SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવે કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ ગૌતમ જેવા મહાન આત્માને પણ પ્રમાદને લીધે ભગવાન સમીપ હોવા છતાં કેવળજ્ઞાન થયું નહિ તો પ્રમાદથી ભરેલાં આપણા જેવાની તો શી વાત? પરંતુ અપ્રમાદ, શ્રદ્ધા અને સતત આત્મજાગૃતિથી એ દિવ્યલેકની ચાવી અવશ્ય મળશે. દઃ ભિક્ષુ સાયલા, તા. ૪–૨– ૬૩ ૦ ૦ ૦ તમારો સેવાયજ્ઞ પૂરે થયે. માજી સમાધિમાં સ્વર્ગસ્થ થયા. જે ભાવિ હતું તે થયું. પાઠ શીખવતા ગયા. “નાહ્ય હિ ધ્રુવં મૃત્યુ. '' આપણે બધા મુસાફર છીએ, એનું વિમરણ ન થવું ઘટે. સાથે આપણે પિતાનું જ માન્યું છે એ સર્વ ભગવાનનું જ છે, એમ સમજાય તો આસકિત ઢીલી પડી જાય. અને જે કાર્ય માટે આવ્યા છીએ તે પણ સ્મરણમાં રહ્યા કરે છે. બંધન આસકિતમાં છે. નથી મારું તેને મારું માન્યું છે એ દુઃખનું મૂળ છે. એ વાતને તમે બરાબર સમજે છે. લાયકાત પ્રમાણે મળ્યું છે ને મળવાનું છતાં જોઈએ તેનાથી વધુ ઉપભેગ, સંગ્રહ ન કરવાનું રણુ જીવ ભૂલી ગયો છે. સાચી વાતનું સમરણ રહે, ઉપયોગ રહે એ જ જ્ઞાન, એ જ સત્સંગનું ફળ. કઠણ તે જરૂર છે, પણ તે સિવાય શાંતિ નથી. તમે માજીની સેવા કરી અણુમુકત થયા. શ્રમ તે પ હશે પણ લેખાને ગણુય. x x x વાંકાનેરના અગ્રેસરો અને લીંબડીવાળા મને લઈ જવા ઘણે આગ્રહ કરે છે. મારી ઈચ્છા તે કઈ સ્થળે I શાંતિ રહે તેવી બીજા સ્થળે ન જ રહે પણ માણસો પિતાના જ સ્વાર્થ તરફ દૃષ્ટિ રાખી વાતો કરતા હોય છે. ૪૪ ૪ વિશ્વમાં મનુષ્યમાત્રને અનેક પ્રકારના ઋણ હોય છે અને તે ચૂકવવા પડે છે ત્યારે જ પિતાનો સ્વાર્થ સાચે સાધી શકાય છે. વહેલામાં વહેલા ક્યારે આવશે ? માતાજી સિધાવ્યા તેથી લાગણીજન્ય વદન જરૂર થાય. પ્રત્યેક માનવીના જીવનમાં ઓછાવત્તા અંશે આઘાત – પ્રત્યાઘાતની પરંપરા કુદરતે ચાલુ જ રાખી હોય છે. એવો અનુભવ કરાવવા માટે કે માણસ માનસિક જીવનમાંથી જરા ઊંચે આવે. આઘાત-પત્યાઘાત એ કંઈ વાસ્તવિક નકકર જીવન નથી. એને આધાર આપનાર આધ્યાત્મિક સ્તર છે. જે માનવજીવનમાં તિભાવે પડેલે છે. જે તે બહાર આવે અથવા પ્રગટ થાય છે અને ત્યારે જ જીવનને સાચે આનંદ માણી શકાય. એ આનંદના અનુભવ માટે જ આ બધા અનુષ્ઠાન અને સાધનાઓ છે. આપણે બધા જીવનના જુદા જુદા ક્ષેત્રમાં રહીને એ આનંદને અનુભવીએ. દઃ ભિક્ષુ પપ સાયલા, તા. ૧૬-૧૦-૬૩ ૦ ૦ ૦ ખરી વાત તો એ છે કે આશ્રવનાં દ્વાર રેકી સંવરને દઢ બનાવવામાં વધુ લક્ષ રાખવાનું છે. પ્રતિક્રમણમાં મુદ્દાના આચરવા જેવા પાઠો તરફ ઉપગ રહે તે વધુ જરૂરનું છે, કારણ કે તેના ઉપર જીવે લક્ષ નથી આપ્યું. વ્યવહારની જાળમાં જ ગુંચવાઈ રહ્યો છે. ચેય તરફનું લક્ષ જ વિસ્મરણ થયું છે. જાણવા છતાં, સમજવા છતાં પૂર્વપ્રકૃતિના દબાણથી આચરી શકાતું નથી. પરંતુ આચરણમાં ગમે ત્યારે લાવ્યા વગર છૂટકે નથી. આ માટે સુંદર સગવડતાભ અવતાર મળ્યો છે તે તમે જાણે છે, છતાં વધુ જાગૃત રહેવા માટે લખું છું. અમૂલાં સાધનવાળાં, અમૂલા દિવસો ચાલ્યા જાય છે. ભ. મહાવીરે આચારાંગમાં કહ્યું છે તે સત્ય છે કે “સુત્તા અમુણિણો, મુણિણે સયા જાગરંતિ”. જેઓ જાગૃત છે તે ધન્ય છે. જાગે તે જગાડે, તરે તે જ તારે છે. એ સર્વને સંમત વાત છે. નથી થતું એ માટે પશ્ચાતાપ થાય, ખેદ થાય, એ માટે તાલાવેલી જાગે તે પણ સારું છે. જીવે ૨૫૨ Jain Education International જીવનઝાંખી www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy