SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ છું કે તમે! તમારી સામે વાંદરા અને કુર્લામાં ચાલી રહેલાં રાક્ષસ જેવા કસાઇખાના જુએ, એ વધુ ચેાગ્ય છે. તે સ્મરણ થશે. જેવા દૂધ પર તમે। નળ્યા, મેાટા થયા, તે તમારી ધાવમાતા કંપી ઊઠશે. પર પીડાને જે યથાર્થ જાણે, પારકાનાં દુઃખ દેખી જે દુઃખી વૈષ્ણવ, તેજ જૈન, તેજ હિંદું, તે જ સાચે! ઇસ્લામી અને તે જ ખરે ગુણા જીવનવ્યાપી અને ત્યારે જ (ગાપાલ) કૃષ્ણ-ભક્ત ખની શકાય. ’ જોવાથી ગે।પાલકૃષ્ણુની આજ્ઞાનું તમને સાચુ (ગામાતા) ના હાલ જોઈ તમારાં કલેજા થાય અને પોતાથી બનતુ કરી છૂટે તે જ ક્રિશ્ચિયન. આવા આવા ખીજા ઘણાયે ઉત્તમ સ્વ સમુ* માનવજગત “અસલી પ્રસન્નતા સાધવી એ જ સંસારનું સ્વર્ગ છે; ખોકી બધાં ફાંફાં છે. ‘મનુષ્ય એટલે સયેાગાધીન પ્રાણી.’ · મનુષ્ય એટલે પંચ મહાભૂતનું આકસ્મિક બની ગયેલુ સચેતન પૂતળું.' આવી વ્યાખ્યાઓ ભૂલી જઇને મનુષ્ય એટલે નૈસર્ગિક લક્ષ્મી અને સૂક્ષ્મ શક્તિઓને અઢળક ભંડાર, દેવનું પૂજ્ય પાત્ર અને પ્રભુનું સંચેતન કેન્દ્ર, એનું જ ખાળક; એ ભાવના અણુએ અણુમાં એતપ્રેત થવી જોઇએ. નિર્મળતા, વહેમ, અવિશ્વાસ અને પામરતા જેવા વળગાડને જાગૃત મની ખખેરી નાખવા જોઇએ. એટલે તમારાં હૃદય સ્વર્ગીય મનવાનાં, એ નિઃસદેડ વાત છે.” આશ્રમજીવનના ક્રમિક વિકાસ “સાચેા વાચક બન્યા પહેલાં લેખક બનનારા નિષ્ફળ જાય છે, અને સાચા લેખક બન્યા પહેલાં પત્રકારૂ ખનવાની ઉતાવળ કરનારા એ રીતે જ સફળ થતા નથી. તે જ પ્રમાણે શરૂઆતમાં બ્રહ્મચર્યાશ્રમની ઉચ્ચ કક્ષાએ પાસ થનારા જ ગૃહસ્થાશ્રમને સાચી રીતે માણી શકે છે. અને સાચા ગૃહસ્થ જ વાનપ્રસ્થ જીવનની જવાખદારી સમજી શકે છે. પરંતુ આ બધી પરીક્ષાઓમાંથી પાસ થયા વગરના કાચા બ્રહ્મચારી ગૃહસ્થાશ્રમી ખને, તે પછી વાનપ્રસ્થ થઇ જવાની ઉતાવળ કરે ને છેવટે સન્યસ્ત લઇને જગતના ઉધ્ધાર કરવાની પહેલ કરે તે પ્રથમ પાયે જ કાચા હોય ત્યાં સફળતા કયાંથી સાંપડે? એવા સાચા ધર્મ પાળી શકવા માટે સત્સંગની ખાસ જરૂર રહે છે. અને સત્સંગ સારા વાંચનમાંથી સાંપડી રહે છે. વાંચનને અપનાવવા માટે સારાં-સારાં પુસ્તકને ઘરમાં વસાવવા જોઇએ અને એવાં પુસ્તક વાંચવાની ટેવ પાડવી જોઈએ. સારું વાંચન ન હોય તેા સારા અને ઉચ્ચ વિચારા ન થાય; અને તે વગર શુદ્ધ વર્તનની આશા કેવી રીતે રાખી શકાય? ” શુદ્ધ ધર્મનો આધકાર “જેમ આકાશને કાઇ સીમા નથી તેમ ધર્મને કેાઈ સીમા નથી (ધર્મજીવનના સર્વાં ક્ષેત્રામાં, સર્વ પ્રાણીએમાં વ્યાપ્ત રહી શકે છે.) પુણ્ય કબ્યામાં ઊંડે ઊંડે પણુ બદલાની આશા રહે છે. જૈનષ્ટિએ કહેા તે પુણ્યનુ ફળ વધુમાં વધુ મળે તે સ્વર્ગ મળે. પણ પુણ્ય મેક્ષે તેા ન જ પહોંચાડી શકે. કારણ કે પુણ્યશાળી જે કાંઈ સેવા, ભજન કે પરાપકાર કરે તેમાં તન, મન, વચન અને ધનાદિ સાધના જોડે છે ખરે, પણ મુખ્યત્વે તેમાં આત્મા નથી ભળતા. એટલે કાઈક પ્રકારે ઇચ્છા કે અનિચ્છાએ નામનાનેકે કામનાને મેહ એમાં આવત્તા રહે છે અને તે આશા-તૃષ્ણાથી છેક મુકત થવા દેતા નથી. ત્યારે ધર્મની તે। શરૂઆત જ હૃદયશુદ્ધિથી થાય છે. કામનાવાળાં પુછ્ય જીવને ભારે બંધનરૂપ થઇ અનર્થની પરંપરા ઉપજાવે છે; પણ નિષ્કામવૃત્તિથી ખદલાની ઈચ્છા વિનાનાં પુણ્ય ધનરૂપ થતાં નથી, પણ શ્રેયના માર્ગે લાવી મૂકે છે. જેણે નીતિના પાઠ પાકા ન કર્યા હાય, માણસાઇ (મનુષ્યત્વ) પ્રાપ્ત કરી મિત્રાદિ ચાર યાગઢષ્ટિઓમાંથી પસાર થયા ન હોય એ માર્ગને અનુરૂપ સેવાદિ પુણ્ય કાર્યો જેણે ન કર્યા. હાય, તે નિર્જરાના ફળવાળા ધર્મના પાઠને અધિકારી જ નથી બની શકેતેા. મીડી માનવતા વિના મૌલિક (આત્મ) ધર્મની પ્રાપ્તિ અશકય છે. જૈનદર્શન, એ ઉન્નત કક્ષાના સાધકનું દર્શન છે. આજે ભૂમિકા વિના જાતિગત જૈનધર્મ પળાય છે અને જૈનસૂત્ર વંચાય છે, એનું પરિણામ અપચામાં પરિણમ્યું છે. ખીજા ધર્મો પણ પાત્રતા તેા માગે છે જ, પણ જૈનધમ તેા ભારે કડક પાત્રતા માગે છે.’’ મહામંગળ સ્વરૂપ ધ ‘ભગવાન મહાવીરને ચરણે ગૌતમસ્વામીએ પ્રશ્ન મૂકા− “પ્રભુ ! કઈ વસ્તુ એવી છે કે જેમાં કદી અમગળ ન થાય? જવાબમાં ભગવાને ક્રમાવ્યું કે જેના પલટાવાનો ધર્મ નથી, તે પદાર્થ જ મંગળ છે” અર્થાત્ આત્મધર્મ જ મહામગળ છે; અને તે અહિંસા, સંયમ અને તપની ત્રિપુટીથી સધાય છે. એવા મહામંગળરૂપ આત્મધર્મમાં જે જીવનુ ચિત્ત લીન થયું હાય, એને ચરણે દેવેા પણ ઢળી પડે; તે મનુષ્ય, પશુ આદિનું તે પૂછવું જ શું? આવા ધર્મનું પ્રવચન પરિમલ Jain Education International For Private Personal Use Only ૧૨૧ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy