SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ખુણે જ જીવન વિતાવતા હોય છે. પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ એ કર્મયોગી પુરુષ નહાતા. એ જ્ઞાનયેાગ અને ચારિત્રયોગ વચ્ચેના તખકાઓમાં પસાર થઈ રહ્યા હતા એથી એ એટલા પ્રસિધ્ધ નથી બની શકયા. છતાં પણ એમની જે મહત્તા છે એ એમના વિચાર, ભાવનાઓ, હૃદયની ઉદારતા તથા યુગને સમજવાની અને પિછાણવાની એમની વિશાળ અને વ્યાપક દૃષ્ટિને કારણે છે. એમના શિષ્યોમાં પૂ. મુનિશ્રી સંતમાલજીને રાષ્ટ્રીય સ્તર પર એક રાષ્ટ્રીય સંત તરીકે વિકસાવવામાં એમણે જે ઉદારતાપૂર્વક અનુકૂળતા કરી આપી હતી. તેમજ એમની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને આશીર્વાદ આપ્યા હતા. એ જ એમની મહા અને ઊંચાઈ પૂરવાર કરે છે. તે વખતે સાંપ્રદાયિક દૃષ્ટિના આગ્રહને કારણે જો એમના માર્ગમાં અન્તરાય ઊભા કરવામાં આવ્યા હોત તો કાં તે ગુરુશિષ્ય વચ્ચે ઘર્ષણા પેદા થાત અને કાં ા સંતબાલજી જેવા રાષ્ટ્રીય સંત ભારતને ઉપલબ્ધ ન થાત. ગાંધીયુગના જીવન્ત સન્યાસી, ત્યાગી છતાં મહાન સમાજસુધારક’ આચાર્યો યોાદાબેન પટેલ M. A. B. T. પ્રાચીન સમયના સન્યાસીએની સમાચારી સ્વાત્મ-કલ્યાણ સાધતાં સહેજે સમાજ-કલ્યાણ સધાય તેવી હતી. આવા સંન્યાસીએ કદી સમાજને ભારરૂપ થયા નથી, થતા નથી. તેઓ પોતાના ગુરુના આદેશ પ્રમાણે પોતાની મર્યાદા જાળવીને પણ યુગની સાથે ચાલવા વ્યવહારિક પ્રવૃત્તિઓમાં પરિવર્તન કરતા રહેતા. એનુ દૃષ્ટાંત પૂજ્ય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ પૂરું પાડે છે. ગાંધીયુગમાં તેઓ જીવ્યા. તેઓ ગાંધીજીના શ્રમજીવન–સ્વદેશીવ્રત, અસ્પૃશ્યતા વગેરે સમાજસુધારાના વિચારોના રંગે રંગાયા હતા. તેઓ હાથે કાંતેલ અને હાથવણાટની ખાદીના વસ્ત્રો ધારણ કરતા હતા, શ્રમથી શરીર સ્વાસ્થ્ય સુન્દર રહે છે; બહેના ફરીથી ગૃહસ્થ જીવનમાં શ્રમનું મહત્વ સમજે તે હેતુથી હાથની ઘંટીથી દળેલા લોટના રોટલા-રોટલી જ ગોચરીમાં સ્વીકારતા. દેશમાં જ બનેલી વસ્તુઓના ઉપયાગ કરવા એવા ઉપદેશ આપતા. હિન્દુ સમાજમાં રહેલ અસ્પૃશ્યતાના તે કટ્ટર વિરોધી હતા. તેઓ કહેતા કે “હિન્દુ સમાજે ગદકી કરનારને, ગદકી સાફ કરનાર કરતાં ઊંચા ગણ્યા છે, તેનુ મેલુ ઉપાડનારને અસ્પૃશ્ય કહી તિરસ્કાર્યા છે, એટલું જ નડી પણ જો તે અસ્પૃશ્ય, હિન્દુ ધર્મ છેડી મુસ્લિમ કે ક્રિશ્ચિયન અને તે તેની સાથે ખેલવા ઊડવામાં જરા ય વાંધા ન આવે અને તે અસ્પૃશ્ય મટી જાય. કેવા મૂર્ખાઈ ભર્યા વિચાર ?” તેવી જ રીતે યંત્રવાદના પણ વિરોધ કરતા. તેઓ માનતા કે લાખા શ્રમજીવીઓના પેટ પર પાટું મારી એક પૂજીપતિ, ગણ્યાગાંઠયા માણસો પાસે યંત્રથી કામ લઈ ધનવાન બને છે. અનેકાની રાજી-રોટી લૂટી તેમને બેકાર બનાવે છે. આવા અપ્રામાણિક વ્યવહાર એ હિંસાના જ એક પ્રકાર છે. જૈનધર્મ અહિંસા અને સત્ય પર જ આશ્રિત છે. તે સમાજમાં આવી. અપ્રમાણિકતા ન હોવી જોઈએ, એમ તેઓ પોતાના ઉપદેશમાં અવારનવાર કહેતાં. જૈન ધર્મના સામ્પ્રદાયિક સતાની સમાચારી ઘણી કડક હોય છે. તેને પણ મઠારીને-વ્યવહારિક બનાવી ચેાસડ ચોસઠ વર્ષ સુધી એકધારા સંયમ જેમણે શાભાન્યા તે પૂજ્ય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા ગામના વતની હતા. નાનપણથી જ તેમને અભિનય કળા અને કાવ્યનો ભારે શોખ હતો. તેમનું ગળુ અતિ મધુરું અને સંગીત કળાથી રસમસ ભરેલું રહેતુ. ઉપાશ્રયમાં વ્યાખ્યાન વાંચવા બેસે ત્યારે શરૂઆતમાં પરમાત્માની સ્તુતિ કરે અને તે એવી હલક, રાગ અને ભાવથી કરે કે શ્રોતાવગ સ્તબ્ધ અને એકાગ્ર બની જાય. વિનાદી સ્વભાવ એ એમની લાક્ષણિક પ્રકૃતિ હતી. જોઈને એમનું હૃદય કરુણાથી ભરાઈ જતું. અને તેમની પાસે ગરીબોને સહાય કરવાનું સૂચવતા. પુરતકાલયામાં તેમ જ લોકો ઊંચા સાહિત્ય તરફ અભિરુચિ કેળવે, ઢીના પ્રત્યે દયા કેળવી દવાખાના – પુસ્તકાલયમાં દાન આપી ધનનો સદુપયોગ શિક્ષણ પ્રત્યે તેમને અપાર ભાવ હતા. સાધનહીણા ગરીબેને જતા શ્રીમંત વર્ગ કોઈ સેવા માટે પૂછે, કે તરત આવા સ્ત્રીશિક્ષણ માટે ધનનો સદુપયોગ કરવાનું કહેતા. આ રીતે [૭૧] www.jainelibrary.org સંસ્મરણા Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy