________________
[ ૩૦૮ ]
શ્રી કર્ખરવિજયજી વ્યાખ્યાન પ્રસંગે તેઓ કેટલુંક સાંભળે છે પણ તેને ઉપગની શૂન્યતાથી અથવા બેદરકારીથી તેને તેઓ ભાગ્યે જ લાભ ઉઠાવી શકે છે. આ સ્થિતિ સર્વસામાન્ય દરેકને માટે હાઈ આરોગ્ય સારું ન સચવાય તે સ્વાભાવિક છે; તેથી આર્તધ્યાન-ખરાબ વિચારો કરી અધિક દુઃખી થાય તેમાં પણ કાંઈ આશ્ચર્ય નથી. આવી દુઃખદાયક સ્થિતિમાંથી સમાજનો ઉદ્ધાર કરે એ સદુપદેશકેનું ખાસ કર્તવ્ય ગણાવું જોઈએ.
શરીરમા રજુ ધર્મસાધનમ્” આ વાક્ય ખાસ વિચારવા જેવું છે. શરીર નિરોગી હોય તો જ ધર્મસાધન સારી રીતે સાધી શકે, તે જ ચિત્તની સ્વસ્થતા બની રહે અને તત્વજ્ઞાન-શ્રદ્ધા અને સદ્ભાવની રક્ષા તથા વૃદ્ધિ સહેજે થવા પામે.. ૩. જીવદયા (જયણા) પાળવા પૂરતું લક્ષ રાખવું.
ધર્મનાં અથી જનેએ હરેક કામ કરતાં, હાલતાં-ચાલતાં, ઊઠતા-બેસતાં, ખાતાં-પીતાં, સૂતાં-ઊઠતાં, વાતચિત કરતાં કે કેઈપણ કામ કરતાં કંઈ જીવને નાહક પરિતાપ-ત્રાસ થાય તેમ કરવું ન ઘટે. કચરે–પૃ કાઢવા માટે શસ્ત્ર જેવી તીક્ષણ ધાર- * વાળી ખજૂરીની સાવરણી નહિ વાપરતાં સુંવાળી મુલાયમ વાસદી(સાવરણી)નો ઉપગ કરવો ઘટે. રસોઈ કરતાં દરેક પ્રસંગે
જીવરક્ષા માટે ખાસ કાળજી રાખવી જોઈએ સ્વચ્છતા–ચોખાઈ રાખવા ભૂલવું ન જોઈએ. ઘરમાં, દુકાનમાં કે દેરાસરમાં કઈ પણ ઠેકાણે દી ઊઘાડે મૂકવો નહિં, તેમ ઘી-તેલ–ગેળ–સાકર વગેરે રસવાળા પદાર્થ ખુલ્લા મૂકવા નહિ. અભક્ષ્ય-અનંતકાય ખાવા નહીં, માદક પીણા પીવાં નહિ, ભ્રષ્ટ વિદેશી દવા લેવી નહિ, અશુદ્ધ અને ભ્રષ્ટ ખાંડ ખાવી નહિં, આ કાયિક ક્રિયારૂપ