SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ઉપલબ્ધ થાય છે. આદિ તીર્થ કર ઋષભદેવનુ પ્રાક્ ઐતિહાસિક જીવનચરિત્ર પણ આમાં મળે છે. સમ્રાટ ભરતના િિગ્વજયનું વર્ણન પણ પ્રાપ્ત થાય છે, જે વર્ણનની તુલના વિષ્ણુપુરાણુ સાથે કરી શકાય છે. ભરત અને કિરાતાના યુદ્ધનું વર્ણન પ્રાચીન યુદ્ધની સ્મૃતિ કરાવે છે. તીર્થંકરોના કલ્યાણુ મહત્સવનું વર્ણન જેને પાછળથી લખાયેલા ગ્રન્થામાં વિસ્તારથી ઉલ્લેખ છે તેનાં બીજ આ આગમમાં છે. ૬-૭ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચન્દ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચન્દ્રપ્રજ્ઞપ્તિ અનુક્રમે (હું અને છમ' ઉપાંગ છે. કેટલાક ગ્રંથામાં સૂર્યપ્રજ્ઞપ્તિને પસું અને ચન્દ્રપ્રજ્ઞપ્તિને છમુ ઉપાંગ ખતાવ્યું છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં સૂર્ય આદિ જાતિષ્ઠ ચક્રનુ વર્ણન છે. આમાં એક અધ્યયન, ૨૦ પ્રાભૂત અને ઉપલબ્ધ મૂળ પાઠ ૨૨૦૦ શ્લેાકપ્રમાણ છે. ગદ્યસૂત્ર ૧૦૮ અને પદ્યગાથા ૧૦૩ છે. એજ પ્રમાણે ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં પણ છે. ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં ચન્દ્ર આહ્નિ જાતિક ચક્રનું વર્ણન છે. ડૉ. વિન્ટજર સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચન્દ્રપ્રજ્ઞપ્તિ ને વૈજ્ઞાનિક ગ્રંથ તરીકે સ્વીકારે છે. અન્ય પાશ્ચાત્ય વિચારકોએ પણ તેમાં આવેલા ગણિત અને જાતિક વિજ્ઞાનને મહત્ત્વપૂર્ણ માનેલ છે. ડા. શુસ્પ્રિંગે જર્મનીની હેમખર્ગ યુનિવર્સિટીમાં પોતાના ભાષણમાં કહ્યું કે જૈન વિચારકાએ જે તર્કયુક્ત સુસમ્મત સિદ્ધાન્તાને પ્રસ્તુત કર્યા તે આધુનિક વિજ્ઞાનવેત્તાની દૃષ્ટિથી પણ અમૂલ્ય અને મહત્ત્વપૂર્ણ છે. વિશ્વરચનાના સિદ્ધાન્તની સાથે સાથે તેમાં ઉચ્ચકેાટિનું ગણિત અને જ્યાતિષ્ઠ વિજ્ઞાન પણ દ્રષ્ટિગાચર થાય છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં ગણિત અને જ્યાતિષ્ઠ ઉપર ખૂબ ઊંડાણુથી વિચાર કરવામાં આવ્યે છે તેથી સૂર્યપ્રાપ્તિના ઉલ્લેખ કર્યા વિના ભારતીય યૈતિષ્ઠના ઇતિહાસ અધૂરા અને અપૂર્ણ રહેશે. પાશ્ચાત્ય વિચારક અને ઐતિહાસિક વિદ્વાનાની દૃષ્ટિએ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ આ બન્ને મહત્ત્વપૂર્ણ ગ્રંથા છે. આને આપણે જયાતિષ્ઠ તથા ગણિતના, ભૂગાળ તથા ખગોળના મહત્ત્વપૂર્ણ કાષ કહી શકીએ. ‘એવરે’ સન્ ૧૮૬૮ માં ‘ઉવેરડી સૂર્યપ્રજ્ઞપ્તિ' નામને નિમન્ય પ્રકાશિત કર્યા હતા. ડૉ. આર. શામ શાસ્ત્રીએ આ ઉપાંગનું એ બ્રીફ ટ્રાન્સલેશન એફ મહાવીરાઝ સૂર્યપ્રાપ્તિ' નામે સંક્ષિપ્તમાં ભાષાન્તર કર્યું છે. આ આગમમાં ખતાવેલા એ સૂર્ય અને એ ચન્દ્રની માન્યતાનું ‘ભાસ્કરે' પેાતાના સિદ્ધાન્ત શિશમણિ ગ્રન્થમાં અને બ્રહ્મગુપ્તે પેાતાન! ‘સ્ફુટ સિદ્ધાન્ત ’ માં ખંડન કર્યું છે. પરન્તુ ડૉ. થિર્માને ‘જનરલ એફ ધી એશિયાટિક સાસાયટી એફ ખેંગાલ માં‘ન ધી સૂર્યપ્રાપ્તિ' નામક પેાતાના શેાધપૂર્ણ લેખમાં પ્રતિપાતિ કર્યું છે કે- ગ્રીક લેાક ભારતવમાં આવ્યા તે પૂર્વે આ સિદ્ધાન્ત સમાન્ય હતા. તેમણે ભારતીય જચેતિષના અતિપ્રાચીન જયતિષ્ઠવેદાંગ ગ્રન્થની માન્યતાએની સાથે સૂર્યપ્રજ્ઞપ્તિના સિદ્ધાન્તાની સમાનતા ખતાવી છે. સૂર્યપ્રજ્ઞપ્તિના પ્રથમ પ્રાભૂતમાં ઉલ્લેખ છે કે મિથિલાનગરીમાં જિતશત્રુ નામે રાજા રાજય કરતા હતા. તે વખતે ભ. મહાવીર મિથિલાની બહાર મણિભદ્ર ચૈત્યમાં પધાર્યા. ધર્મોપદેશ કર્યા પછી ગણધર ગૈતમે જિજ્ઞાસા પ્રસ્તુત કરી. ભગવાને સમાધાન કરતાં કહ્યું- દ્વિવસ અને રાત્રિના મળીને ૩૦ મુહૂ હાય છે. નક્ષત્રમાસ, સૂમાસ, ચન્દ્રમાસ, અને ૠતુમાસના મુહૂર્તમાં હાનિવૃદ્ધિનું કારણ બતાવ્યું. પ્રથમ મંડલથી અન્તિમ અને અન્તિમથી પ્રથમ મંડલ સુધી સૂર્યની ગતિના કાળનું પ્રતિપાદન કરતાં બતાવ્યું કે અન્તિમ મડલમાં સૂર્યની એકવાર અને શેષમલેમાં સૂર્યની બે વાર ગતિ થાય છે. ૧. He who has a through knowledge of the structure of the world cannot but admire the inward logic and harm nony of Jain ideas. Hand in hard with the refind cosmogrphical ideas goes a high standard of astronomy and mathematics. A history of Indian astronomy is not conceivable without the famous "Surya Pragyapti. -Dr. Schubring ૨. જિદ ૪૯, પૃ. ૧૦૭ થી ૧૮૧. આગમસાર દાહન Jain Education International For Private Personal Use Only ૨૬૩ www.jairnel|brary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy