________________
પષ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
માયામાં મુંઝાયો રે
(ભજન - ધીરાના પદની ઢબ). માયામાં મુંઝાય રે .... કામે નવ બેઠો કરી; અંતરને ઉઘાડી રે .. બેજ કરી જેજે ખરી . માયામાં ..ટેક
જન્મ ધર્યો જે કારણે, વેઠી દુઃખ અપાર;
વિસરી ગયા તે વાતને, ગંડુ થયો ગમાર. ફેંદામાં ફસાણ રે . . ફેગટને રો તું ફરી . માયામાં – ૧
લાભ કમાવા આવિયે, ખોટે થયે ખુવાર
દેવામાં ડુલી ગયો, લાલચથી લાચાર, ધુમાડે ધુંધવાયે રે ... મતિ તારી ગઈ છે મરી ... માયામાં – ૨
ઘરનાને પરના ગણી, ઘરને વા ઘાણ;
નિજ-પરના એ ભેદથી, કેવળ રહ્યો અજાણ દુશમનને દિલ આપ્યું રે.... અંતરના ન ઓળખ્યા અરિ ... માયામાં – ૩
કરવાનું કીધું નહિ, કીધુ અવર અનેક,
જોવાનું જોયું નહિ, વીસર્યો આત્મવિવેક. ઘેબીને ઝેર પીધું રે ... ભ્રષ્ટતા આ કયાંથી ભરી?... માયામાં – ૪
નિદ્રા તજ તું નયનથી, કર સદ્દગુરુનો સંગ;
સંતશિષ્ય” સુણ સ્વરૂપને, હૃદય ભરીને રંગ. સમજાવીને સદ્દગુરુજી રે ... હેતે પાપ લેશે હરી. માયામાં – ૫
સ્વભાવ દોષ (રાગ-હુમરી. ઢબ-બિગરી કૌન સુધારે) મૂળ પ્રકૃતિ મટાડવાના, ચતુર તજી દે ચાળા રે; ચિંતામણી ન બને ચકમકનાં, સુઘડ ભલે સુંવાળા રે..મૂળ૦ ૧ - સરલ થાય નહિ સ્વભાવના શઠ, માનીને મછરાળી રે,
અમર ફળેને એ અડકે નહિ, લબાડ ચાવે લાળા રે.... મળ૦ ૨ - ખર મટીને હય કદી નવ થાયે, રમણિક ભલે રૂપાળા રે;
શ્યામપણું તજી વેત બને નહીં, કદી કેલસા કાળા રે... મૂળ૦ - પકકા પથ્થર મહા મેઘથી, પલળે નહિ પલાળ્યા રે;
સુકાં વૃક્ષે સર્વ પ્રકારે, વળે ન કદીયે વળ્યા રે.... મૂળ૦ ૪ - પ્રયાસથી પણ નથી પલટતા, ઢળ્યા જેહના ઢાળા રે;
દુર્જન સજજનતા નહિ પામે, મેટી ફેરવ્યું માળા રે.... મૂળ૦ ૫ - ભલે ભણાવે ભાવ ધરીને, ભદ્ર ન કરે ભમરાળી રે;
સંતશિષ્ય સ્વભાવ સરળ વિણ, તૂટે નહિ ઘટ તાળાં રે... મૂળ૦ ૬
Jain Elan International
For Private & Personal Use Only
જીવનઝાંખી www.jainelibrary.org