SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ અવિકલરૂપે જરૂર પ્રગટે અને ત્યાં જ સર્વોત્કૃષ્ટ સુખ-શાંતિ અને આનંદ સહજભાવે રહેલ છે. આ સ્થિતિમાં પછી વ્યક્તિગત કે સામાજિક કઈ પણ જાતને વિસંવાદ ઉભે થવાને સંભવ જ ન રહે. સમસ્ત માનવ-સમાજ ત્યાં એક ક્ષેત્રાવગાહી બની રહે. પછી એમાં જૈન, વૈષ્ણવ, હિન્દુ, ઈલામ, ખ્રિસ્તી કે કઈ પણ હોય ત્યાં માત્ર વિશ્વબંધુત્વની જ ભાવના મોખરે રહેશે. મતલબ કે, જૈન પરિભાષામાં જેને વીતરાગ દશા કહે છે તેને જ ભગવદ્ ગીતાની ભાષામાં બ્રાહ્મી દશા કહે છે. એમ દરેક ધર્મ-પંથ કે દર્શનમાં આવી સ્થિતિને સમજાવનારા પારિભાષિક શબ્દ જરૂર હોય છે. કારણ કે ગુજરાWઃ મતિ જ્ઞામવ ર જીવમાત્રનું પરમ વિરામસ્થાન એ એક પરમાત્મા જ છે એટલે એવી પરમદશા કે સ્થિતિ વિશેષમાં જ, આત્માને સહજ ગુણપ્રસાદ કે પ્રસન્નતા પ્રગટે છે. આ મુદ્દો આપણે “ચિં. વિ. ધારામાં માં જોઈ ગયા છીએ. “Triાવિયુવતંરતુ............ સામયિતિ ” ભ. ગી. ૨/૪ “સારે સર્વધુણાના. quપર્યવતિgતે” . ગી. ૨૬૫ એ આત્મપ્રસાદ કે ચિત્તપ્રસન્નતા માટે અત્યારે જ એ પાનું ખોલી તેને ભાવ સમજી લો અને પછી ભગવાન મહાવીરની વાણીમાં પણ એ રહસ્ય કેવું પ્રગટી રહ્યું છે તે નીચે મુજબ જુઓઃ अप्पा खलु सययं रक्खिअन्यो, सब्विन्दिएहिं सुसमाहिएहिं અર્થાત્ સુસમાહિત ઈન્દ્રિવડે એટલે કે રાગ-દ્વેષ રહિત ઈન્દ્રિયવડે આત્માનું સતત રક્ષણ કરવું જોઈએ. એવી રીતે રક્ષાએલ આત્મા; શાશ્વત સુખ-પરમ આનંદને પામે છે. ભગવાન મહાવીરને સંદેશ ઉપર કહ્યો તે આત્મપ્રસાદ કે ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે, ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીસમાં અધ્યયનમાં ઈન્દ્રિયે અને તેના વિષયનું તાવિક રીતે વિશ્લેષણ કરેલ છે તે જોઈએ कामाणुगिधिष्पभवं खु दुक्खं, सव्वस्स लोगस्स सदेवगस्स। जे काइयं माणसियं च किंचि, तस्सन्तगं गच्छड़ वीयरागो॥ શ્રી ઉદાધ્યયને સૂત્ર, અદયયન ૩૨ ગાથા-૧૯ દેવલેકમાં તેમ જ મનુસ્યલેકમાં, શારીરિક અને માનસિક જે દુ:ખે છે ભગવે છે તેનું મૂળ-ઉત્પત્તિ કારણ વિષયે પ્રત્યેની આસકિત કે લેલુપતા છેઃ પરંતુ સમજપૂર્વક જે સાધક વીતરાગી બને છે એટલે કે અનાસકત થાય છે તેને કેઈ પણ જાતનું દુઃખ રહેતું નથી; અર્થાત્ એ સાધક દ:ખને અંત લાવે છે.” जे इन्दियाणं विसया मणुन्ना, न तेसु भावं निसिरे कयाइ। न यामणुन्नेसु मणं पि कुजा, समाहिकामे समणे तवस्सी॥ -“જે સાધક અનાસકિત કેળવવા માટે, મનને ગમતા (મા) વિષયે પ્રત્યે રાગ કરતા નથી અને અણગમતા (અમનેz) વિષયે પ્રત્યે ઘણા કે તિરસ્કાર કરતા નથી તે સમાધિની કામનાવાળા, શ્રમણ અને તપસ્વી છે.” ઉ૦ અ૦ ૩૨/૨૧ Jain Education International International તવદર્શન www.jainelibrary.org For Private & Personal Use Only For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy