SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પૂઢ્ય ગુરૂદ્ધ ડવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ ગુજરાતના સંતે માંથી જ પાંચ પચમાં ત્રણ અને તે પણ મોટા-નાના સંઘના જ ત્રણ અને તેમાંય એક લીંબડી સંપ્રદાયમાંથી બે પંચ જાણીને સૈને નવાઈ સાથે ખૂબ હર્ષ થતો હતો. આ પંચની કાર્યવાહીમાં સૌથી મહત્વનો ફાળે આ૫ણું ચરિત્રનાયકે આખે હતે. એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય! બન્ને બાજુની વિગતો સાંભળી ફેંસલે અપાયેલે. જેમ પૂ. મુન્નાલાલજી મહા.ના સંતોને પ્રાયશ્ચિતે વધુ આવતાં હતાં, તેમ પૂ. જવાહરલાલજી મહા.ના સંતનેય આવતાં હતાં. આખરે તે બન્નેને એક થવાનું હતું પણ તે ન બની શકયું. જો કે કાંઈક નજીક લાવવાનું કામ તે આથી થયું જ. સંમેલનની ફલશ્રુતિ આ સંમેલનમાં ચારસો ઉપરાંત સાધુઓ અને સો ઉપરાંત સાધ્વીઓ આવી પહોંચ્યા હતા. કોન્ફરન્સના દિવસોમાં કવિ નાનાલાલે સર્વોચ્ચ ભાષણ આપેલું. શ્રી હેમચંદભાઈને પણ હાથીના હોદા પર બેસાડી બહુમાન આપ્યું. તેમનું ભાષણ પણ નેંધનીય હતું. સાધુઓ પૈકીના મોટા ભાગના સાધુઓ માઈકમાં બોલેલા. માઈક સિવાય સંભળાય એવું હતું જ નહીં. જેઓ માઈકમાં ન બોલ્યા તેમને પાછળથી વિચારવું પડયું. સાધુ સંમેલન પ્રતિનિધિઓ પૂરતું લાંબા દિવસ સુધી ચાલ્યું. પાછળથી આ કાર્યવાહી દૂર બેસીને નિહાળવાની તક પ્રતિનિધિ સિવાયના મુનિઓને પણ આપવામાં આવી હતી. મહાન સંત અમલખઋષિજી મહારાજના અજોડ અનુરાગી અને ભક્ત લાલાજીએ સંત-સતીઓની જે ભાવે અને જે ઉદારતાથી આહાર-પાણીમાં સેવા બજાવી તે ભક્તિપૂર્ણ શ્રાવકવર્ગમાં ટચસ્થાન પ્રાપ્ત કરે તેવી હતી. શાન્તિસ્થાપક તરીકેનું કામ શતા. પં. રત્નચંદ્રજી મહારાજ તથા ગણિવર ઉદયચંદ્રજી મહારાજ (પંજાબી)ને સૈપાયું હતું. સંમેલનની કાર્યવાહી નેધવાનું કાર્ય ઉપાધ્યાય આત્મારામજી મહારાજ અને હું (મુનિ સૌભાગ્યચંદ્રજી) કરતા. વક્તા તરીકે પૂ. કવિવર્ય નાનચંદ્રજી મહારાજ, પૂ. જવાહરલાલજી મહારાજ, પૂ. મદનલાલજી મહારાજ તથા ૫. ફૂલચંદજી મહારાજના પ્રવચનપીયૂષનો લાભ મળતું. છેવટે ખાસ કેઈ નિર્ણય પર અવાયું ન હતું. તિથિ નિર્ણાયક કમિટી, સચિરાચિત્ત નિર્ણાયક કમિટી વગેરે કમિટીઓ નિમાઈ હતી, એટલું જ છે, રાજસ્થાની મનિઓની અપેક્ષાએ કિયા શિથિલ છે એમ કહેવાતું, પણ અંતે એમની નિખાલસતા, વ્યવહારુતા અને યુગાનુરૂપતાની છાપ દેશના આખા સ્થાનકવાસી સમાજ પર પડી. રાજસ્થાની સમુદાયમાં દીક્ષા લીધેલ, પણ મૂળે સૌરાષ્ટ્રના ચુનીલાલજી (ચૈતન્યજી) મુનિએ સામુદાયિક મળસફાઈને જે કાર્યક્રમ ઉપાડેલે તે સેંધપાત્ર નીવડે. એ જ દિવસોમાં ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજે ત્રેવડી કાર્યવાહી ઉપડેલી.-(૧) જે માટે સમૂહ આ બધાં સાધુ-સાધ્વીઓ રોકાવાને કારણે બહાર રહેલે તેને ઉપદેશ આપવાનો કાર્યક્રમ, (૨) સાધુ સંમેલનની કાર્યવાહીમાં હાજર રહી ધ્યાન આપવાનું કાર્યક્રમ, અને (ક) જુવાન સાધુઓ (નવી પેઢી)ને માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ. વચ્ચે-વચ્ચે પેલી પંચની જટિલ કાર્યવાહી પણ આવી પડતી. પ્રસિદ્ધ વકતા ચૌથમલજી મહારાજનો પણ મીઠે પરિચય થયેલો, પણ હિંદી ભાષામાં સૂત્રબત્રીસી આપનાર અમોલખઋષિજી મહારાજની અનહદ નમ્રતા સૌને યાદ રહી ગઈ કવિવર્ય ઉપાધ્યાય શ્રી અમરચંદજી મહારાજ, પંજાબના હેમચંદ્રજી મહારાજ, સ્થા. શ્રમણસંઘના વર્તમાન આચાર્ય પં. આનંદષિજી મહારાજ વગેરે ટોચનાં સ્થા. સમાજનાં મુનિર આજે સાંપડે છે. તેમાં તે કાર્યવાહીને ફાળે આજે પણ દેખાઈ રહે છે. પ્ર. જવાહરલાલજી મહારાજના સૌથી નાનેરા શિષ્ય પં. શ્રીમલજી મહારાજ મારી પાસેથી સંમેલનકાર્યની નોંધ લખી જતા. આજના ચમકેલાં સતી ઉજજવળકુમારીજી તે માતાજીની સાથે અદીક્ષિત અવસ્થામાં જ આ સંમેલન જેવા આવેલાં. વળી આર્યસમાજના પંડિતો અને અજમેરના સ્થાનિક અને બહારના આગેવાનોના આગ્રહ આર્ય સમાજ હોલમાં પૂ. શતા. પં. રત્નચંદ્રજી મહારાજ, પૂ. ગુરુદેવ વગેરે વડીલ સાધુઓની હાજરીમાં મારા શતાવધાન પ્રયોગ થયા અને સમાજ તરફથી “ભારતરત્ન” ઉપાધિ મળી અને સંતના આશીર્વાદ સાંપડ્યા, તે પણ આ જ દિવસોમાં. ૧-૨, આ બે મુનિરાજો હાલ કાળધર્મ પામ્યા છે. ૨૬ જીવન ઝાંખી www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy