SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ = પm ગુરુદેવ કવિ પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ વ ડવિય પ. નાનચંદ્રજી મહારાજ જન્મશતાGિ ત્રણેને આ વચનામૃતે અમારા માટે આત્મસ્પશી બની ગયા. અમને ત્રણેયને ત્યારથી હૈયે વસી ગયું કે “ભલે અમે અમારાં ગુરુણીની જેમ કાયમ માટે એમની સાથે નહીં રહી શકીએ, પણ અમારા તારણહાર તે આ ગુરુદેવ જ છે.” વાત્સલ્યસાગર ગુરુદેવ અમે માત્ર જોયું નહીં બલકે અનેકવાર અનુભવ્યું કે “અમારા એ પૂજ્ય ગુરુદેવમાં જન્મદાત્રી જનેતા કરતાં ય અનેકગણું વાત્સલ્ય સભર ભર્યું છે. આવા સર્વ પ્રત્યે સમભાવી અને એકાન્ત હિન્દશી વિશ્વસંતના સત્સંગને લાભ મળ એ જીવનને એક પરમ લહાવે છે. અમે ત્રણેય દીક્ષાર્થિનીઓએ અમારી દીક્ષા ઉપર કચ્છમાં પધારવા હાર્દિક વિનંતી કરી તે કુદરતી રીતે જ તેમને બરાબર સ્પર્શી ગઈ. “દિલભર દિલ છે ને તેમણે કહ્યું- ઈચ્છા તો જરૂર થઈ જાય છે, પરંતુ તબિયત હવે એટલી ઝીંક ઝાલી શકે તેમ નથી. હું દીક્ષા ઉપર તે આવી શકતું નથી પરંતુ બહેને! તમે બરાબર યાદ રાખજો કે આ કાળે સંયમી જીવનની જવાબદારી બેવડી અને ઘણી મોટી છે. તમે અત્યારે છે તેના કરતાં પણ દીક્ષા અંગીકાર કર્યા બાદ સતત જાગૃત રહેશે અને દીક્ષા પહેલાં બન્ને પ્રકારની શિક્ષા પૂરેપૂરી લેશે. એમને એક એક શબ્દ અમારા ત્રણેયના હૃદયમાં આરપાર સોંસરે ઊતરી જતે. અમારી દીક્ષા અમારાં સરળ અને ઉદાત્ત દિલનાં શાંતમૂર્તિ પૂ. રતનબાઈ મહાસતીજી પાસે કરછમાં સં. ૨૦૦૯માં થઈ પણ અમારી આત્મ-દીક્ષા તે એ પરમપ્રતાપી ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ પાસે જ જાણે ત્યારે થઈ ચૂકી હોય એમ લાગતું હતું. ગુમૈયાને સમાગમ સંવત ૨૦૧૦માં કચ્છમાંથી અમારું લીંબડી આગમન થયું. ગુરુમૈયાને ભેટો ફરી પ્રત્યક્ષ આટલે જલ્દી અને કાયમને માટે થશે એ તે અમારી કલ્પનામાં યે ન હતું. પરંતુ ભવિતવ્યતા અને પુરુષાર્થ ઉભયપક્ષે જોર કરે છે ત્યારે કહું ઘટનાઓ મૂર્તિમંત બની જ જાય છે. જુઓ કે કયાં એક વખત વેશ્યાને ત્યાં વેચાયેલી અથવા કઠેકાણે જઈ પડનારી વસુમતી ! એમાંથી ધનાવહ શેઠને ત્યાં લાડકોડથી વિકસતી! એમાંથી વળી અકારણ કલંકિત થતી વસુમતી અને કયાં ભ૦ મહાવીરને અભિગ્રહ પૂરો કરવામાં ઉપયોગી બનતી વસુમતી ત્યાર પછી એજ ભ૦ મહાવીર તીર્થકરના ચતુર્વિધ સંઘમાં છત્રીસ હજાર સાધ્વીઓને દોરતી પ્રવર્તિની ચંદનબાળા સાધ્વી ! અને મેક્ષ તરફ દોરતી અને દોરાની એ મહાનથી યે મહાન મુકિત પામેલી મહાસતી ! પુરુષાર્થની પ્રબળતા, પ્રત્યક્ષ સદગુરુને સંગ અને શુભ ભવિતવ્યતા મળીને આવું ભગીરથ કાર્ય મૂર્તિમંત બની જાય છે. અમારી જીવનનૈયાના કુશળ સુકાની કવિવર્ય પં. નાનચંદ્રજી મહારાજશ્રી આ રીતે સંવત ૨૦૧૦ થી અમારા પણ પ્રત્યક્ષરૂપે જીવન સુકાની કાયમ માટે બની ગયા. તેમના ભૌતિક દેહવિલયને ૧૧ વર્ષ પૂરાં થઈ ચૂક્યા છે, પરંતુ ચૈતન્યદેડથી તે અમારા માટે પળેપળ હાજરાહજુર છે ! કારણ કે એમણે જ અમારું સંયમ જીવતરનું ઘડતર કર્યું છે. જીવન ઘડતરના શિલ્પી કુંભાર જેમ માટીને કાલવીને વિવિધ્યભર્યો આકાર આપે છે તેમ અમારા એ પરમપૂજ્ય ગુરુદેવે અમારા જીવનને ઘાટ આપવા માટે એકધારી રીતે કલાકના કલાક સુધી ઊંડો અભ્યાસ કરાવ્યું છે. શાસ્ત્રીય જ્ઞાન સાથે અમારું ચારિત્ર્યપૂર્ણ સંયમી જીવન કેમ પુષ્ટ બને તે એમણે આચરીને અચરાવી દીધું. એમની હિતશિક્ષાઓ અત્યારે પણ રેમેરામે રમી રહી છે. શરૂઆતમાં શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર, શ્રી ઠાણાંગ સૂત્ર, શ્રી સૂયગડાંગ સૂત્ર, શ્રી રાયપાસેણીય સૂત્ર, શ્રી ભગવતી સૂત્રને અમુક ભાગ અને અનુગદ્વાર જેવાં કઠિન સૂત્ર તેમજ બીજા સિદ્ધાંતે પિતે જાતે અથાગ શ્રમ લઈને વંચાવ્યાં, એટલું જ નહિ પણ એ સૂત્રનાં પરમ મમ અને રહસ્ય સમજાવી દીધાં. તેઓશ્રી ખાસ ભલામણ કરતાં કે સૂત્રોનું વાંચન કરતાં, કરાવતાં અને બોધતાં પહેલાં અપેક્ષાદષ્ટિ સમજવી જોઈએ કે આ સૂત્રો કયા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવે લખાયેલાં છે? મતલબ અનેકાન્તવાદ અને સ્યાદ્વાદ દષ્ટિ પ્રથમ પ્રગટ થવી જોઈએ, તો જ તમે સર્વત્ર સત્ય શોધી શકશે. આથી જ તેમણે સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, જેવા દિગંબર જૈન શાસ્ત્રો તેમજ સંસ્મરણે Jain Education International [૩૫] www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy