SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવ પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ આ રીતે આ પ્રશ્નના જવાખ યુધ્ધે એકાંશી ‘કાં' કે ‘ના' માં ન આપતા, અપેક્ષાથી આપ્યું. બુદ્ધ વિભયવાદ માન્યા તે ખરા પરંતુ તે મર્યાદિત ક્ષેત્રમાં રહ્યા, જ્યારે મહાવીરે તેના વ્યાપક ક્ષેત્રમાં ઉપયેગ કર્યા. આથી મહાવીર અનેકાન્તવાદના પુરસ્કર્તા બની રહ્યા જ્યારે બુદ્ધ વિભજ્યવાદથી આગળ વધ્યા નહી. મહાવીરે જે અનેકાન્તવાદની પ્રરૂપણા કરી તેના મૂળમાં તત્કાલીન દાર્શનિકોમાં બુદ્ધના નિષેધાત્મક દ્રષ્ટિકાણુનુ અગત્યનુ સ્થાન છે. સ્યાદ્વાદના ભગેની રચનામાં સજયએલીપુત્તના વિક્ષેપવાદની પણ મદદ લેવાઈ હાય ઍવે! સંભવ છે. પરંતુ બુધ્ધે તત્કાલીન નાનાવાદથી અલિપ્ત રહેવા જે વલણ લીધેલુ તેમાં અનેકાન્તવાદનાં ખીજ છે. એ સ્પષ્ટ છે કે બુદ્ધ એ વિરોધી વાદાને જોઇને તેનાથી બચવા પેાતાને ત્રીજો માર્ગ અભ્યાકૃત એટલે કે તેના અસ્વીકાર માત્રમાં મર્યાદિત કરે છે. જ્યારે મહાવીર તે અને વિરાધી વાદાને સમન્વય કરીને તેના સ્વીકારમાં જ તે પેાતાના અનેાખા અનેકાન્તવાદની પ્રતિષ્ઠા કરે છે. યુદ્ધના અભ્યાકૃતનું ઉદાહરણ જોઈએ. બુદ્ધને પ્રશ્ન પૂછાય છે કે જીવ નિત્ય છે? અનિત્ય છે ? જવાબમાં યુદ્ધ 'હા' કહે તે શાશ્વતવાદમાં માનવા સમાન થાય તેથી બુધ્ધે કહ્યું કે એ બન્ને વાદ ચૈાગ્ય નથી, એ પ્રા અવ્યાકૃત છે; તેના ઉત્તર મેં કાંઈ નથી આપ્યું તેમ માના. ઉપનિષદનાં નેતિ નેતિ” જેવા આ જવાબ ગણાય. બુદ્ધને તે કાળના વાદોમાં દોષ જણાયા તેથી તેમના અસ્વીકાર એ તેમનુ ધ્યેય બન્યું. મહાવીરે અન્ય વાદ્યોના ગુણદોષ અને જોઈને, જે વાદમાં જેટલું સત્ય હતું તેટલું સ્વીકારીને, તે તે વાદની તે તે ષ્ટિને ધ્યાનમાં લઇને તેને સ્વીકાર કર્યા. અને પેાતાની આ આગવી દૃષ્ટિને નયવાદના રૂપમાં દાર્શનિકે સામે રાખી, અને એ રીતે નયવાદ અનેકાન્તવાદના મૂલાધાર બની ગયા. ભગવાન બુધ્ધે પ્રનેાના અભ્યાકૃત જવાએ આપ્યા તેનું કારણ તેમને તે કાળ માટે, આત્માન્નતિની દૃષ્ટિએ તેવી ચર્ચા નિરર્થક લાગેલી તે હતું; તેમનામાં સમન્વયષ્ટિના અભાવનુ કારણ ન હતું કેમકે બુધની સમન્વયશીલતાનું ઉદાહરણ મળે છે. સિંહ સેનાપતિ યુધ્ધને પૂછે છેઃ- કેટલાક લેાક આપને (અનાત્મવાદી હૈાવાથી) અક્રિયાવાદી કહે છે તે તે બરાબર છે? બુધઃ- સાચી વાત છે કે હું અકુશલ સંસ્કારની અક્રિયાના ઉપદેશ આપુ છું તેથી અક્રિયાવાદી છુ, તેમજ કુશલ સંસ્કારની ક્રિયા મને પ્રિય છે અને તેના ઉપદેશ હુ' આપું છું તે માટે હું ક્રિયાવાદી પણ છું જ.’” – આમાં યુધ્ધના સમન્વય સ્વભાવ અનેકાન્તવાદ સ્પષ્ટ જણાય છે. બુધે આવી પ્રજ્ઞાને! પરિચય અન્યત્ર પણ આપ્યું હાત તે તે અનેકાન્તવાદના ઉપદેશક બનત પર ંતુ તે કાર્ય મહાવીરની શાન્ત, સ્થિર પ્રજ્ઞાથી થવાનું હશે તેથી મુધ્ધ ચાર આસત્ય રજુ કરવામાં જ સંતુષ્ટ રહ્યા. અનેકાન્તવાદનાં ખીજ હિન્દુધર્મમાં પણ મળી આવે છે. ઋગ્વેદના ઋષિ કહે છે કે તે કાળે સત્ પણ ન હતું, અસત્ પણ ન હતું. નાસવાસૌન્નલવાસીત્તવાનીમ્ ઋગ્વેદ ૧૦-૧૨૯-૧. ઇશાવાસ્ય, કઠ, પ્રશ્ન, શ્વેતાશ્વેતર આદિ અતિ પ્રાચીન ઉપનિષદેશમાં પણ ભિન્ન ભિન્ન વિરાધી અપેક્ષાએથી બ્રહ્મનુ વર્ણન મળી આવે છે. તāતિ તઐતિ તત્પૂરે સરસિજે ।-ફો.ળોળીયાનુ મતો મહીયાનું ૪. ૨-૨૦ ।। સલામત યત્ ।। પ્રશ્ન૨-૫. વેદ્દાન્તને અનિવચનીયવાદ, કુમારિલના સાપેક્ષવાદ, બુધ્ધના મધ્યમમાર્ગ વ સિધ્ધાંતા સ્યાદ્વાદના સિધ્ધાંતને મળતા આવે છે. સ્યાદ્વાદના તુલના પાશ્ચાત્ય સાપેક્ષવાદ (Theory of relativity) સાથે પણ કરાય છે, સ્યાદવાદને વસ્તુવાદી સાપેક્ષવાદ કહી શકાય. ગ્રીક દાર્શનિક પિ (Pyrrho) ના સંશયવાદ સાથે પણ સ્યાદ્વાદની તુલના કરાય છે. કેમકે પિરા પણ વાકયની પૂર્વે સ્થાત્ - કદાચ - May be મૂકવાનું અવશ્યક સમજે છે પર ંતુ જૈને ના સ્યાદ્વાદ આવે સંશયવાદ !Seepticis) છે જ નહીં. જર્મનીને વિખ્યાત તત્ત્વવેત્તા હેંગેલ (Hegal) સ્યાદ્વાદના જેવી વિચારણા રજૂ કરે છે:-- Reality is now this, now that, in this sense it is full of negations, contradictions and oppositions: The Plant germinates, bloom, witness and dies; man is young mature and old. To do a thing justice, we must tell the whole truth about it. Predicate all those contradictions of it, and show how then. are reconciled and preserved in the articulated whole which we call the life of the thing. માનસશાસ્ત્રના વિદ્વાન પ્રેા. વિલિયમ જેમ્સ તેમના Principles of Psychology નામના ગ્રંથમાં લખે છે કે આપણી અનેક દુનિયા છે; સાધારણ માણસને આ બધી દુનિયાએનું એકબીજાથી અસ ંબદ્ધ અને અનપેક્ષિતરૂપમાં જ્ઞાન થાય છે. ૩૩૪ Jain Education International For Private Personal Use Only તત્ત્વદર્શન www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy