SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ અને ભારતની પ્રજાના ધર્મની દષ્ટિએ રખેવાળનું પિતાનું બિરુદ સમજનારા હેત તે અંગ્રેજે કઈ પણ રીતે ભારતની લાખની જનતાને રેજી દ્વારા મળતી રેટી વગર ભૂખે ટળવળતી કદી ન કરી શકયા હોત અને જૈન-વૈષ્ણવ વગેરે ધર્મના અનુયાયીઓ પિતપોતાના ધર્મના નિયમ મુજબ કદી પણ તે વિદેશી કાપડના દલાલ ન બન્યા હોત. અને મિલે કાઢીને તે દ્વારા કાપડ બનાવવાને ઉદ્યોગ સ્થાપવાને વિચાર પણ ન કરી શકયા હોત. તાત્પર્ય એ કે જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે આપણા દેશના સાધુ-મુનિ વગેરે લેકેએ અહિંસાનું આચરણ લગભગ નેવે મૂકેલું અને તેમના અનુયાયીઓ તે બિચારા અહિંસાના આચરણ બાબત વિચાર જ કેમ કરી શકે એટલે તેઓ તે પિતપેતાના ગુરુઓને જ પગલે ચાલ્યા. તે સિવાય બીજું શું કરી શકે? અંગ્રેજોએ દેશની પ્રજાની જે તારાજી સર્જી છે તે હજુ સુધી પણ નિર્મળ તે શું થાય? પણ એ તારાજીને ભેગ બનેલ બેકાર જનતા થડી ઘણી પણ હજુ સુધી બેઠી થઈ શકેલ નથી. આપણા પૂર્વજ ત્યાગી વગે અને ગૃહસ્થ વગે એ શું કાંઈ ઓછું પાપ માથે વહોરેલ છે? ગાંધીજીએ પિતાની ચકોર નજરે દેશની ભયંકર દશા પારખી લીધી અને તેની રામબાણ દવારૂપી લેકેને ફરીથી હાથ બનાવટના કાપડ ઉદ્યોગ શરૂ કરવાની હાકલ કરી, દેશને ચારે ખૂણે ફરી ફરીને તેમણે લોકોને જગાડ્યા ત્યારે આપણે ત્યાગીવર્ગ તે સતત મોક્ષમાર્ગની અને અદ્વૈત વેદાંતની કેરી વાતે જ કરતો રહ્યો અને આજે પણ એવા જ બણગાં ચાલ્યા કરે છે. ગાંધીજીએ સ્પષ્ટ માર્ગ બતાવ્યા છતાં અહિંસાના તિલકધારી જૈન ત્યાગી સંન્યાગી વગેરેએ એ માર્ગ વિષે ઘણે જ એ છે વિચાર કરેલ હોય તેમ જણાય છે. ખરી રીતે તે આ તમામ ગુરુઓની-સમાજના દાન ઉપર નભનારા આ બધા ગુરુઓની અને દાનદાતા તેમના અનુયાયીઓની પિતતાના ધર્મની દૃષ્ટિએ પણ ચાખી ફરજ હતી કે તેઓએ બધાએ અહિંસા ધર્મના વિચારની દષ્ટિએ તે હાથે કાંતેલ સૂતરમાંથી હાથે વણેલ કાપડને જ વાપરતા થઈ જવું જરૂરી હતું, પણ ખૂબીની વાત એ છે કે લાખોની જનતાને રેજી દ્વારા રેટી મેળવી આપનારા આ માનવપષક ઉદ્યોગની હિમાયત કરવાને બદલે એ અહિંસાના ઝંડાધારીઓ એ ઉદ્યોગમાં હિંસા બતાવીને ઊલટો તેને વિરોધ કરતા રહ્યા છે. જ્યારે કાપડ બે જાતનું ઉપલબ્ધ હોય જેમાં એક જાતની બનાવટ પાછળ ઓછી હિંસા જણાતી હોય અને બીજી જાતના કાપડની બનાવટ પાછળ લાખો મનુષ્યને બેકાર બનાવી ભૂખે મારનારી ઘોર હિંસા પ્રત્યક્ષ થતી હોય ત્યારે અહિંસાધમી એ શું હિંસક કાપડ પસંદ કરશે? કે અહિંસક કાપડ પસંદ કરશે ? મને લાગે છે કે સ્વામી નાનચંદ્રજી મુનિરાજ “હિંસા ન કરું, ન કરાવું અને હિંસા કરનારને સંમતિ પણ ન આપું” એવા વ્રતધારી જ્યારે થયા હશે એટલે અહિંસાધર્મમાં દીક્ષિત થયા હશે ત્યારે તે જે જાતને કાપડ વાપરવા અંગે મુનિઓને પ્રવાહ ચાલતું હશે તેમાં જ વહેવા લાગ્યા હશે. પણ ગાંધીજીએ અહિંસાના આચરણની દૃષ્ટિએ જ્યારે લોકોની આંખ ઉઘાડી ત્યારે તો તે હળુકમી નાનચંદ્રજી સ્વામીની આંખ ઉઘડી જ ગઈ. એ તેમની ધર્મ પ્રતિ જાગૃતિનું મોટું નિશાન છે. તેઓ શુદ્ધ ખાદીના વસ્ત્રો પહેરતા થઈ ગયા. એટલું જ નહીં પણ એ અંગે અહિંસા ધર્મની સમજતી આપવા સાથે લેકેની આંખો ઉઘાડવા પ્રયત્ન કરવા લાગ્યા. એટલું જ નહીં પણ ગ્રામોદ્યોગ જેના મૂળમાં બીજા ઉદ્યોગ કરતાં ઓછી હિંસા છે તેને પણ પ્રચાર કરવા લાગ્યા. એ, એ જમાનાના મુનિ માટે વિચારકતાની સાથે આચાર પરાયણતા છે. જરૂર એક આદર્શ જ માની શકાય. જેવી રીતે વિશ્વની બાબતમાં ગાંધીજીએ જૈન દષ્ટિના અલ્પારંભને હેત ગૃહસ્થમીઓ માટે પ્રચાર અને આચારમાં મૂક તે જ દષ્ટિને લઈ શ્રી નાનચંદ્રજીસ્વામીએ ખોરાકની બાબતમાં પણ એ જ આદર્શને આગળ લંબાવ્યો એટલે કે ચક્કીના લેટની અપેક્ષાએ હાથઘંટીને લેટ અલ્પારંભી છે અને તેમાં ઘઉંના પિષક ત પણ વધારે જળવાય છે તે ગૃહસ્થાશ્રમી ચક્કીને લેટ ખાય તેના કરતાં હાથે ઘટી દળી અથવા હાથની ઘંટીને પીસેલે લેટ વાપરે તે અહિંસાની વધુ નજીક જાય છે. આ દૃષ્ટિએ શ્રી નાનચંદજી મહારાજ હાથના દળેલ લેટને મહત્ત્વ મળે તે પિતાની મુનિમર્યાદા જાળવીને સક્રિય રીતે જોતા. આમ મારે મન શ્રી નાનચંદ્રજીસ્વામીને ખાદી વગેરેના પ્રચાર દ્વારા સર્વ જનકલ્યાણની દૃષ્ટિને ઉદ્દેશ તેમની ધર્મ જાગૃતિને પૂર સૂચક હતું એ મારી માન્યતા વિશેષ દઢ થઈ એમ મને અત્યારે લાગે છે. વ્યકિતત્વ દર્શન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy