________________
[ ૮૪ ]
શ્રી કપૂરવિજયજી કરણું ભાગ્યે જ પૂર્ણ ફળદાયક થઈ શકે છે, માટે વિધિમાર્ગનું અધિક આદરથી સેવન કરતા રહી અન્ય જનોને પણ માર્ગદર્શક બનવું.
૨૬. દેવપૂજા, સદ્ગુરુસેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન એ પક્કમ ગૃહસ્થજનોને હમેશાં કરવાનાં કહ્યાં છે. ૨૭. વિનય બહુમાન સાથે ગુરુકૃપાને લાભ લેવા ચૂકવું નહીં. ૨૮. વિનય રહિતને ધર્મકરણ ભાગ્યે જ ફળે છે.
૨૯. વિનય જેનશાસનનું મૂળ હોવાથી તેમાં વિશેષ આદર કરે. - ૩૦. દરેક ધર્મકરણમાં કે વ્યવહારમાર્ગમાં તે વિનય સહાય કરે છે.
૩૧. તેથી જ શુદ્ધ દેવ, ગુરુ ને સાધમીજનો બને તેટલો વિશેષ આદર કરે, અનાદર તે ન જ કરે.
૩૨. બને તેટલી આજ્ઞારાધના તરફ લક્ષ રાખવું, વિરાધના તો ન જ કરવી. જેથી જીવનું લક્ષ સુધરવાનું સુલભ થાય તેમ આદરથી વર્તવું.
[ આ. પ્ર. પુ. ૩૨, પૃ. રર૬] સુભાષિત પદ સંગ્રહ ૧. પાંચ પ્રકારના શૈચ–પવિત્રભાવઃ-સત્ય, તપ, ઈન્દ્રિય નિગ્રહ, સર્વ પ્રાણુ પર દયા અને જળશાચ એ પાંચ શાચ કહ્યા છે.
૨. જગત કુટુંબ-આ મારું અને આ પરાયું’ એવી ગણના ક્ષુદ્ર જીની હોય છે. ઉદારચરિત્ર આત્માઓને તો. સારી આલમ કુટુંબરૂપ હોય છે.