________________
}પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
અસંખ્ય જન્મ ધર્યા તનુ તનમાં, પૃથ્વી, પાણી, અનલ, પવનમાં;
તરફડીઓ ત્યાં બહુ તિમિરના તાનમાં રે..સમજાવું છે -- ત્યાં કયાં માન હતું કહે તારું? દિલ હતું જ્યારે દુખિયારું
ભૂલી ગયો શું વખત બધો બેભાનમાં રે..સમજાવું -૫ મળે જન્મ આ મહાસંકટથી, વિચાર કર વહાલા! તું ઘટથી;
અંધ બનીને આથડ નહિ અજ્ઞાનમાં રે..સમજવુ ૦ ૬ સંતશિષ્ય” સ્નેહે સંભળાવે, બોધ શાસ્ત્રને કહી બતાવે;
વખત ગયો નહિ આવે કહું છું કાનમાં રે.સમજાવું. --૭
હિતશિક્ષા
(રાગ – સેરઠની ગઝલ) કહું વાત વા'લા! વિચારજે, ખૂબ ધ્યાન આપીને ધારજે.ટેક
કૂવાથંભ સત્ય કરાવજે, સમજી સુકાન ફેરાવજે,
લક્ષ ધ્રુવ પર તું લગાવજે, ચાતુરીથી વહાણ ચલાવજે..કહું, ભ્રમણાઓ માર્ગ ભુલાવશે, પાસલા રચી પકડાવશે;
માયા તોફાન મચાવશે, ચેરે ચિત્તને ગભરાવશે..કહું શઢ શ્રદ્ધાનો ફરકાવજે, ભયસ્થાનમાં ન ભરાવજે;
નયને ઉઘાડી નિહાળજે, વમળોથી નાવને વાળજે..કહું હેડી હામ રાખી હંકાર, વિદનો બધાએ વિદારજે;
મોહ - માન મગરને માર, વિષ ખરાબાથી વારજે..કહું ગંડુ થઈ ન કાળ ગુમાવજે, આનંદ બંદર આવજે;
સાચા નાથને સંભારજે, “સંતશિષ્ય' પાર ઉતારજે..કહું
ઉબેધન (રાગ - માઢ. ઢબ - આ શું ઠેસ વાગી રે (૨)) ગાડ્યા શું જાગતા નથી રે (૨) તજવાનું ત્યાગતા નથી;
આતમ શ્રેયના કામની પાછળ લાગતા નથી રે... જગાડ્યા. ટેક કહી કહીને થાકયા ગુરુવર, આવ્યું ન આત્મજ્ઞાન;
અળગું ન કર્યું શ્રેયને માટે, અંતરનું અભિમાન ... જગાડયા દુઃખના કારણુ દેહમાં રહે, એ ભેદનું ના'વ્યું ભાન;
શોધે છો તે તે છે તમ સાથે, આથડે શાને આમ?... જગાડ્યા પામરૂપ પરાધીનતામાં, કાઢયે કાળ અનત;
કાઢવા પાંચ પ્રમાદને કાદવ, આણવા ભવનો અંત... જગાડયા ભાગવાને ભયના સ્થળમાંથી, માગવા પ્રભુની મેર;
ત્યાગવા આતમનું ઘનતિમિર, લેવા જ્ઞાનની લે'... જગાડયા જોખમ છે જબરું તમ માથે, સૂવાનું આ નહિ સ્થાન;
સંતશિષ્ય” સાવધાનપણે રૂડા, ભજવાને ભગવાન ... જગાડયા
સંતશિષ્યની કાવ્યસરિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org