________________
- ૨૪ ]
શ્રી કરવિજયજી ૮. કેટલાંક વાનાં (નખ-કેશાદિક) સ્થાનભ્રષ્ટ થયા શોભતા નથી પણ સિંહ, સતપુરુષ અને હાથી તે સ્થાનભ્રષ્ટ થવાથી સવિશેષ શોભા પામે છે.
૯ દિવસે થયેલી વિજળી અને રાત્રે થયેલ ગરવ નિષ્ફળ જતાં નથી. વળી સંત-સાધુપુરુષનું વચન અને દેવનું દર્શન પણ નિષ્ફળ જતું નથી, પણ સફળ થાય છે.
૧૦. લજજા, દયા, ઈન્દ્રિયદમન, ધૈર્ય, પુરુષપરિચય ત્યાગ અને એકલવાસ–એકાન્તસેવન એ બધા ગુણ સ્ત્રીઓને સ્વશીલરક્ષા માટે બહુ ઉપાગી છે.
૧૧. શીલ જ ઉત્તમ ધન છે, શીલ જ જીવેને પરમ મંગળરૂપ છે, શીલ જ દારિદ્રને હરનાર છે અને શીલ જ સકળ સુખ-સંપદાને વસવાનું કુળભવન છે.
૧૨. ધર્મરૂપી સંબળ (ભાતું) સાથે હોય તે જ માણસને ખરી દિલસેજ મળે છે તેથી સુકૃત કરણ કરી લેવામાં એક ક્ષણમાત્ર પણ વિલંબ ન કર, કેમકે પળે પળે આવખું ખૂટતું જાય છે.
૧૩. હે ભવ્યજનો ! ધર્મકાર્ય કરવાના વાયદા ન કરે. જે ધર્મકૃત્ય આવતી કાલે કરવા ધારતા હે તે હમણાં જ કરે, કેમકે ક્ષણ ક્ષણ કરતાં આખું પૂરું થઈ જાય છે.
૧૪. પુન્યશાળી આત્માને અહીં જ આરોગ્ય, સિભાગ્ય, ધનસંપત્તિ, નેતૃત્વ, આનંદ, સદા જય અને વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. એવા ધર્મ–પુન્યનો અનાદર કેમ જ કરાય ?
૧૫. પ્રગટ પ્રભાવવાળ જૈનધર્મ, સંત સાધુજનની સંગતિ,