SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પડ્યો છે? () કઈ કઈ બાબતે એકમાં છે અને બીજામાં નથી અગર તો રૂપાંતરથી છે? જે બાબતો બીજામાં છેડાઈ હાય અગર નવી ચર્ચાઈ હોય તે કઈ અને તેમ થવાનું શું કારણ? () ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ એ બંનેનું પૃથક્કરણ ઉપર પ્રમાણે કર્યા પછી જે વિદ્યાર્થી વધારે ચાય હેય, તે તેને આગળ ધપરિચયમાં આપેલ સરખામણ પ્રમાણે બીજાં ભારતીય દર્શને સાથે સરખામણી કરવામાં ઉતાર; અને જે વિદ્યાર્થી સાધારણ હોય તે આગળ જતાં તેની સરખામણી કરી શકે તે દષ્ટિથી કેટલાંક રોચક સૂચન કરવાં. (૬) ઉપર પ્રમાણે પાઠ ચલાવ્યા પછી ચાલેલ તે સુત્ર ઉપર રાજવાર્તિક વાંચી જવાનું વિદ્યાથી ઉપર છેડવું તે એ બધું રાજવાર્તિક વાંચી તેમાંથી પૂછવા લાયક સવાલો અગર સમજવાની બાબતે કાગળ ઉપર નોંધી બીજે દિવસે શિક્ષક સમક્ષ રજૂ કરે અને એ રજૂઆત વખતે શિક્ષક બની શકે ત્યાં સુધી વિદ્યાર્થીઓમાં જ અંદરોઅંદર ચર્ચા ઊભી કરાવી તેમની મારફત જ (માત્ર પતે તટસ્થ સહાયક રહી) પિતાને કહેવાનું બધું કહેવરાવે. ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિ કરતાં રાજવાર્તિકમાં શું ઘટયું છે, શું વધ્યું છે, શું નવું છે, એ જાણવાની દષ્ટિ વિદ્યાર્થીઓમાં કેળવે. ૩ ઉપર પ્રમાણે ભાષ્ય અને સર્વાર્થસિદ્ધિને અભ્યાસ થઈ જાય અને તે રાજવાર્તિકના અવલોકન દ્વારા પુષ્ટ થાય, ત્યાર પછી ઉક્ત ત્રણે ગ્રંથમાં ન હોય તેવા અને ખાસ ધ્યાન આપવા જેવા છે જે મુદ્દાઓ શેકવાર્તિકમાં ચર્ચાયા હેય તેટલા જ મુદ્દાઓની યાદી તૈયાર કરી રાખવી અને અનુકૂળતાએ તે વિદ્યાર્થીઓને વંચાવવી અગર વાંચવા
SR No.011620
Book TitleTattvarthadhigam Sutrani
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1940
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy