વર્ષની નાની વયે જ સંસાર ચૂકી ગયેલ એવા ચંચળબેન (હાલ ચંદનબાઈ મહાતિજી)ના થાન મુકામે પૂ. ગુરુદેવના વરદ હસ્તે દીક્ષાવિધિ થઈ તે સમયનું તેમનું પ્રવચન-“ભગવાન મહાવીરની તપઃપૂત વાણીના લાભ જૈન જૈનેત્તર સમાજને મળે, એ કત્તવ્યધર્મ સતસતીએએ અપનાવવા જોઈએ” હજીએ કાનમાં ગૂંજયા કરે છે, એ જ ભાવનાને કવ્યનિષ્ઠાથી પોતે આચરી અનેક જૈનેતર કુટુમ્બને, કમે જૈનત્વના આચારમાર્ગે વાળ્યાના તેઓ ચશના અધિકારી બન્યા છે. શ્રી ચીમનલાલ ભૂદરદાસ ગાંધી તેજસ્વી મુખમુદ્રા, લલાટે જ્ઞાન અને તપનું તેજ, ઊંચા ગૌર દેહ અને મુખ પર સફેદ વસ્ત્રિકાથી શાલતા એ પ્રભાવશાળી સતનું પ્રથમ દર્શન થયું વિદ્યાથી અવસ્થામાં ૧૯૩૮માં સ્થાનકવાસી જૈન બેડિંગ અમદાવાદમાં. ત્યાર પછી અનેક સ્થળે એમની વ્યાખ્યાનવાણીના તેમ જ પ્રાતઃ અને સંધ્યા સમયની પ્રાર્થનામાં ઊપસ્થિત રહેવાના લાભ મળ્યા. જીવનને યત્કિંચિત પણ સમાજને સમર્પિત કરવાની મારી ભાવનાને એમના કરુણાના જળથી સિંચન થયુ છે. ધર્મ અને વિજ્ઞાનના સમન્વય દ્વારા સમાજના પરંપરાગત ધર્માચરણમાં ક્રાન્તિકારી વિચાર પરિવર્તન લાવી ‘માનવસેવા એજ આધ્યાત્મિક કલ્યાણનો શ્રેષ્ટ આચારધર્મ છે, જેના વિના સામાયિક પ્રતિકમણ અને તપાચાર માત્રથી મુકિત અધુરી રહેશે, એવી એમની પ્રોાધના હતી. ‘સમાજ જીવશે તેજ ધ જીવશે' એ એમના મુદ્રાલેખ હતો. સમાજને પ્રતિભાવંત આચરણવાળા બનાવવા હોય તો બૌધ્ધિક શિક્ષણ સાથે ધશિક્ષણ હાવુ જોઈએ તેવા હેતુથી જ્ઞાનપરખેા સમા છાત્રાલયે અને ગ્રંથાલયા ચાલુ કરવા પ્રેરણા આપી અને જ્ઞાનોત્સુક પણ પ્રતિકૂળ પરિસ્થિતિવાળા યુવાનોને જ્ઞાનાભ્યાસ માટે અનુકૂળતાઓની તકે આપી. સ સ્મરણો વૈધવ્ય જીવનને સમજણપૂર્વક મહાવીર પ્રભુના ચરણમાં સમર્પિત કરાવી, સ્થા. જૈન સમાજને અનેક તેજસ્વી, [૧૫] www.jairnel|brary.org Jain Education International For Private Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy