________________
ટેપૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
- ભૂલ સુધારી ભવભવ કેરી, સઘળા દોષ સમાવે;
અવળા પંથ બધા અળસાવી, સાચે પંથ સુણાવે. શુદ્ધ -૩ - ભીતરનું ભ્રમણ સ્થળ ભાંગી, નિર્ભય સ્થળ નિરખાવે;
વેર-ઝેરની લહેર ઉતારી, નિર્વિષ બુદ્ધ બનાવે. . . શુદ્ધ૦ -૪ પ્રબળ પાપનાં પડળ ઉતારી, અંતર નયન ખુલાવે;
“સંતશિષ્ય દુઃખ સર્વ હઠાવી, અપૂર્વ સ્થાન અપાવે. શુદ્ધ –૫
.
પ્રવચન પ્યાલ
(ભજન-ધીરાના પદની ઢબ) પિયાલો મને પાયે રે... પ્રવચનનો ભાવે ભરી; સદ્દગુરુ સાચા મળિયા રે ... દુઃખ મારાં લીધાં હરી. પિયાલેટેક
પહેલે પિયાલે સમરસતણે, પાયે ધરીને પ્રેમ;
વિષમદષ્ટિ કરી વેગળી, જાદુ કરે કે જેમ. દેને દૂર કીધાં રે . અંતરનાં ઓળખ્યા અરિ . પિયાલો૦ -૧
બીજે પિયાલે બહારનું, ભૂલી ગયો સહુ ભાન;
અંજન કર્યું અંતર વિષે નિરખ્યું પરમ નિધાન. તિમિર ઘટ ટાળ્યું રે .... પરમ પ્રબંધ કરી .. પિયાલો૦ -૨
ત્રીજે તાળાં તેડિયાં, સમજાવ્યો નિજ સાથ;
પડતાં મૂક્યાં પર બધાં, નિકટ નિરખિયો નાથ. દવાયું એવી દીધી રે ... મત મૂઢતા ગઈ મરી .. પિયાલે. –૩
ચોથે પિયાલે ચિંતા મટી, મટયે માયાને સંગ;
અમૃત સ્થળને ઓળખ્યું, અપૂર્વ થયે ઉમંગ. અમૃત ઘટડામાં રે ... ઝરમર ઝરમર રહ્યું છે ઝરી ... પિયાલો૦ -૪
પાંચમે પ્રેમ પ્રગટાવિયે, જળહળ દીઠી ત
નગર બધું નિરખી રહ્યો, અવિચળ થયે ઉત. કામણ એવું કીધું રે ... જૂઠી બાજી ગમે ના જરી .. પિયાલો૦ -૫
છ સ્વરૂપને સમજિયે, ભયનો ટળિયે ભાસ;
રેડી રસાયણ હૃદયમાં, નિર્બળતા થઈ નાશ. પથ્યાપથ્ય પરયું રે .. ઠેકાણે જઈ બેઠો ઠરી ... પિયાલે–
જીવ, ઈશ્વર ને જગતને, નિચ્ચે સમજે ન્યાય;
સંતશિષ્ય સુખ અનુભવ્યું, સદ્દગુરુ થયા સખાય. ભ્રમણુનું સ્થળ ભાંગ્યું રે ... ભદધિ ગયા તે તરી ... પિયાલ૦ -૭
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૩૯ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only