SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદ [ ૬૮ ] શ્રી કપૂરવિજયજી પ્રબળ પ્રતિવાદીથી પણ તેને હાર ખાવી ન પડત એ ખુલ્લું છે, માટે વાદમાં ઉતરનાર અનેકાન્તદષ્ટિએ જ સાધ્યને ઉપન્યાસ કરે કે જેથી તે કદી ન હારે. એકાન્તપણાને લીધે જે નિતાન્ત બોટું હોય તેની તો વાત જ શી? પણ એકાન્તરૂપે સાચું હોવા છતાં જે તેને અનિશ્ચિતસંદિગ્ધરૂપે વાદગાછીમાં મૂકવામાં આવે તો તે વાદી વ્યવહારકુશળ અને શાસ્ત્રકુશળ બધા જ સભ્યની દષ્ટિમાં ઉતરી પડે છે તેથી માત્ર અનેકાન્તદષ્ટિ રાખવી એટલું જ બસ નથી પણ એ દષ્ટિ સાથે અસંદિગ્ધવાદીપણું પણ વાદગેઝીમાં આવશ્યક છે. નયવાદને લગતી ચર્ચાપરિશુદ્ધ નયવાદ એ કેવળ થતપ્રમાણના વિષયને સાધક બને છે. વળી જે તે ખોટી રીતે મૂકવામાં આવ્યા હતા તે બને પક્ષેને ઘાત કરે છે. જેટલા વચનોના માગે છે તેટલા જ નયવાદ છે અને જેટલા નયવાદ છે તેટલા જ પરસમ છે. જે કપિલ (કપિલે કહેલું સાંખ્ય) દર્શન છે એ દ્રવ્યાસ્તિકનયનું વક્તવ્ય છે, શુદ્ધોદનના પુત્ર અર્થાત્ બુદ્ધનું દર્શન તો પરિશુદ્ધપર્યાયને વિકલ્પ છે. જો કે કણાદે બને નથી પિતાનું શાસ્ત્ર-દર્શન કર્યું છે છતાં તે મિથ્યાત્વ–અપ્રમાણ. છે; કારણ કે એ બન્ને ને પોતપોતાના વિષયની પ્રધાનતાને લીધે અંદરોદર એક બીજાથી નિરપેક્ષ છે. અહીં નયવાદની ચર્ચામાં. મુખ્ય ત્રણ બાબતો કહેવામાં આવી છે. પરિશુદ્ધ અને અપરિશુદ્ધ નયવાદનું પરિણામ, પરસમયનું વાસ્તવિક પરિણામ તથા તેને આધાર અને પ્રસિદ્ધ
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy