SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ કાઢી નાખી અને તેની જગ્યાએ માત્ર આસ્રવ અને સંવરનો સમાવેશ કરી દીધા. પરતુત કથનનું સમર્થન આચાર્ય અભયદેવ અને આચાર્ય જ્ઞાનવિમલેર પણ કર્યું છે. આ પ્રશ્ન સહેજે ઉભુત થાય છે કે વિતરાગ તીર્થંકર પ્રભુએ આવા વિષયનું નિરૂપણ શા માટે કર્યું કે જેથી પાછળથી તેને કાઢવું પડયું ? ઉત્તરમાં નિવેદન છે કે ઉત્સર્ગ માર્ગમાં આવા પ્રકારની વિદ્યાઓને ઉપયોગ નિષિદ્ધ માનવામાં આવ્યો છે. પરંતુ આધ્યાત્મિક ઉત્કર્ષ-હેતુ અને ભાવુક ભવ્યજીના અન્તમાંનસમાં ત્યાગ – વૈરાગની ભાવના પિદા કરવા માટે, તેમના મનમાં એ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે કે અતીતકાળમાં તીર્થક થયા તેમણે આવા પ્રકારના અલૌકિક પ્રશ્નોનું પ્રતિપાદન કર્યું છે. જે તીર્થકર ન હોત તો આવા પ્રકારના પ્રશ્નને પ્રાદુર્ભાવ પણ ન થાત. તેથી અપવાદરૂપે આચાર્યો આ વિદ્યાઓને ઉપયોગ કરતા હતા. આ વાત સંભવિત છે કે કાળપ્રભાવને લીધે પરિસ્થિતિમાં પરિવર્તન આવવાથી વિશિષ્ટ જ્ઞાનસંપન્ન શ્રતધર આચાર્યોએ આ વિદ્યાઓના દુરુપયોગની આશંકા થવાથી તેમણે તે વિદ્યાઓને પ્રસ્તુત અંગમાંથી કાઢી નાખી હોય! વિશેષ તો શે ધાર્થીઓએ આ સંબંધમાં અન્વેષણ કરવું જોઈએ. અનવ્યાકરણના દશ અધ્યયનો છે, અને એક શ્રુતસ્કન્ય છે. આ કથનનું સમર્થન પ્રનવ્યાકરણના ઉપસંહાર વચનથી તેમજ નન્દી અને સમવાયાંગથી થાય છે. પરંતુ અભયદેવસૂરિએ પ્રવ્યાકરણની વૃત્તિમાં લખ્યું છે કે પ્રશ્નવ્યાકરણના ૨ શ્રતસ્કન્ધ છે. આશ્રવદ્વા૨ અને સંવરદ્વાર. પ્રત્યેક શ્રતસ્કના પાંચ - પાંચ અધ્યયને છે. * આગળ જતાં તેઓ એમ પણ લખે છે કે બે શ્રતસ્કન્ધની નહિ પરન્તુ એક શ્રતસ્કની માન્યતા રૂઢ છે. અમારી દષ્ટિએ તે બે શ્રુતસ્કન્ધની માન્યતા તર્કસંગત છે કારણ કે આશ્રવ અને સંવર આ બને જુદા જુદા વિષય છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રનું આગમસાહિત્યમાં એક વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આમાં પ્રશ્નોના સમાધાન છે. તનના નહિ પણ મનના પ્રશ્નોનું સમાધાન છે. તનના રોગોથો પણ મનના રેગે વધારે ભયંકર હોય છે. તનના રાગે તે એક જમમાં જ પીડા આપે છે પરન્ત મનના રોગ તે જન્મ - જન્માન્તરો સુધી પાછળ વળગ્યા રહી દુઃખ આપે છે. તે રોગની ખરી ચિકિત્સા – ઉપચારનું વર્ણન પ્રસ્તુત આગમમાં છે. પ્રથમ ખંડમાં તે રોગોના નામ આ પ્રમાણે બતાવ્યા છે. હિંસા, અસત્ય, તેય, અબ્રહ્મચર્ય, પરિગ્રહ અને તે રોગની ચિકિત્સા બીજા ખંડમાં બતાવી છે. તે આ પ્રમાણે છે- અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પ્રથમ શ્રતસ્કના પ્રથમ અધર્મ દ્વારા પ્રથમ અધ્યયનમાં હિંસાનું વર્ણન કરવામાં આવ્યું છે. હિંસા પાપ છે, અનાર્ય કર્મ છે અને તે નરકમાં ઢસડી લઈ જનારી છે. અસંયમી, અવિરત, મન, વાણી અને કાયાને અશુભયોગમાં પ્રવતવનાર છ અન્ય મનુષ્ય, પશુ, પક્ષીની હિંસા કરે છે. ત્રસજીની હિંસાના વિવિધ કારમાંથી મુખ્ય કારણે આ છે- અસ્થિ, માંસ, ચર્મ તેમ જ પ્રાણીઓના અન્ય અંગોપાંગ આદિ, જેમને ઉપગ માનવ પોતાના શરીરની શેભા વધારવા માટે અથવા પોતાના ભવ્ય ભવનને સજાવવા માટે કરે છે. પૃથ્વીકાયની હિંસા, કૃષિ, કૂવા, વાવ, ચિત્યસમારક, તૂપ, ભવન, મંદિર, મૂર્તિ વગેરે વસ્તુઓ માટે કરવામાં આવે છે. કષાયને વશીભૂત થઈ મંદબુદ્ધિવાળા જીવો ધર્મ, અર્થ ૧. પ્રશ્નોનાં – વિદ્યાવિશેષાણાં યાનિ વ્યાકરણાનિ તેષાં પ્રતિપાદનપરા દશા દશાધ્યયન પ્રતિબદ્ધા : ગ્રન્થપદ્ધતય ઇતિ પ્રશ્ન વ્યાકરણ દશા:. અમંચ વ્યુત્પરાયેંડસ્ય પૂર્વકાલેડભૂત ઈદાની ત્વાશ્રવપંચક સંવરપંચક વ્યાકૃતેરેવેલોપલભ્યતે. અતિશયાનાં પૂર્વાચાર્યરિદંયુગીનાનામ પુષ્ટોલંબન પ્રતિસેવિ પૃચ્છાપેક્ષત્તારિત – પ્રશનવ્યાકરણ વૃત્તિ- પ્રારંભ. ૨. પ્રશના અંગુઠાદિ પ્રશ્નવિદ્યાસ્ત વ્યક્રિયન્ત અભિધીયન્ત અસ્મિન્નિતિ પ્રશ્નવ્યાકરણમ એકાદશ અંગે પૂર્વકાલેડભૂત 1 ઈદાની તુ આશ્રાવ - સંવર પંચક વ્યાકૃતિવ લભતે ! પૂર્વાચાર્યોદયુગીન પુરુષાણાં તથાવિધ હીન હીનતર પાંડિત્ય બલ - બુદ્ધિ - વીર્યાપેક્ષય પુષ્ઠલબનમુદ્રિશ્ય પ્રશ્નાદિ વિદ્યાસ્થાને પંચાશવ- સંવરરૂપે સમુત્તારિતમ્ - -પ્રશ્નવ્યાકરણ ટીકા, પ્રારંભ. ૩. પહાવાગરણે ણે એગે સુચકખંધે દસ એજયણા – પ્રશ્નવ્યાકરણ ઉપસંહાર ૪. નન્દીસૂત્ર ૯૩ ૫. સમવાયાંગ પ્રકીર્ણક સૂત્ર ૬. દો સુચકખંધા પણત્તા – આસવદારા ય સંવરદરા ય. | પઢમસ્મર્ણ સુયકMધસ્સ પંચ અજઝયણા. દચ્ચસણું સુચકખંધસ્સ પંચ એજઝયણા ૭. યાયેય દ્રિ શ્રુતસ્કન્ધતકતા ક્યા સા ન રૂઢા, એક શ્રુતસ્કધતાયા એવ રૂઢવાત | ૨૧૬ Jain Education International તત્ત્વદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy