________________
૩૩૭ તે ત્યારે જ થાય કે જ્યારે આત્મા પુણ્યના માર્ગે વિચારે છે. આત્માને પુણ્યના રસ્તા વિચારવા માટે આઘે જવાની જરૂર નથી ! એ રસ્તા એના હાથમાં જ છે.
કસ્તુરી મૃગની મહદશા આત્માને પુણ્ય પ્રાપ્તિના રસ્તા માટે બહાર જેવાની જરૂર નથી. તે રસ્તા તેના આત્મામાં જ સમાએલા છે પરંતુ પેલા કસ્તુરી મૃગની માફક એ રસ્તા મેળવવા માટે દૂર દૂર જ ભાગે છે ! મનુષ્યત્વની પુણ્યપદ્ધતિ બાંધવાની તાકાત બીજા કોઈનામાં નથી, પરંતુ આત્મામાં– પિતાનામાં જ રહેલી છે. તે બીજા પાસેથી લાવવાની નથી.
આપણું માનસ કેવું છે? આ જીવને સદાચાર તરફ સ્વાભાવિક વલણ નથી, પરંતુ દુરાચાર તરફ સહજ વલણ છે, દુરાચાર આદરવા માટે તમને નેતરું આપવાની જરૂર જ પડતી નથી ' અને સદ ચાર આદરવા માટે નોતરું મળે તે પણ તમારી ત્યાં જવાની પ્રવૃત્તિ રહેજે હતી નથી. અપલક્ષણ તરફ આત્માને ચાહ સ્વાભાવિકપણે જ રહેલે છે. કેવળ માણસોની જ વાત નથી, પશુઓમાં પણ એ જ વાત છે. તમે ઘડાને ઘાસ નાંખી બારણે બાંધ્યો હોય અને તેની પાસે જ તમે ઘાસ નાખીને બીજે ઘેડે બાંધશે તે દરેક જણ પોતાના મેં આગળનો ઢગલો કાયમ હોવા છતાં એક બીજાને ઢગલો જોઈને જીભ લપલપાવશે, અર્થાત્ આત્મા આરંભ, પરિગ્રહ, વિષય, કષાય તરફ તૈયાર જ છે, કાંટામાં પડવું અથૉત્ નરકે જવું અને તેના માર્ગભૂત વિષયાદિ સેવવાં એ બાજુએ આ જીવ ઉપદેશ વિના જ મૂકી પડેલો છે, જયારે બીજી બાજુએ તમે જુએ છે કે સદાચારે તે વાળેલો પણ વળ નથી !
કેદખાનાં, દવાખાનાં અને મંદિરે. કોઈ એવી દલીલ કરતે આવશે કે જીવનું સ્વાભાવિક વલણ તે પાપ કરવાનું જ નથી, તે તેની એ દલીલ ટકી શકવાની જ નથી. આ જૈનેતર જગતમાં કેદખાનાં અને દવાખાના વધારે છે પણ
૨૨.