SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સૂત્રમાં પ્રાયશ્ચિતવિધિનું નિરૂપણ છે. તેનાથી ચારિત્રની વિશુદ્ધ થાય છે. તેથી આ શ્રત ઉત્તમ માનવામાં આવેલ છે. શ્રમણ-જીવનની સાધનાનું સર્વાગીણ વિવેચન છેદસૂત્રમાં જ ઉપલબ્ધ થાય છે. સાધકની મર્યાદા શું છે? તેનું શું કર્તવ્ય છે? વ. પ્રકો પર તેમાં ચિન્તન કરવામાં આવ્યું છે? જીવનમાંથી અસંયમના અંશને કાપી પૃથક કરવા, સાધનામાંથી દોષજન્ય મલિનતાને કાઢી સાફ કરવું, ભૂલોથી બચવા માટે પહેલાંથી જ સાવધાન રહેવું, ભૂલ થઈ જાય તે પ્રાયશ્ચિત ગ્રહણ કરી તેનું પરિમાર્જન કરવું. આ બધાં છેદસૂનાં કાર્ય છે. સમાચારશતકમાં સમયસુન્દરગણીએ છેદસૂની સંખ્યા છ બતાવી છે. (૧) દશાશ્રુતરકન્ય (૨) વ્યવહાર (૩) બૃહત્કલ્પ (૪) નિશીથ (૫) મહાનિશીથ (૬) જીતક૫. જતકલ્પને બાદ કરી શેષ પાંચ સૂત્રેના નામ નંદીસૂત્રમાં પણ આવ્યા છે. છતકલપ એ જિનભદ્રગણું ક્ષમાશ્રમણની કૃતિ છે તેથી તેને આગમની કોટિમાં સ્થાન આપી શકાય નહિ મહાનિશીથનું જે વર્તમાન સંસ્કરણ છે તે આચાર્ય હરિભદ્ર (વિ. સં. ૮મી શતાબ્દિ) દ્વારા પુનરોદ્ધારને પામેલ છે. તેની મૂળ પ્રત તો ઉધઈએ સ્વાહા કરી નાખી હતી. તેથી વર્તમાનમાં ઉપલબ્ધ મહાનિશીથ પણ આગમની કટિમાં આવતું નથી. આ પ્રમાણે મૌલિક છેદસૂત્ર ચાર જ છે.- (૧) દશાશ્રુતસ્કન્ધ (૨) વ્યવહાર (૩) બૃહત્ક૯૫ અને (૪) નિશીથ. શ્રુતપુરુષ - નન્દીસૂત્રની ચૂર્ણિમાં મૃતપુરુષની એક સુન્દર પરિકલ્પના કરવામાં આવી છે. પુરૂષના શરીરમાં જેવી રીતે ૧૨ અંગ હોય છે-બે પગ, બે જાંઘ, બે સાથળ, બે ગાત્રાર્ધ (ઉદર અને પીઠ), બે ભુજા, ગળું અને માથું – તેવી જ રીતે શ્રુતપુરુષના પણ ૧૨ અંગે છે. જમણે પગ બે પગ જમણી જાંઘ ડાબી બંધ જમણો સાથળ ડાબો સાથળ પેટ પીઠ-વાંસ જમણી ભુજા ડાબી ભુજા ગ્રીવા-ગળું મસ્તક આચારાંગ સૂત્રકૃતાંગ સ્થાનાંગ સમવાયાંગ ભગવતી જ્ઞાતાધર્મકથા ઉપાસકદશા અનંતકૃત્વશા અનુત્તરૌપપાતિક પ્રવ્યાકરણ વિપાક દષ્ટિવાદ ૧ છાસુય કમ્હા ઉત્તમ સુનં? ભણણતિ - જહા એ€ સપાયછિત્તો વિધિ ભાણતિ, જહા એ તેણશ્ચરણાવિશુદ્ધિ કરેતિ, તખ્તા તે ઉત્તમસુત્તા – નિશીથભાષ્ય ૬૧૮૪ની ચૂણિ ૨ સમાચારી શતક - આગમ સ્થાપનાધિકાર ૩ કાલિય અeગવિહં પણ, તંજહા - દશાઓ કમ્પ, વવહાર, નિસીહં, મહાનિસીહ - નન્દીસૂત્ર સૂ. ૭૭ ૪ ઇશ્વેતસ સુતપુરિસમ્સ જે સુd અંગભાગઠિતું તે અંગપવિઠ્ઠ ભણઇ. - નંદીચૂણિ પૃ. ૪૭ Jain આગમસાર દેહન For Private & Personal Use Only Www.૧૪rary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy