SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ રામ વનવાસ કાળ ] ૩૯ સુંદર અને સુકેશ નામે દેવ થયા ને ત્યાથી ચ્યવીને 'પ્રિયવદ રાજાના રત્નસ્થ અને ચિત્રરથ પુત્ર રૂપે જન્મ્યા અને પેલે વસુભૂતિ પણ તેજ રાજાની કનકાણા નામની બીજી રાણીના પેટે અનુર નામે પુત્ર રૂપે જન્મ્યા. પ્રિય વદે રત્નરથને ગાદી પર એસાચે અને પાતે દીક્ષા લીધી અનુદ્ધ રત્નરથની સાથે લડયા રત્નરથે એને હરાવ્યેા આથી અનુદ્ધેર તાપસ થયેા અને ત્યાં મરણુ પામીને અનલપ્રભ નામે દેવ થયે। ચિત્રરથ અને રત્નરઘે દીક્ષા લોધી, પછી તેઓ અચ્યુત ક૫મા અતિભલ અને મહાબલ નામે દેવતાએ થયા ત્યાંથી ચવીને તે સિદ્ધાર્થ પુરના ક્ષેમ કરની રાણી વિમલાદેવીના પેટે જન્મ્યા તે બન્ને અમે જ. મારૂ નામ કુલભૂષણુ અને આનુ નામ દેશભૂષણુ પણ અમને ખાર વર્ષ સુધી ઘાષ નામના એક આચાર્યને ત્યાં રાખેલ હાવાથી અમારી બેન નકપ્રભાને ન ઓળખવાથી અમે એના પર અનુરાગી થયા અમારી માતાને એ વાતની જાણુ થતા તેણે ખરી હકીકત જણાવી. અમે તરતજ લજ્જિત થઈ દીક્ષા લીધી. અમને કેવળજ્ઞાન થશે એમ લાગવાથી અનલપ્રલે ઉપસર્ગ ચૈાજ્યે પણ તમારા પ્રતાપે એ અહિંથી નાસી ગયા ” એટલામાં વંશસ્થળના રાજા સુરપ્રભુ ત્યાં આવ્યા એણે રામની સેવા કરી અને તેણે એ પર્વત પર ચૈત્યે અ ધાવ્યા જેથી તે પર્વત જતે દિવસે રાગિરિ નામે ઓળખાયે દ ડેકારણ્યની ઉત્પતિ. એક દિવસ ત્રિગુપ્ત અને સુગુપ્ત નામના એ ચારણુમુનિ ત્યાં આવ્યા. તે એ માસના ઉપવાસી હતા. સીતાએ તેમને પારણું કરાવ્યું. તે સમયે દેવતાઓએ સુગધી જળની વૃષ્ટિ કરી. વળી રાજા રત્નજઢીએ રામને સુદર રથ અને અશ્વ આપ્યા. સુગંધી જળની ગધથી તે વૃક્ષ પર રહેલ કેાઈ ગીધ જાતિના રાગી પક્ષી મૂર્છા ખાઈને પેલા સુતિના ચરણામાં પડચેા. મુનિના ચરણુસ્પર્શે તે તરત જ નિરાગી થઇ ગયા. તેના માથા પર રત્નાંકુરની શ્રેણી જેવી જટા દેખાઈ તેથી તે પક્ષીનું નામ જટાયુ પડયું . રામે જટાયુને પૂર્વભવ પૂછયેા. મુનિએ જણાવ્યુ . આ પક્ષી પહેલાં કુંભકારકટ નગરમાં દડક નામે રાજા હતા તે સમયે શ્રાવસ્તીમા જિતશત્રુ રાજા હતા તેને સ્કંદક નામે પુત્ર અને પુરદયશા નામે પુત્રી હતી દડકરાજાપુર દરયશાને પરણ્યા એક વખત દડકે પાલક નામના બ્રાહ્મણ તને જિતશત્રુ પાસે મેકક્લ્યા જિતશત્રુ પૂજામાં હતા પેલેા દૂત જૈનધર્મને દુષિત કરવા લાગ્યા. કદકકુમારે તેને સુદર દલીલ યુક્તિએથી હરાવી મે નિફ્તર બનાવી દીધા. આથી સભ્ય જનેાએ પાલકને ઉપહાસ કર્યાં પાલકને સ્ક્રેક પર ગુસ્સા ચાંચા સ્કર્દકે એક વખતે પાચસા રાજકુમારી સાથે મુનિસુવ્રત પ્રભુ પાસે દીક્ષા લીધી. એક વખતે તેમણે પોતાની બેન પુર ઇચશાને મેધ આપવા માટે કુંભારઢ નગરે જવા પ્રભુની આજ્ઞા માગી. પ્રભુ મેલ્યા ‘ત્યાં જવાથી તમને મરણાંત ઉપસર્ગ થશે’ સ્ક ંદકમુનિએ કુરી ભગવાનને પુછ્યું • હૈ ભગવાન ! ઉપસર્ગ નડશે પણ તેમાં અમે આરાધક થઈશું કે નહિં?’ પ્રભુએ કહ્યું ‘તમારા વિના સર્વે આરાધક થશે!” સ્કંદકે કહ્યું ‘તે તે ઘણું સાર્1’ ' *
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy