________________
પm ગુરુવ ડવિય પ. નાનચન્દ્રજી મહારાજ ભશતાલિ અતિથિ
ઊઠ રે ઉડાડ ઊંધ તાહરી (રાગ-પ્રભાત. ઢબ-પઢે રે પોપટ રાજા રામના ) ઊઠ રે ઉડાડ ઊંઘ તાહરી, અવધિનો દિન આવ્યો; નયન ઉઘાડી નિહાળ તું, દિનકર જે આ દેખાયો... ઊઠ૦ પરહર શમ્યા પ્રમાદની, આળસ તજ અભિમાની; મોહ-મમત્વને મેલ તું, મુનિવરનું કહ્યું માની... ઊઠ૦ નાહિંમત નિર્બળ• તને, કુમતિ તારી કરાવે; ઊલટું સુલટું સમજાવીને, હિંમત તારી હરાવે; ઊઠ૦ સૂલે રે બહુ સંસારમાં, યુગના યુગ અનંત; અવસર ગયે અજ્ઞાનમાં, શેધ તું સમરથ સંત.... ઊઠ અજર અમર લે એાળખી, સાચા જેહ સખાય; શરણું લે પુરુષનું, અવળા તજીને ઉપાય, ઊઠ૦ નિર્ભય નાથ નિરામયી, ભજ ભયહર ભગવંત “સંતશિષ્ય” પ્રભુ નામથી, આવે દુઃખડાને અંત... ઊઠ૦
સાધના ત્યાં લગી સર્વ કાચી
(પ્રભાતિયું) - જ્યાં લગી આત્મ નિજસ્વરૂપ સમજ નથી,
સાધના ત્યાં લગી સર્વ કાચી; ઘાણીના ઊંટનો પંથ ઘટતો નથી,
સાધના સમજણે થાય સાચી .... ૧ શું થયું મસ્તકે મુંડ કરવા થકી?
શું થયું ભેદ વિણ ભસ્મ ચોળે ? થે જઈ સ્નાન કરવા થકી ?
શું થયું વેદના વાકય બોળે? ... ૨ - શાસ્ત્રના સર્વ અભ્યાસથી શું થયું?
શું થયું સંતનો વેશ ધર? જ્ઞાન વિણ શું થયું યમ અને નિયમથી?
શું થયું વડી વડી વાત કરે? .... ૩ - અગ્નિના કુંડ પર અધઃ મસ્તક કરી,
ઉગ્ર તપ આદરી કંઈક મરિયા; કાશી કરવત ચડી પર્વતેથી પડી,
તત્ત્વ જાણ્યા વિના કેણ તરિયા? .... ૪ - શું થયું સર્વ સિદ્ધાંતના શ્રવણથી?
શ્રેની છાપ જગમાં છપાયે; અધિક આડંબરે માન ખૂબ મેળવી,
શું થયું સર્વના ગુરુ થપાયે? .... ૫
Jain Eag X8 International
જીવનઝાંખી
Jain Educato International
For Private & Personal Use Only
www.jainelibrary.org