________________
જય ગુરૂદેવ વિવધ નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિ ઋતિગટા
ખરાને બળનારાઓ, નીતિને તળનાશ;
દયામાં ડાલનારાઓ, કહેને જાગશે ક્યારે ? ... ૩ સુશાંતિ શેષનારાઓ ! અવરને બેધનારાઓ !
ધરમને ઢંઢનારાઓ ! કહોને જાગશે કયારે? ... ૪ પ્રભુને માનનારાઓ ! પ્રભુને જાણનારાઓ !
પ્રભુ માટે ખપી જાવા, કહોને જાગશે કયારે? ... ૫ પૂર્વના જે મહાવીરે, ઝુકાવ્યાં સત્યમાં શિરે
થવા એવા મહાવીરે, કહોને જાગશે કયારે? ... ૬ વીરના વેશને સજવા, પરાર્થે પ્રાણને તજવા;
પ્રભુને એ રીતે ભજવા, કહોને જાગશે ક્યારે? .... ૭ વખત નિદ્રાત વીત્ય, સૂવાની આ નથી રીતો;
ગવાશે આપણા ગીતે, કહોને જાગશે કયારે? .... ૮ પરાધીન થઈ પડયા રહેવું, હંમેશાં દુઃખને સહેવું;
જણાયે આ અજબ જેવું, કહોને જાગશે કયારે ? - ૯ ઊઠે આલસ્યને છોડી, પરસ્પર પ્રેમને જોડી
તમારા વાર્થને તોડી, કહોને જાગશે ક્યારે? .. ૧૦ સ્વપરના શ્રેય કરવાને, વિજયની લક્ષમી વરવાને;
કહ્યું આ “સંતના શિષ્ય', કહોને જાગશે કયારે? - ૧૧
અવનિમાં ગાંધીજી આવ્યા
(ગઝલ) જગતને બેધ દેવાને, જરૂરી વાત કહેવાને;
લઈ સંદેશ પ્રભુજીનો, અવનિમાં ગાંધીજી આવ્યા .... ૧ ભૂલેલાને માર્ગ બતાવા, સત્યના સૂત્ર સમજાવા;
અહિંસા ઔષધિ પાવા, અવનિમાં ગાંધીજી આવ્યા ... ૨ વધ્યા છે વીરને નામે, અનાચારે બહુ જગમાં;
નયનથી ન્યાય નીરખવા, અવનિમાં ગાંધીજી આવ્યા .... ૩ ધરમના નામના ઝઘડા, પરસ્પર દ્વેષના રગડા;
કળાથી કાઢવા માટે અવનિમાં ગાંધીજી આવ્યા. ૪ મહા મુશ્કેલીઓ સેવી, અડગતા રાખવી કેવી;
બતાવા જગતને જાતે, અવનિમાં ગાંધીજી આવ્યા .... ૫ ભૂલ્યા જે આર્યના પુત્ર, સુણવા ન્યાયનાં સૂત્રે;
વણિકને વેશ કાઢીને, અવનિમાં ગાંધીજી આવ્યા.... ૬ જીવવું કેમ આ જગમાં, વહે કેમ પ્રેમ રગરગમાં
ભણવા પ્રેમના પાઠો, અવનિમાં ગાંધીજી આવ્યા... ૭
Jain Eસતશિષ્યની કાવ્યસરિતા
For Private & Personal Use Only
૧૭૩ www.jainelorary.org