________________
૩૫૮
[પંચસૂત્ર-૪ નિરાશંસ સૂત્રાધયયન કેમ? જ્ઞાન એ તે આત્મસંશોધક ઉમદા ઔષધ છે, રસાયણ છે. ત્યારે આશંસા એ કુપગ્ય છે, રાગ વધારે; મેલ છે, કચરે વધારે. જગતમાં જ્ઞાન વિના આત્માના કચરા કેણ સાફ કરે ? ત્યારે એ જ્ઞાન મળ્યા પછી પણ જે કચરા વધારાય તે એ કેવી મહાન મૂર્ખાઈ થાય? માટે આશંસા ત્યજવી. વળી જગતની કોઈ પણ વાતની પૃહાથી રહિત બનવામાં એ લાભ છે કે સૂત્ર ભણવામાં પછી જડ
સ્વાર્થની દૃષ્ટિ નથી રહેતી. નહિતર તે, “હું જલદી સારે વિદ્વાન તૈયાર થઈ જાઉ; પગભર (સ્વત ત્ર) થઈ જાઉં, બહાર નામ કાઢું,” વગેરે વગેરે લાલસા રહેવાથી આત્મહિત, સાચી ગુરુસેવા, અને ગુરુસમર્પણ ભૂલાય છે. ધાયું આવડે તે ગુમાન થાય છે, તે ઓછું આવડે તો દુર્ધાન થાય છે. ગુરુની સુખસગવડતાને બદલે પિતાની જ અનુકૂળતા જેવાનું બને છે. નિરાશંસ ભાવમાં એ કાંઈ પંચાતી રહેતી નથી. કેમકે વર્તમાન કે ભવિષ્ય માટે કઈ લૌકિક ધોરણે જ ઘડી રાખ્યા નથી. સાથે, મોક્ષની તીવ્ર અભિલાષા જાગ્રત રહેવાથી મૂત્રાધ્યયન ખૂબ ઉલ્લાસ અને ધીખતા ઉદ્યમથી થાય છે, પણ એમ નહિ કે “થશે ધીમે ધીમે, શી ઉતાવળ છે?” ભગવાસ પર ભારે ખેદ છે; મેક્ષના શાશ્વત સુખ, સ્વાતય અને તદ્દન વિશુદ્ધ આત્મસ્વરૂપની જ એક ભૂખ છે, ઉતાવળ છે, તેમજ જિનાગમ એ જ એક એને ઉપાય દેખે છે, માટે આગમસૂત્રના અધ્યયનમાં લયલીન બને.
(૫) સૂત્રને સભ્ય નિયોગ सूत्रः-स तमवेइ सचहा, तओ सम्म निजइ । एअधीराण सासण । अण्ण्हा अणिआगो, अविहिगहिअ-मतनापण ॥