SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ થર-શા-ચારિત્રજિ મોક્ષના સભ્યદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેના સુમેળથી, જેમાં એકાંત સુખ છે એવી મુક્તદશા કે મેક્ષ જીવ પામે છે. આ એક પ્રકારનું વિધાન થયું. પણ એ બને કેવી રીતે ? જ્ઞાનને પ્રકાશ કેમ થાય ? અજ્ઞાન અને મેહને ત્યાગ કેવી રીતે અથવા શું કરવાથી થાય? અને રાગદ્વેષને ક્ષય કેમ બની શકે ? એના માટે કે એક માર્ગ કે સાધના પધ્ધતિ ખરી કે નહિ? અનુભવી પુરુષએ તેમ જ શાસ્ત્રકારોએ તે અનેક માર્ગો બતાવેલા છે. જેમકે-જ્ઞાન, ભક્તિગ, કર્મવેગ, પગ, ધ્યાગ, તપગ વગેરે બધા માર્ગો અથવા અનુષ્ઠાન પદ્ધતિઓ અનુભવથી સિદ્ધ થયેલ છે. તે તે માની આરાધના કરવાથી અનેક સાધકે પિતાના અંતિમ દયેયને પ્રાપ્ત કરી મોક્ષપદને પામેલા છે. માર્ગો બધા ય સાચા છે, પરંતુ બધા માર્ગોનું એકીસાથે આરાધન થઈ શકતું નથી. તે પછી પિતાને માટે કે માગ સાચે અથવા અનુકૂળ છે તે જોવાનું રહે છે. અહીં જ ખરી વિડંબના છે. બિન અનુભવી અને અપૂણ સાધક, પિતાની મતિકલ્પનાથી કઈ માગ સ્વીકારે-નકકી કરે અને પછી જે પ્રાપ્ત થવું જોઈએ તે ન થાય તો વળી બીજે માર્ગ લે. આમ કરવાથી એટલે કે પોતાની મતિકલ્પનાથી સાચે માર્ગ મળતું નથી અને મુશ્કેલી વધતી જાય. તે પછી શું કરવું? એને ઉકેલ પણ એ ૩૨ માં અધ્યયનની ત્રીજી ગાથામાં શાસ્ત્રકાર નીચે મુજબ ફરમાવે છે : તસ્મક મન સુવિધવા સાધનાને રાજમાર્ગ એક જ છે, સદ્દગુરુ અને અનુભવવૃદ્ધ પુરુષની સેવાને રવીકાર કરેઃ આત્મશ્રેયના અનેક માર્ગો અને અનુષ્ઠાને હોવા છતાં, અહીં વીતરાગદેવોએ કઈ એક ખાસ માને નિર્દેશ ન કર્યો, પરંતુ જેઓ આત્મતત્તવને પામેલ છે અને તેથી અનુભવી છે એવા સદ્દગુરુને હવાલે આયે...એવા સાચા સદ્દગુરુનું મહત્ત્વ આ માર્ગમાં કેવું છે તેનું વિગતથી વર્ણન આપણે ‘વિચારધારામાં આગળ જોઈ ગયા છીએ તેથી સાધકે એવા સદ્ગને શોધી–ઓળખી તેની નિર્વ્યાજ સેવામાં જોડાઈ જવું: અર્થાત્ એવા લક્ષથી ગુરુકુલવાસમાં રહેવું જોઈએ. એવા સશુરુ જ, સાધકમાં જે ગ્યતા દેખાય છે તેની નાડ પારખીને, એટલે કે પ્રકૃતિના કયા દોષ સાધકને આત્મવિકાસમાં બાધક છે તે બરાબર જાણીને તેને અનુરૂપ માર્ગ બતાવશે. એ જ માર્ગ સાધકના વિકાસ માટે ગ્ય થશે અને એ જ એક માળ સાધકના માટે હિતાવહ બની રહેશે. પરંતુ એવા સદગુરુ ઠેકાણે ઠેકાણે હોતા નથી. ત્યારે બીજો પ્રશ્ન એ ઊભે થશે કે એવા સદ્દગુરુને વેગ ન મળે તે શું કરવું? એને જવાબ પણ એ જ અધ્યયનમાં સ્પષ્ટ છે. તેને સાર એ છે કે સદ્દગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સ્વપુરુષાર્થથી સાધકે પિતાની જાતને તૈયાર કરવી. હવે ફરીને આપણે “જ્ઞાન-દર્શન–ચારિત્ર’ જે આત્માનો ગુણ છે તે તરફ પાછા વળીએ. તેનું જરા વિગતથી નિરીક્ષણ કરીએ. એ ગુણોને પ્રગટ કરવા માટે બીજે કયાંય જવાની કે આશ્રમ બાંધીને સાધના કરવાની કે જરૂર નથી. માનવજીવનના કેઈ પણ પર્યાયમાં કે અવસ્થામાં જીવ જાણવાનું અને અનુભવવાનું કાર્ય કરતે જ હોય છે. જૈન પરિભાષામાં જેને “જ્ઞાન-દર્શન–ચારિત્ર કહે છે તેને સામાન્ય અર્થ જાણવું, જેવું અને માણવું એટલે જ થાય છે. માણસ જ્ઞાનથી જાણવાની ક્રિયા કરે છે, દર્શનથી જોવાની ક્રિયા કરે છે, અને ચારિત્રથી જાણેલું–જોયેલું અનુભવતો હોય છે. તે પછી એ પ્રકારે જાણવા-જોવા અને અનુભવવાથી માણૂસ, શાશ્વત સુખને અનુભવ કેમ કરતા નથી? અને દુ:ખના જ ગીત કેમ ગાયા કરતે હોય છે ? શાસ્ત્રકાર જ્ઞાન-દર્શન અને ચારિત્રના ત્રિવેણી સંગમને સુખનું નિધાન કહે છે તે તે કયા પ્રકારના જ્ઞાન-દર્શન અને ચારિત્ર? બસ, આજ મુદ્દાની વાત છે. આપણું એટલે કે સામાન્ય માનવીનું જાણવું (જ્ઞાન), જેવું (દર્શન) અને માણવું (ચારિત્ર) એ સમ્યક પ્રકારનું હતું નથી. એટલે જ “સમ્યગ જ્ઞાન-દર્શન ચારિત્રની વાત શાસ્ત્રકારે ફરમાવી એ “સમ્યક વિશેષણમાં જ બધું રહય છે. આને લગતી વિશદ વિચારણા ‘ચિં. વિ. ધારામાં થઈ ગઈ છે. એટલે અહીં તે એક જુદો જ વિચાર રજુ કરું છું. આપણું જાણવું, જેવું અને જાણવું એ સ્વલક્ષી એટલે કે આત્મલક્ષી નથી હોતું, પણ પરલક્ષી એટલે કે દેડલક્ષી હોય છે. તેથી આપણે યથાર્થ જાણી શકતા નથી, જોઈ શકતા નથી અને માણી શકતા નથી. જ્યારે આપણા તવદર્શન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy