________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સદગુરુ પ્રત્યે નિવેદન (બ- મહેતાજી રે શું મહી મૂલ બતાવું?) એક અરજી રે... સદ્ગુરુ આપ સ્વીકારી
ધ્યાન વિષે ગુરુ ધારી. ટેક. આ આશ્રિત આપના જાણી રે, લાગણીઓ અધિકી આણી રે; ગુરુ ! પૂરણ અમને પિછાણી -
ગુણ ખાણી રે.... પ્રેમનાં કિરણ પ્રસારી ... ૨૦ ૧ કહે અન્ય સ્થળે કયાં જઈએ રે ? બીજા કોનું શરણું લહીએ રે ? કોની આગળ કથની કહીએ રે? –
દુઃખ સહીએ રે... અવધૂ લેજો ઉગારી... ૨ એકે વાત નથી સમજાતી રે, મુંઝવણુ મનમાં નથી માતી રે? નથી જયની વાત જણાતી રે –
સમજાવી રે. સંશય ના સંહારી ... ૯૦ ૩
જયાં ત્યાં ભયભડકા ભાસે રે, ત્રાય બાય કરી મન ત્રાસે રે, નિર્ભય બનવા બહુ નાસે રે
કયાં જઈએ રે... અમને ઓથ તમારી ... તો. ૪ એક આશ્રય અમને તમારે રે, ભવસાગર પાર ઉતારો રે, મટે જેમ માયાનો મુંઝારો રે–
ન વિસરે રે... અમ આતમ અધિકારી .. . ૫
કહેતાં પણ નથી કહેવાતું રે, કીધા વિણ નથી રહેવાતું રે; નથી ખલકનું દુઃખ ખમાતું રે
આ વાતું રે... ન મેલશે નાથ વિસારી... - ૬ ઊંચું અંજન આંખે લગાવો રે, શુદધ મારગડે સમજાવે રે; લીએ “સંતશિષ્ય’ એ લા રે
ગુરુ આગળ રે અરજી એહ અમારી યો૦ ૭
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૩૫ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only