SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Wannurre n ar શાસૂચક મારવાથી થતું પાપ, કેઈ ને પરોપકાર કરવાથી તે ધર્મ તે કઈ ચક્ષુથી જોયું? શાસ્ત્રની ચક્ષુથીને ? એક જૂનું બેલ્યો. એક સાચું બોલ્યો. જૂઠું બોલનારને પાપી કહ્યું, સાચું બોલનારને ઘમ કહ્યો તે શાથી? શાસ્ત્રની ચક્ષુથી. - દયામાં ધર્મ તથા હિંસામાં પાપ, સાચામાં ધર્મ અને જૂઠામાં પાપ, શાહુકારીમાં ધર્મ અને ચેરીમાં પાપ, બ્રહ્મચર્યમાં ઘર્મ અને રંડીબાજીમાં (વ્યભિચારમાં) પાપ, આ બધું માનવામાં આવે છે, તે શાથી? ચર્મચક્ષુથી એ નથી મનાતું પણ કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી એ જણાય અને તેવાળાના વચનોથી મનાય છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી દેખાવાનું છે. કેવળજ્ઞાન સર્વવ્યાપક છે. પણ એ લખાણ વગરને સેદે છે. લખાણ વગરના સોદાની બીજાને શી માલૂમ પડે? કોર્ટ લખાણને દો મંજૂર કરે છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી કાલેક બધું માલૂમ પડે પણ શાસ્ત્રરૂપી લખાણ ન થાય ત્યાં સુધી જગરૂપી કેર્ટ મંજુર કરે નહિ. ચાર જ્ઞાન મૂંગા છે. તેમને પ્રકાશક કોણ? હીરાનું તેજ ત છે, તે હોય ત્યાં ઝળકે છે. ત ન હોય તે કિંમતી હીરા અને પથરામાં ફરક નથી. આ બધું શ્રુતજ્ઞાન દ્વારા એ પ્રકાશમાં ન આવે તે કેવળજ્ઞાન સુધીના જ્ઞાન પામેલામાં અને અજ્ઞાન જીવમાં ફરક પડતો નથી. જેઓને સજજનમાં ગણાવું હોય તેવાને શાસ્ત્રરૂપી આંખ ખૂલ્લી રાખી તે દ્વારા જેવું પડશે. શાસ્ત્ર વગર પુણ્ય-પાપ કેણ બતાવશે? જીવાજીવાદિ તો કેણ સમજાશે ? જેને શાસ્ત્ર જૂનું હેવાથી ખરાબ લાગે તેણે પોતાના મેના આકાર ફેરવવા પડશે. જેને પચીસ વર્ષનાં વચનોમાં શરમ આવે છે તેઓ લાખો, કરડે વર્ષોનાં મેં આદિના આકાર કેમ એના એ જ માને છે? શાસ્ત્ર ન માનનારથી પાપ, પુણ્ય, ધર્મ, અધમ કંઈ બોલી નહિ શકાય. જે લોકેને નાસ્તિક બનાવવા હોય તે જ શાસ્ત્રને ખસેડી નાંખવાં. અર્થાત શાસ્ત્રને ખસેડવાથી લેકે નાસ્તિક બને છે. ધૂળ ઉછળાવવી હોય તે પહેરેલું કાઢી નાખવું. પહેલું કાઢી નાંખે તે લોકો આપોઆપ ધૂળ ઉછાળશે.
SR No.011639
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy