SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પષ્ય ગુરૂદેu ફવિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ પ્રાર્થના (રાગ-તું રે તારા બિરુદ સામે જોજે). તમે તો તમારા બિરુદે જોશે જગદીશ્વર ! ન જોશે કરણ અમારી રે વાલા ..... તમે. ટેક તમારા ખેાળામાં મેં મસ્તક મૂકયું રે (૨) બળતાથી લેજે બચાવી રે વાલા .... તમે ૧ ભૂલી જાઉં ભાન ત્યારે સ્મરણ કરાવજો રે (૨) અદશ્ય શક્તિરૂપે આવી રે વાલા. ... તમે ૨ પામર સમજી મને પડી જતાં ઝીલજોરે (૨) ટેકાથી રાખજે ટકાવી રે વાલા ... તમે ૩ આડા ને અવળા પંથ અળગા મેં મૂકીઆ રે (૨) ભક્તિ તમારી મને ભાવી રે વાલા . તમે ૪ અસત્યના મારગડામાં આવી પડું તે રે (૨) સત્ય મને દેજે સુણાવી રે વાલા તમે પ ઈરછા વિના દેવ અધર્મમાં જે તે રે (૨) જગપતિ દેજે જણાવી રે વાલા ... તમે ૬ નિદ્રા આવે તે મને નાથ જગાડજો રે (૨) દાસ ઉપર દયા લાવી રે વાલા ... તમે ૭ કરગરી કગરી કરગરી કહે છે રે (૨) સંતશિષ્ય શિરને નમાવી રે વા'લા તમે ૦ ૮ પ્રાર્થના (ઢબ– જળ ભરવા દિને જમુના તણું રે) દયાદષ્ટિ વા'લા! દાસપરે રાખજો રે, નમ્ર વિનંતી કરું છું વારંવાર ....દયાદષ્ટિ૧ પ્રભુ વેદ તણા ભેદ નથી જાણતે રે, નથી જાણત સ્વરોદયને સાર ... દયાદષ્ટિ ૨ મને યમ નિયમ (ને) આસન આવડે નહિ રે, " નથી વિદ્વત્તા ભરેલા વિચાર .... દયાદષ્ટિ. ૩ ક્રિયાકાંડમાં હું કશું ય સમજુ નહિ રે, | ગુપ્ત ભેદ ન હું ભણનાર ... દયાદષ્ટિ. ૪ આપ ભજન વિના અન્ય આવડે નહિ રે, . નિરાધારના અચળ છે આધાર... દયાદષ્ટિ ૫ ઝાઝાં શાસ્ત્ર ને સિદ્ધાંત નથી જાણતે રે, સદા આપનું સ્મરણ કરનાર - દયાદષ્ટિ. ૬ આપ વિના મને અવર નથી આશરે રે, સંતશિષ્ય’ તણું હૃદય શણગાર ... દયાદષ્ટિ. ૭ ૧૨૮ Jain Education Interational જીવનઝાંખી www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy