________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
- સુંવાળી શય્યા દેખી, જે નર સૂતા જી (૨)
મૂરખ બનીને મરાયા, પામર પ્રાણ હે તજી –૪ - માયાના સ્વરૂપમાં, જેહ મુંઝાયા છે (૨)
શંકના હાલે તે રિબાયા, પામર પ્રાણ હે તજી –૫ - “સંતના શિષ્ય કોઈ, કેઈ જન જાગ્યા છે (૨)
જાગ્યા તે કલ્યાણ કમાયા, પામર પ્રાણ હો તજી –
અધિકારની બલિહારી
(વટ સાવિત્રીની ઢબમાં) અધિકાર વિના આનંદ કદી નવ આવે રે, નથી ગુણ ગણુના ત્યાં કોણ સમય ગુમાવે રે; સમજે નહિ તેને શાસ્ત્ર શું સમજાવે રે?
અંધાને અપૂરવ ચીજ કેણ બતાવે રે ?...અધિકાર ૧ જેને નથી જેનું જ્ઞાન ત્યાં અકળાશે રે, અધિકાર વિના ભયભીત બની ભડકાશે રે, બેકદરને ભવભેદ કેણુ ભણાવે રે ?
જેને નથી જેની જરૂર તે શું જણાવે રે?...અધિકાર૦ ૨ ખર મારે ખરેખર ખીર ખાંડ ના ખાણે રે, સુખડની સરસ સુગંધ ધન શું જાણે રે? અત્તરથી કદી આનંદ ઊંટ ન આણે રે,
મણિ માળાથી શું એજ મરકટ માણે રે?... અધિકાર૦ ૩ જેનો જે હેય સ્વભાવ તેવું ગમશે રે, જેના પ્રેમી જે હોય ત્યાં તે રમશે રે; જેને મહેબૂત જ્યાં હોય ત્યાં તે સમશે રે,
જ્યાં જ્યાં જેનું બંધારણ ત્યાં તે ભમશે રે ... અધિકાર૦ ૪ આતમના અનુભવી વિરમે છે વૈરાગે રે, વૈરાગ્ય વગરના જીવ તે શું ત્યાગે રે? ત્યાગે તજવ નું તેહ ઘટમાં જાગે રે,
જાગે તે “સંતને શિષ્ય ભય સહુ ભાગે રે ...અધિકાર. ૫
અવિનીતના લક્ષણ
(ઢબ – જળ ભરવા દિયોને જમુના) અવિનીતને નથી કોઈ આશરે રે,
નરભવ એને નિષ્ફળ જ જાય... અવિનીત. ૧ પ્રતિબંધ પ્રતિકૂળ પડે આપતાં રે,
સાચી વાત એથી નહિ સમજાય. અવિનીત. - ૨
૧૬૮ Jain Education International
જીવનઝાંખી
For Private & Personal Use Only
www.jainelibrary.org