SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ નિવૃત્તિ વિના ઉપકરણ ઈન્દ્રિય ખેતી નથી. એટલે કે લબ્ધિ પ્રાપ્ત થયું તે જ ઉપગનો સંભવ છે. સારાંશ એ છે કે, પૂર્વ પૂર્વ ઈન્દ્રિયે પ્રાપ્ત થયે છતે જ ઉત્તર ઉત્તર ઈન્દ્રિયે પ્રાપ્ત થવા સંભવ છે, પરંતુ એવો નિયમ નથી કે ઉત્તર ઉત્તર ઈન્દ્રિયોની પ્રાપ્તિ થયે છતે જ પૂર્વ પૂર્વ ઈન્દ્રિય પ્રાપ્ત થાય.” શાસકારે તે હજુ પણ વિશેષ ઊંડા ઊતરીને ઈન્દ્રિય ચકકસ આકૃતિ અને તેના વિષયને ગ્રહણ કરવાની શક્તિ માટે સૂક્ષમ માહિતી આપી છે, જેમ આપણે ઉપર જોઈ ગયા તેમાં દ્રન્દ્રિય અને ભાવેન્દ્રિયનું નિરુપણ કર્યું છે, તે હવે એ પ્રત્યેક ઈન્દ્રિયેનું સંડાણ (સંસ્થાન=આકૃતિ) કેવું હોય તે જણાવતા કહે છે કે, ઈન્દ્રિયની વિશેષ સંસ્થાન (સંડાણ =આકૃતિ) કહે છે. દરેક ઈન્દ્રિયના સંહાણ બે પ્રકારે હોય છે. બાહ્ય અને આત્યંતર, ઈન્દ્રિયોના બાહ્ય સંડાણઆકાર, પશુઓમાં અને માનવમાં જુદા જુદા ઘાટના હોય છે, પરંતુ આત્યંતર એટલે આંતરિક સંડાણ તે બધા ના એકસરખા હોય છે અને તે નીચે મુજબ હોય છે : ૧ શ્રવણેન્દ્રિયનું સંડાણ (આકાર) કદમ્બના ફૂલ જેવું છે. ૨ ચક્ષુરિન્દ્રિયનું સંડાણ મસુરની દાળ જેવું છે. ૩ ધ્રાણેન્દ્રિયને આકાર લુહારની ધમણ જે છે. ૪ રસનેન્દ્રિયનો આકાર છૂરપલા (અસા)ની ધાર જેવો છે. ૫ સ્પર્શેન્દ્રિયને આકાર અનેક પ્રકાર છે. ' એ પાંચે ઈન્દ્રિયે પિતાના વિષયને કેવી રીતે ગ્રહણ કરે છે? ૧-શ્રવણેન્દ્રિય-નજીકમાં નજીક પિતાના અંગુલથી અસંખ્યાતમા ભાગે આવેલ શબ્દ કે વનિને ગ્રહણ કરી વધારેમાં વધારે બાર યોજનમાં આવેલ શબ્દ કે દવનિને સ્પર્શીને જાણે છે. ૨-ચક્ષુરિન્દ્રિય ઓછામાં ઓછું પોતાના આગળના અસંખ્યાતમાં ભાગથી અને વધારેમાં વધારે એક લાખ જનથી વધારે દૂર રહેલ પદાર્થને-રૂપને જોઈ શકે. આંખ તેના વિષયને એટલે કે રૂપને સ્પર્શીને તેને જાણતી નથી એ તેની વિશેષતા છે. ૩-ધ્રાણેન્દ્રિય (નાક) આ ત્રણે ઈન્દ્રિયે, ઓછામાં ઓછું પિતાના અંગુલના અસંખ્યાતમા ૪–રસનેન્દ્રિય (જીભ) ભાગે રહેલ અને વધારેમાં વધારે નવ જન સુધી રહેલ પિતાના પ-સ્પર્શેન્દ્રિય (ત્વચા) વિષયને સ્પર્શ કરીને જાણે છે. ઉપર મુજબ આપણે શાસદષ્ટિએ પાંચ ઈન્દ્રિયનું સ્વરૂપ જોયું. હવે વિદ્વાને, આ પાંચે ઈન્દ્રિયને વજ્ઞાનિક રીતે જે રીતે સમજાવે છે તે પ્રકારે જોઈએ. પાંચ ઈન્દ્રિયેનું સ્વરૂપ (વૈજ્ઞાનિક દ્રષ્ટિકેશુ) સંસારમાં પરિભ્રમણશીલ “વવામા' જ્યાં સુધી પરમાત્મદશાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેનો વિકાસકમ જડ પદાર્થોનાં સાધને દ્વારા થવા નિર્માએ છે. અત્યારે આત્મા જડ પદાર્થોનાં ગર્ભમાં ચિતરફ વિંટળાયેલું છે. તેના વિચારનું સહજ સફર સરખું પણ જડની સહાય વિના બની શકે તેવું નથી. આમ હાઈને આત્મા અત્યારની તેની કર્માવૃત્ત સ્થિતિમાં જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, તે તેના મનરૂપી અંતરનું સાધન અને ઈન્દ્રિયોરૂપી બાહ્ય સાધન દ્વારા પ્રાપ્ત કરે છે. આત્મા જેમ જેમ વિકાસ પામીને, એકેન્દ્રિયથી માંડીને આગળ વધતાં પંચેન્દ્રિય પશુયોનિમાં આવ્યો તેમ તેમ તેના આંતર-આૌ કારણે અથવા સાધન વધારે ને વધારે ઉપગી, કાર્યક્ષમ અને સંસ્કારને ગ્રહણ કરવા માટે વધારે વેચતાવાળા બનતા ચાલ્યા. મનુષ્યને અત્યારે જે પાંચ ઈન્દ્રિ દ્વારા સંસ્કારે ગ્રહણ કરવાની “લબ્ધિ પ્રાપ્ત થયેલી છે તેને વિકાસ થઈ તેને અત્યારની ઉચ્ચ અવસ્થામાં આવતાં સેંકડો યુગ વીતી ગયા છે. મનુષ્યના આત્મારૂપે અભિમાન ભગવતું વર્તમાન ચૈતન્ય લિંગ ત્યારે એકેન્દ્રિયમાં હતું તે કાળે બાહ્ય ઈન્દ્રિો સંબંધ તેની કેવી અવસ્થા હતી અને ક્રમે ક્રમે [૧૦]. તદેશન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy