________________
૧૧૭
વિવેચનઃ- (૧) હવે અહીં અરિહંત ભગવાનનું શરણ સ્વીકારવામાં આવે છે. “જાવજીવ મે....” એ પાઠમાં અરિહંત પ્રભુના વિશિષ્ટ વિશેષણે છે. તેના તેના દ્વારા તે તે રીતે એમના પ્રત્યે સચોટ શ્રદ્ધા અને અતિશય આદરવાળા બનવાનું છે, એ ભૂલવાનું નથી; તો જ એ શરણ સ્વીકાર્યું સફળ થાય. “જીવનભર અહંત ભગવંતે મારે શરણે હો” આ એક જાતની પ્રતિજ્ઞા જેવું છે. જે માત્ર સામાન્ય ભાવના રૂપ અભિલાષા હોત, તે તો તે તો આગળ ભવાંતર માટે પણ કરી શકત; પરંતુ ચાવજજીવની મર્યાદા ન બાંધત. મર્યાદા બાંધી છે તે ભવાન્તરમાં અજ્ઞાનતાએ કદાચ એનો ભંગ ન થઈ જાય એ હેતુએ; અને ભંગનો ભય પ્રતિજ્ઞામાં હોવાનું ગણાય, પણ અભિલાષામાં નહિ. એટલે શરણ સ્વીકારનારે ધ્યાનમાં એ રાખવાનું કે આ શરણ આ જીવનના અંત સુધી રહે. હવે એમનું શરણ મૂકાય નહિ, અને બીજાનું શરણ સ્વીકારાય નહિ. અહીં “અહંત” એટલે જેમનામાં કર્મનો અંકુર નથી ઊગતે તે. “અરહંત” એટલે રહ-રહસ્ય વિનાના અર્થાત્ જેમને જગતની ત્રણે કાળની કઈ વાત ગુપ્ત નથી તે. “અરિહંત' એટલે અષ્ટ પ્રાતિહાર્યની ઋદ્ધિને જે અહે છે, એગ્ય છે. તે “ભગવંત એટલે ભગ અર્થાત્ પરમ અિશ્ચર્યો–રૂપ–કાન્તિ–ચશ-જ્ઞાન-ધર્મવાળા.
એ “પરમત્રિલેકનાથ છે. દુન્યવી (લૌકિક) નાથ કદાચ આ લોકના કેટલાય ભયમાથી બચાવે; જ્યારે આ ત્રણે લોકના શ્રેષ્ઠ કેત્તર નાથ દુર્ગતિના ભયથી બચાવે છે, ભાવી દીર્ઘ સંસારથી બચાવે છે, જુગજુગની જન્મ-જરા મૃત્યની જટિલ જંજાળમાંથી સંરક્ષે છે. આ વિશેષણની શ્રદ્ધા મનાવે છે કે હું નાથ તે અહંતને જ માનું. હજી જગતમાં કોઈ કરોડની