SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫. પંચસંગ્રહ-ચતુર્થદ્વાર ભંગ થતું હોવાથી કાયસ્થાને એક સૂકી પૂર્વેત ક્રમે અને ગુણાકાર કરતાં ભાંગા તેરસો વીસ ૧૩૨૦ થાય. આ પ્રમાણે દેશવિરતિ ગુણસ્થાનકે આઠથી ચૌદ સુધીના બંધહેતુના કુલ ભાંગા એક લાખ ત્રેસઠ હજાર છસે અને એશી ૧૬૩૬૮૦ થાય. ૧૨ આ રીતે દેશવિરતિ ગુણસ્થાનકના બંધહેતુ કહ્યા. હવે પ્રમત્ત, અપ્રમત્ત ગુણસ્થાનકના પાચથી સાત સુધીના બંધહેતુના ભાંગા કહેતાં પહેલાં યોગના સંબંધમાં પ્રમત્ત અપ્રમત્ત ગુણસ્થાનકે જે વિશેષ છે તે કહે છે– दोरूवाणि पमत्ते चयाहि एगं तु अप्पमतमि । जं इथिवेय उदए आहारगमीसगा नस्थि ॥१३॥ द्वे रूपे प्रमत्ते त्यज एकं तु अप्रमत्ते । यस्मात् स्त्रीवेदोदये आहारकमिश्रको न स्तः ।। १३ ॥ અઈ–વેદ સાથે રોગને ગુણાકાર કરી તેમાંથી પ્રમત્ત ગુણઠાણે બે રૂપને અને અપ્રમત્ત ગુણઠાણે એક રૂપને ત્યાગ કરે. કારણ કે સ્ત્રીવેદને ઉદય છતાં પ્રમત્તે આહારક અને આહારકમિશ્ર એ બે રોગ અને અપ્રમત્તે આહારક કાગ હેતે નથી. ટકાન–જો કે આ ગાથામાં વેદ સાથે મેંગોને ગુણવાનું કહ્યું નથી છતાં પહેલાંની ગાથામાંથી તેની અતુવૃત્તિ લેવાની છે. તેથી અહિં પદેને આ પ્રમાણે સમન્વય કરે. પ્રમત્તસંયત અને અપ્રમત્ત સંયત ગુણઠાણે પહેલાં વેદ સાથે તે તે ગુણઠાણે જેટલા ગે હોય તેને ગુણાકાર કરો. ગુણીને જે આવે તેમાંથી પ્રમત્ત સંતે બે રૂપ ઓછો કરવા અને અપ્રમત્ત સંયતે એકરૂપ ઓછું કરવું. છે અને એક રૂપ શા માટે ઓછું કરવું? તેનું કારણ કહે છે–ીવેદને ઉદય છતાં આહારક કાગ અને આહારકમિશ એ બે પેગ લેતા નથી. કેમકે સ્ત્રીઓને ચૌદ પૂર્વના અધ્યયનને અસંભવ છે, ચૌદપૂર્વના જ્ઞાન વિના કેઈને આહારકલબ્ધિ હેતી નથી. ચૌદપૂર્વનું અધ્યયન શા માટે હેતું નથી ? તે કહે છે સ્ત્રીઓને દષ્ટિવાદના અધ્યચનને નિષેધ કર્યો છે માટે. શાસ્ત્રમાં કહ્યું છે કે સ્ત્રીઓ સ્વભાવે તુચ્છ છે, અભિમાન બહુલતાવાળી છે. ચપળ છે, ધીરજ વિનાની છે એટલે જીરવી શકતી નથી. અથવા બુદ્ધિ વડે મંદ છે માટે અતિશયવાળાં જેની અંદર અધ્યયને રહેલા છે, તે દષ્ટિવાદના અધ્યયનને સ્ત્રીઓને નિષેધ કર્યો છે?
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy