________________
' કૃપા ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાજિદ સ્મૃતિગ્રંથ
તૃષ્ણાના પૂરે તણા મા...જીવ! તું જડ. જીવ...૨ સર્વ છે સમાન તારાં, બાહ્યથી જણાય ન્યારા;
ભેદની જાળે ભરા મા....જીવ! તું જડ...જીવ...૩ તારું સ્વરૂપ કેવું ? અંતરે વિચાર એવું
માયામાં ખાલી મરા મા....જીવ! તું જડ...જીવ....૪ તું તારે તે સર્વ તારું, તું સારે તે સર્વ સાર;
હલકાઈ કરી હણુ મા....જીવ! તું જડ....જીવ...૫ આદર વિચાર આવા, સર્વને મિત્રો બનાવા;
આળસ ન કરીશ આમાં....જીવ ! તું જડ....જીવ....૬ સંતશિષ્ય સુજ્ઞ થાજે, ગાન પ્રભુના તું ગાજે;
માણ તું સદા મજામાં...જીવ! તું જા....જીવ....૭ આટલે દરજે અંતર્મુખ થયેલ માનવને હવે આપણે સાચા અર્થમાં જીવનની સાધના કરનાર સાધક કહીશું. સમ્યક્ વિચારની વિચારસરણી હવે તેને પ્રાપ્ત થઈ છે. જીવનના દરેક ક્ષેત્રમાં તે હિત-અહિત; શ્રેય કે અશ્રયને જેતે થઈ ગયું હોય છે. પ્રેમ અને શ્રેયની સમજ હવે ઉગવા લાગી છે. એટલે સાધનાની પ્રથમ શ્રેણિમાં તે આવી ગયું ગણાય. મોટે ભાગે જગતના જીવે એ સંજ્ઞાથી–ગતાનગતિક રે
ભૂમિકા પર આવેલ સાધક હવે સ્વયં વિચાર કરી નિર્ણય કરતા હોય છે. માનવમાંથી મહામાનવ બનવાની આ પૂર્વ તૈયારી છે. એક ભક્ત કવિએ માનવજાતના ઉચ્ચ અને ક્ષુદ્ર (નીચ) અથવા પંડિત અને બાલ એવા બે ભેદ નીચે મુજબ પાડ્યા છે તે પૈકી આવા સાધક ઉચ્ચકક્ષાના બની રહે છે
ક્ષુદ્ર તે ઈચ્છતા સુખ પાર્થિવને, આત્મધન-કમને ભેગ દઈને, ઉચ્ચ આલિંગતા ઈચ્છતા ધર્મને, દુઃખને ભાર માથે લઈને; મુદ્રનું લક્ષ્ય તે ભેગ-વિલાસ છે, રાત-દી તરફડે પ્રેમ માટે,
ઉચ્ચનું લક્ષ્ય તે આત્મકલ્યાણ છે, નિત્ય તે વિચરે શ્રેય વાટે. અર્થ – શુદ્ર અને પારકેટિના જીવો (માન)માં વિવેકશક્તિ નહિ હેવાથી, પિતાના આત્મધનને અને શક્તિને ભોગ આપીને માત્ર પાર્થિવ સુખ-ઈન્દ્રિયન વિયેનું સુખ ઈચ્છતા હોય છે ત્યારે ઉચ્ચ કોટિના સરકારી અને વિવેકી મનુષ્ય, બાહ્ય સુખને જતાં કરી, ડું કષ્ટ વેઠીને પણ નિજ સ્વભાવને – આત્માના શાશ્વત સુખને ઝંખતા હોય છે. આ રીતે -પામરનું લક્ષ્ય માત્ર ભેગ-વિલાસ હોઈ રાત-દિવસ એવા પ્રેયને માટે જ તરફડતા હોય છે. ત્યારે ઉચ્ચ આત્માઓનું લક્ષ્ય આત્મશ્રેય હોવાથી સતત એ શ્રેયના માર્ગે જ વિચરતા હોય છે. એટલે જેને પિતાનું જીવન ઉચ્ચ બનાવવું છે એવા સાધક પાસે હવે બે માર્ગ ખુલ્લા છેઃ એક તે સદગુરુની સર્વતોમુખી ઉપાસને સ્વીકારવી અને બીજો આત્મનિરીક્ષણ દ્વારા સ્વ-પુરુષાર્થને માર્ગ સ્વીકારે. સદ્દગુરુને ઓળખીને તેને પોતાની જાતનું સમર્પણ કરવું તે જરૂર ઉત્તમ માગે છે. પરંતુ એવી સુલભતા બધાને માટે સહજ હતી નથી. ત્યારે એના અભાવે સાધકે પ્રામાણિકપણે આત્મનિરીક્ષણ કરી પિતાની જાતનું સંશોધન કરવું જોઈએ. આ પ્રક્રિયાને જ ભાવ-પ્રતિકમણ કહેવામાં આવે છે. જેનું વિવેચન આપણે અગાઉ કરી ગયા છીએ.
આટલી કક્ષાએ પહેચેલ સાધકને હવે એવું જરૂર સમજાયું હોય છે કે અર્થ અને કામ (ગવિલાસ)ને સુખરૂપ માની એની પાછળ જે શકિતને વ્યય કર્યો હતો તે બરાબર ન હતું. એનાથી ઉચ્ચ પ્રકારનું સુખસ્થાયી સુખ તે ધર્મતત્ત્વનું આરાધન કરવાથી મળી શકે. જે સુખ, શાન્તિ અને પ્રસન્નતા ત્યાગી-સંતપુરુષ, પિતાના જીવનમાં અનુભવતા હોય છે તે તેઓ વાસ્તવિક “ધર્મ'નું સેવન કરવાથી જ પામ્યા હોય એવું લાગે છે. તે મારે પણ હવે એ પંથે ચાલવું જોઈએ – પિતાની પામરતા અને મહાપુરુષોની ઉચ્ચતા કેવા પ્રકારે છે તે
તરવદન www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only