SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ wwwww www.m એટલે એ વિશે તારે દિલમાં સહેજ પણ રજ રાખવા નહિ. તારા જેવી સુખી માતા આ જગતમાં બીજી ક્રાણુ છે ? ” . રાવણે જવાખ દીધા હુ માતા! આ ખન્ને ભાઇઓનું કથન સર્વથા ચેાગ્ય છે ! મારી સામે લડી શકે એવા કાઈ શક્તિશાળી રાજા આ દુનિયાના પટ પર હું જોતા નથી. પછી આ વૈશ્રવણુ તા કાણુ મારી સામે આખના પલકારામા એને ધૂળ ચાટતા ન કરી દઉં તે મારુ નામ રાવણુ નહિ લકાનું ગુમાવેલુ રાજ્ય હું, પાછુ મેળવ્યા સિવાય જપીને એસવાના નથી. પણ એમ છતા મને એક બીજો વિચાર આવે છે કે જે સાથે સાથે હું ઘેાડી વિદ્યા સાધી લઉ તા અને તરત જ વશ કરી શકાય અને એ રીતે એને પાર્જિત કરી શકાય. આા વિદ્યા કંઇ ઘરને ખૂણે એસી સાધી શકાતી નથી. ઘાર જંગલમાં જઈને તપશ્ચર્યા કરવી પડે છે અને એ માટે અમારે ત્રણે ભાઈઓને કાઈ વિકટ અરણ્યમાં જવું પડશે! માટે હું માતા! આપ રાજીખુશીથી અમને જવાની રજા આપા જેથી અમે જિંદગીમાં મહાન પરાક્રમા કરી શકીએ 2 કૈકસી માતાએ ત્રણે ભાઈઆને આશીર્વાદ આપ્યા એટલે ત્રણે ભાઇઓએ નગર છેડયું અને જ ંગલ તરફ પ્રયાણ કર્યું. એક ઘાર અને ભયંકર જ ગલમાં જઈને એમણે મહાકષ્ટકારી તપની શરુઆત કરી. તપના પ્રભાવે એમણે અષ્ટાક્ષરી વિદ્યાને સાધી. અષ્ટાક્ષરી વિદ્યાને સાધ્યા ખાદ એમણે પાડશાક્ષર મંત્રનેા જાપ જપવા શરૂ કર્યાં. આ ત્રણે ભાઈએ આ પ્રમાણે તપ કરતા હતા ત્યાં અનાવૃત નામના એક દેવતા એની સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા ત્યાં આવ્યે પેલા ત્રણ ભાઈએના તપમાં ભંગ પાડવાને માટે એ દેવતાએ એની સ્ત્રીઓને તેમની પાસે માલી, પણ પેલી સ્ત્રીએ આ સ્વરૂપવાન મધુઓને જોતા જ તેમના માહમાં પડી ગઈ અને મેલવા લાગી. “ હૈ પરાક્રમી વીરપુરુષા! તમે તમારી આંખ ખાલીને અમારી સામે તેા જુએ, અમે અપ્સરા જેવી દેવીઓ માહિત થઈ તમારે સ્વાધીન છીએ. તમારે હવે અન્ય વિદ્યાની કે સિદ્ધિની કોઈ જરૂર રહી નથી તમે અમારી સાથે ભાગવિલાસ ભાગવા અને તમારા જીવનને સાર્થક મનાવા. ” તે પણ પેલા ત્રણ ભાઇએ એમના ધ્યાનમાંથી સહેજ પણ ચલિત થયા નહિ પૈાતાની સ્ત્રીએ કાર્ય માં નિષ્ફળ ગઈ જાણી પેલે દેવતા પાતે ત્યા હાજર થયા ને કહેવા લાગ્યા : “ હું વીર પુરુષા ! તમારે આ સાધનાની જાપણુ જરૂર નથી. કોઈ પાખડી અને મિથ્યામતવાદીએ તમને આવા ચેઠળ સાધવા કહ્યું હોય એમ જણાય છે, માટે તમે આ બધું છોડો દો. તમારે કોઇપણ વરદાન જોઈતું હોય તા મારી પાસે માળા, હું તમને તે આપીશ અને તમારા મનની મનેકામના...હું પરિપૂર્ણ કરીશ. ” એના આ વચન સાભળીને પણ પેલા ત્રણે ભાઈઓ ધ્યાનમાંથી લેશ માત્ર ચલિત થયા નહિ. આથી અનાહત દેવનેા ક્રોધ સળગી ઉઠયે.. એણે પેાતાના અનુચરાને ખલાન્યા અને ત્રણે ભાઇએનું ધ્યાન છેડાવવા જાતજાતના ઉપસર્ગો કરવાની આજ્ઞા કરી પેલાએએ અનેક પ્રકારનાં બિહામણાં અને વિચિત્ર પ્રકારનાં સ્વરૂપેા ધારણ કરીને તપસ્વીઓને
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy