________________
- ૨૧ છે. એ જ્ઞાન શુદ્ધ કિયાની સાથે આત્મસ્વરૂપની નજીક લઈ જાય છે. પદ્રવ્યની વિચારણા યાને જ્ઞાન જડની વાસના ભૂલાવે, અને સાધુપણાના આચારનું પાલન શુદ્ધ ચેતનાનો પક્ષ મજબૂત કરે છે. સમ્યક્ કિયા આત્માની પ્રવૃત્તિના ચકડેળને મિથ્યા ઘુમરડી લેતું અટકાવી સમ્યગ દિશાએ સવળું ફેરવે છે, આ જીવના અનાદિના “લાવ લાવ” ના સંસ્કારને અટકાવી સઘળા સંસ્કાર લે લેના ઊભા કરે છે; “આવ, આવની વાત મુકાવી “જા, જાની વાત કરાવે છે. ભેળું કરવાના સંસ્કાર જતા કરાવી, છેડવાના સંસ્કાર સિંચે છે. આ બધું સમ્યક્ ક્રિયા કરી શકે ક્રિયા અને જ્ઞાનની વાત જ દ્વાદશાંગીમાં, અહીં પણ તેજ વાત, તેથી દ્વાદશાંગીને આ સાર. એકલા જ્ઞાનવાળાને તે વાત કાંઈ અને કિયા કાંઈ. તે ચાલે નહિ, શોભે નહિ, સફળ થાય નહિ જ્ઞાનની વાત સાથે તેની અનુકૂળ કિયા જોઈએ જ્ઞાન સાથે સમ્યક ક્રિયાના ખૂબ જોરથી જ્યારે કુસંસ્કાર નષ્ટ થઈ જાય, મેહ સદંતર નાબૂદ થઈ જાય, ત્યારે અનંત જ્ઞાન પ્રગટ થાય. પછી શેલેશી કિયા દ્વારા મોક્ષ થાય, એટલે આત્માનું શુદ્ધ જ્ઞાનસુખાદિ સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ થયુ, હવે ક્રિયાની જરૂર નહિ. પાપ પ્રતિઘાત ગુણબીજ વિના બધું એળે :
પહેલાં પાપને પ્રતિઘાત કર્યા વિના ધર્મગુણ બીજનું આપણ થતું નથી એ બંને વિના બધે પ્રયાસ અફળ જશે, અને સંસારની રખડપટ્ટી ચાલુ રહેશે. પરિમિત સંસારને બદલે અપરિમિત સંસાર રહેશે. અનાદિ એવા આ સંસારમાં પાપને નાશ કર્યા વિના અને ધર્મગુણબીજનું આરોપણ કર્યા વિના જ અનેકવાર આ જીવે કડક સાધુપણું પાળ્યું; પણ પરિણામે