SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ }પૂજ્ય ગુરુદેદ્ય કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ ચાર ઈન્દ્રિયવાળા જીવને શરીર, મેટું, નાક અને આંખની ચેથી ઈન્દ્રિય હોય છે. એવા જંતુઓ રૂપ, રંગ અને આકારને જોઈ શકતા હોય છે. જીવન જીવવા માટે એની ક્ષેત્રમર્યાદાને વિસ્તાર થયો છે. આગળની ત્રણ ઈન્દ્રિયને તે પણ તે કરે જ છે, પરંતુ આ ચેથી ઈન્દ્રિય આંખ મળવાથી, ઈષ્ટ વસ્તુ સુધી પહોંચવા માટે-ઊડવા માટે, કુદરતે જેવી જોઈએ તેવી તેને પાંખ પણ આપી છે. આંખ ને પાંખની મદદથી ભમરી, પતંગ, માખી, મધમાખ, કુદા વગેરે જંતુઓ ઉડાઉડ-કૂદાકૂદ કરતા હોય છે. એ બધાની આંખ અને પાંખની રચનામાં પણ વિવિધતા હોય છે. એ સાધનથી એ પિતાના જીવનનું ધારણ–પિષણ કરતા હોય છે. આ બધા જીવો બે ઈન્દ્રિયથી માંડીને ચાર ઈન્દ્રિયવાળા જીવ)ની રચનામાં કુદરતને જરૂર કઈ સંકેત હોવો જોઈએ. પરંતુ આજના માનવી તે પિતાને મળેલી બુદ્ધિ-શકિતથી બધું ય જોવાનું-માપવાનું અને નિર્ણય કરવાનું શીખે હોવાથી વિજ્ઞાન પદધતિથી જંતુમાત્રને અભ્યાસ કરે છે. મધમાખી જેવા જંતુને અભ્યાસ કરતાં આજના વિજ્ઞાને ઘણું ઘણું શેધી કાઢયું છે અને હજુ પણ ધશે, તે પણ આરો આવવાનો નથી. કહે છે કે મધમાખીના જીવનમાં પણ સામાજિક રચના વ્યવસ્થિતપણે ચાલતી હોય છે....અસ્તુ...આપણે એ વાત જવા દઈએ. અત્યારસુધી એકેન્દ્રિયથી માંડીને ચતુરિન્દ્રિય જીવ સુધી આપણે નિરીક્ષણ કર્યું. જૈન પરિભાષામાં એકેન્દ્રિય જીવોને સ્થાવર એટલે કે સ્થિર કહ્યા છે અને બે ઈન્દ્રિયથી ચાર ઈન્દ્રિયવાળા અને સમુચ્ચયે વિકલેન્દ્રિય જ કહ્યા છે. વિકલેન્દ્રિય જીવો ગતિ કરી શકે છે. એ બધા ની સમગ્ર જીવનપધ્ધતિ સંજ્ઞાત્મક હોય છે અને સંજ્ઞાત્મક છે એટલે સુસંગત અને તાલબદ્ધ હોય છે. એમાં કંઈ વિકૃતિ થવાનો સંભવ નથી. દા. ત. એકેન્દ્રિયમાં આપણે વનસ્પતિને જીવ લઈએ. વડના એક ટેટામાં અસંખ્ય બીજ હોય છે. તે પ્રત્યેક બીજકમાં આ વડ સુપ્ત અવસ્થામાં પડેલ હોય છે. તેને યોગ્ય ભૂમિકાને આધાર મળતાં, અનુકૂળ સમયે પાણીનું સિંચન થતાં, એમાં રહેલ જીવનસવ (ચેતન) ક્રિયાશીલ બને છે. ધીમે ધીમે જમીનમાં પડેલા એ બીજના તળીએ અંકુર ફૂટે છે અને ઉપરના ભાગમાં કેટ ફૂટે છે. બસ, પછી સમયે સમયે કુદરતના વાતાવરણમાંથી વ્ય જીવ, ધારણ-પષણની બેવડી ક્રિયા ચાલુ કરે છે-(૧) એક તે પિષણ મેળવવા માટે જમીનમાં ઊંડા ઊતરવું અને (૨) બીજી બહાર આવવા માટે પિતાની જાતને વધારતા જવું-ઊંચે ઊડાવતા જવું. આ પ્રક્રિયા દરમિયાન સખત ઠંડી, સખત ગરમી, સખત વરસાદ ઉપરાંત એને શિકાર કરનાર જનાવરો કે માણસેના ઉપદ્રવે એ બધાને સામને કરી ધીમે ધીમે થડ, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ અને ફલરૂપે પરિણમીને આખરે કે ધીર-ગંભીર વડ બની જાય છે! વડના જીવનમાં આ બધી પ્રક્રિયા સંજ્ઞાત્મક રીતે થયા કરતી હોય છે. એમાં અભાનપણે પણ એક જાતની સુસંગતતા અને તાલબદધપાગું હોય છે. એમાં કઈ વિકૃતિ થતી નથી. એને અર્થ એટલો જ કે વડના બીજમાંથી આંબે કે આંબાના બીજમાંથી બાવળ થવાને કઈ સંભવ નથી. આમ વિચારીએ તો એકેન્દ્રિયવાળા જીવથી ચાર ઈન્દ્રિયવાળા જે સુધી વિકાસની દ્રષ્ટિએ કોઈ ફેરફાર દેખાતું નથી. ઉત્તરોત્તર એક એક ઈન્દ્રિય વધવાથી એની જીવનપધ્ધતિમાં છેડો ફેર પડે છે એટલું જ માત્ર. એમાં જીવનસત્ત્વ હોવાથી તે ચેતનવંત લાગે છે અને ચેતનવંત છે, એટલે પ્રતિકૂળ સંજોગે વખતે પ્રત્યાઘાતરૂપે તેઓ પિતાને પર પણ બતાવે છે. સમજવા ખાતર આપણે એકેન્દ્રિયવાળા અને જીવનસત્ત્વ અને બે ઈન્દ્રિયથી ચતુરિન્દ્રિયવાળા જીવોને જીવનતત્વ કહીશું. જીવનતત્ત્વ અને જીવનશકિત પરંતુ આ વિશાળ દુનિયામાં, આપણે જોઈએ છીએ કે એવા જીવો ઉપરાંત બીજા પણ વિવિધ પ્રકારના વે છે. અને આવાળની ચાર દ્ધિ ઉપરાંત વધારાની પાંચમી ઈન્દ્રિય હોય છે. પાંચમી ઈન્દ્રિયરૂપે એને [૨] Jain Echacation International, તરવહન For Private & Personal Use Only www.jainenbrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy