________________
-
-
-
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૭૯ ] છે, વળી કોઈ બે કારણથી માને છે, છતાં તેઓના કાર્યની સિદ્ધિ તે પચે કારણ મળે છે ત્યારે જ થાય છે. અર્થાત્ કાર્યસિદ્ધિમાં તે એક કારણ મુખ્યપણે અને બીજા ચાર કારણ ગણપણે હોય છે. આટલા માટે શ્રી વીર પરમાત્માના સર્વદશી દર્શનમાં પાંચ કારણ માનેલાં છે.
એ પાંચ કારણોના નામ આ પ્રમાણે છે: કાળ, સ્વભાવ, નિયતિ, પુરુષકાર અને પૂર્વકર્મ.
કાળ–વખત.-જે વખતે જે કાર્ય થવા ગ્ય હોય તે કાર્ય તે વખતે જ થાય.
સ્વભાવ-ખાસીયત-ધર્મ, જે વસ્તુમાં જે ધર્મ, ગુણ કે ખાસીયત હોય તેને અનુસરતું જ કાર્ય થાય. - નિયત–આને નિયતિ પણ કહે છે. એનો અર્થ છે ' કાર્ય જ્ઞાનીની દષ્ટિએ બનવાનું હોય તે જ બને.
પુરુષકાર–ઉદ્યમ, વીર્ય, બળ, પરાક્રમવડે જે કાર્ય કરવામાં આવે તે.
પૂર્વકર્મ–પૂર્વકૃત કર્મ. પૂવેર જેવાં કર્મ કર્યા હોય તેના ઉદયને અનુસરતું કાર્ય થાય.
આ પાંચ કારણે કેટલીક બાબત પર લાગુ પાડવાથી વર્તનને પણ ઉપયોગી થઈ પડશે. તે કારણ કેમ લાગુ પડે છે તે હવે બતાવીએ છીએ. .
મેક્ષપ્રાપ્તિમાં પાંચ કારણની આવશ્યકતા. એ આગળ કહ્યું તેમ પાંચ કારણ કાળ, સ્વભાવ, નિયતિ, પુરુષકાર અને પૂર્વ કર્મ છે.