SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ १७६ ( લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ . • - - - યક્ષ ભગવાનના તપત્યાગ દેખી હજ ભગવાનની પૂજા કરવા લાગ્યા. સાતિદત્ત દેવાથી ભગવાનની પૂજા દેખી આશ્ચર્ય પામ્યું અને તેણે જીવ સંબંધી પ્રશ્નો પૂછયા. ભગવાનને જીવસિદ્ધિ ઉપર યુક્તિયુક્ત ઉત્તર સાંભળી હવાતિદત્ત આનંદ પામે. અને ભગવાનને , ભક્ત બન્ય. તેરમું વર્ષ ચાતુર્માસ પૂર્ણ થતાં ભગવાન વિહાર કરતા કરતા જભિયગામ, મેઢિયગામ પણમાણિગામ પધાર્યા અને ગામની બહાર કાઉસગ ધ્યાને રહ્યા. ઉત્કૃષ્ટ ઉપસર્ગ, આ અરસામાં ભગવાને ત્રિપૃષ્ઠના ભવે જે શય્યાપાલકના કાનમાં સીસુ રેડાવ્યું હતું તે શય્યાપાલકનો જીવ સંસારમાં રખડતાં રખડતાં ગોવાળ થયે હતો. તે ભગવાન પાસે આવ્યું અને ભગવાનને બળદ પી ગામમાં ગયે. થોડીવારે ગામમાંથી પાછો ફર્યો ત્યારે તેણે બળદ ન જોયા તેથી તેણે ભગવાનને પૂછયું “હે મુનિ ! મારા બળદ કયા ગયા?” ભગવાન મૌન રહ્યા. ગોવાળે ફોધપૂર્વક ફરી ફરી બૂમ પાડી પૂછયું અને કહ્યું કે કાન હોવા છતાં સાંભળવાના કામમાં ન આવે તેને રાખી મૂકી શું કામ છે, તે તુર્ત ઝાડની બે સળીઓ લાવ્યો અને ભગવાનના અને કાનમાં તે ઠોકી દીધી અને તેના છેડા કેઈ ને દેખે માટે કાપી નાંખ્યા. ભગવાન તે મેરૂ જેવા સ્થિર રહા ગેવાળ તર્જના કરતા અને બડબડતે પોતાના સ્થાને ગયે. ભગવાન ફરતા ફરતા ષણમાણિ ગામથી અપાપાપુરીમાં સિદ્ધાર્થ વણિકને ત્યાંગોચરીએ પધાર્યા ભગવાનને દેખતાં સિદ્ધાર્થ અને તેને મિત્ર પરક ઊભા થયા પગે લાગ્યા અને ભગવાનને પડિલાવ્યા દેએ પંચદિવ્ય કર્યા ભગવાનના ગયા બાદ અરકે સિદ્ધાર્થને કહ્યું “ભગવાન તપતેજસ્વી હોવા છતાં જરૂર કાંઈને કાંઈ શવાળા લાગે છે અને તે શૈશ્ય ભગવાનના કાનમાં કોઈએ ખીલા ઠેકી કર્યું છે વૈદ્ય અને સિદ્ધાર્થ સામગ્રી લઈ ભગવાનના કાઉસગ્ગ ધ્યાને ગયા ખીલા કાઢવાની ભગવાન પાસે અનુજ્ઞા માગી ભગવાન મૌન હૃા. વૈધ અને સિદ્ધાર્થે ઘડીના વિલબ વિના તેમની નસેને તેલનું મર્દન કર્યું. સાંધા ઢીલા કર્યા. બે સાણસીથી ખીલા પકડાવી મા પાસેથી જેસથી ખેંચી કઢાવ્યા ખીલા કાઢતા ભગવાને તેને કંપાવે તેવી ચીસ નાખી વૈધે ત્યારબાદ સ હણ ઔષધ પડયું. ભગવાનની ક્ષમા માગી. ભગવાનને વદન કરી સ્વસ્થાને ગયા. અજો અને મિત્રો સમાધિપૂર્વક મૃત્યુ પામી દેવલોકે ગયા. ભગવાનને પ્રથમ ઉપસર્ગ ગોવાળે કર્યો હતો અને આ છે ઉપસર્ગ પણ ગોવાળ કર્યો. ખીલા કાઢવાનું સ્થાન જતે દિવસે ભગવાનની ભયંકર ગ્રીસ મહાભિરિવ નામના ઉદ્યાન તરિકે પ્રસિદ્ધ થયું અને લોકેએ રકૃતિ તરિકે ત્યાં એક દેવાલય કરાવ્યું. ભગવાને સાડાબારવર્ષના કાળમાં વિવિધ ઉકટ તપશ્ચર્યા કરી તે આ પ્રમાણે છે.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy