________________
આનંદ પ્રવચન દર્શન
\
\
\
છે કે આસ્તિક દેવ, ગુરૂ, ધર્મ એ તત્ત્વત્રયીને માને છે તેમાં મૂળ આધાર ભૂત દેવતત્વ જ છે. ગુરૂ તે જ મનાય છે કે જે દેવે કહેલા આચારમાં વતે દેવે કહેલો આચાર તે ધર્મ મનાય છે. અન્ય મતોમાં પ્રથમ ભૂલ અહીં જ થાય છે. તેમને દેવતાવ સુંદર મળતું નથી તેથી ખૂલું છે કે ગુરૂતત્ત્વ તથા ધર્મતત્ત્વ પણ સુ દર મળી શકે નહિ.
મનુષ્યભવની સુંદરતા દેવતવની સુંદરતા ઉપર આધાર રાખે છે. માટે જ મનુષ્ય માત્ર દેવતત્વને ખાસ વિચાર કરવાને છે મનુષ્યભવ દેવત ના ભવથી પણ મુશ્કેલીથી મળે છે દેવતાને ઉપજવાનાં સ્થાન મનુ કરતા અસ ય ગણ છે જે પદાર્થો ઘણા હોય તેમાંથી ઉમેદવાર કોઈ પણ પામી શકે છે. થોડી વસ્તુઓના ઉમેદવારોમાં ઘણાને નિરાશ થવું પડે ૯૮ સ્થાનઃ તેમાં ગમ જ મનુષ્યનું સ્થાન ઓછામાં ઓછું છે તેના કરતા બી જી કઈ પણ ઓછી જાત નથી. દેવતાની જાત લગભગ પ૦-પપમાં નંબરે છે.
મનુષ્યપણાનાં સ્થાન ઓછાં હોવાથી ઘણા ઉમેદવારે નાસીપાસ થાય. દેવકનાં સ્થાનો ઘણું અને ઉમેદવાર ડા, કેમકે દેવતાઓ, નારકીઓ, વિકલે દ્રિય કે એકે દ્રિયના જીવે દેવલોકમાં જઈ શકતા નથી એટલે એટલી જાતિના ઉમેદવારે તે આપોઆપ ઓછા થાય છે દેવતાની ગતિને લાયકના જીવ ઘણા થોડા છે. મનુષ્ય ગતિને લાયકના જીવ ઘણું છે. અનંતક યમાંથી નીકળેલો મનુષ્ય થાય. આમ મનુષ્યપણાના ઉમેદવારે ઘણું છે.
આપણને આવુ દુર્લભ મનુષ્યપણું મળી ગયું ઉમેદવારી પાસ થઈ ગઈ.પણ મળેલુ મનુષ્યપણું બાદશાહના ખાજાના ભૂકા જેવું થઈ પડયું છે.
એક વખત બાદશાહ તથા બીરબલ ગોખમ ઊભા છે ત્યાં માગે, એક દુબળે ભિખારી પસાર થાય છે તેને તે હાલતમાં જોઈ બાહશાહ બીરબલને પૂછે છેઃ “બીરબલ! યે દુર્બલ દુબળા કયું ?”
બીરબલઃ “જહાંપનાહ ! ઉનકો ખાનેકા નહિ મીલતા !”
બાદશાહઃ “ખાનેકા નહિ મીલતા ? બેવફફ હૈ કહીંકા ? ખાનેકા ન મલે તો ખાજેકા ભૂકા કયૂ નહીં ખાતા ?”