SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] મૂળનાયકની મૂર્તિ નાની શામળી ચિતામણિ પાર્શ્વનાથની હતી તે લાવીને ઝવેરીવાડામાં સૂરજમલના દેરામાં પધરાવી તે મૂર્તિઓ હાલ પણ છે પછી તે મુસલમાનોએ દેરુ વટાળ્યું, રંગમંડપ વગેરેના ઘુમ્મટની માહેલી તરફ ફરતી ઊચા પથ્થરની પૂતળીઓ વગેરે છે તેને છુંદી નાબી તથા ચૂનાથી લીપી દીધી. તે સિવાય મુસલમાનોએ ઘણી તોડફોડ કરી છતા પણ એ દેરાના ખંડેર પરથી માલૂમ પડી આવે છે કે એ દેરાનું કામ બહુ મજબૂત હતુ હાલ તે દેરું ઉજજડ પડ્યું છે. આટલા ઉપરથી ગુજરાતમા જાનમાલના રક્ષણની કેટલી ચિતા હશે એનો ખ્યાલ આવશે. લોકોના જીવને ફડકે એટલો હતો કે આવતી કાલે શું થશે તેની કલ્પના થાય નહિ. મોટા શહેરમાં આવી સ્થિતિ હોય ત્યારે નાના શહેરો અને ગામડામા કેવી જાતની રે જાડો હશે એ કલ્પી લેવું મુશ્કેલ નથી ગુજરાતમાં સૂબા દિલ્લીથી નિમાઈને આવતા હતા અને તેની લાયકાત ઉપર ગુજરાતનો વહીવટ ચાલતો હતો. ગુજરાતને તે સમયને ઇતિહાસ જોતા કઈ વિશિષ્ટ તત્ત્વ દેખાતુ નથી સૂબાને મેળાપ થાય અથવા તે માન આપે તે શહેનશાહે પોતે માન આપ્યું હોય એમ ગણવામાં આવતું હતું. આવા પ્રકારની ગુજરાતની તે સમયની સ્થિતિ હતી જાનમાલની ચિંતા લોકોને ખૂબ રહેતી હતી જ્ઞાતિબ ધનો સામાજિક કારણે મજબૂત હતા નાની નાની જ્ઞાતિઓ અને પ્રાંતિક ભેદો ખૂબ હતા અને દિવસાન દિવસ વધતા જતા હતા. થોડા ગામોના ઘોળ બનતા હતાં, અને રાજનગરના માણસો સ્વાભાવિક રીતે પિતાની જાતને ઉત્તમ-વિશિષ્ટ માનતા હતા. સ્ત્રીઓને અભ્યાસ માટે કોઈ જાતની વ્યવસ્થા નોધાયેલી નથી તેઓને ઘર બહાર હરવા-ફરવામાં ઘણો સ કેચ રહેતો હતો અને બાળલગ્નો પ્રચલિત હતા લોકોમાં ધર્મભાવના સારી હતી. સત્તરમી સદીને જૈન ઇતિહાસ, પ્રભાવશાળી વિજયહરસુરીશ્વર, ધમસાગર ઉપાધ્યાયની ચર્યા– અઢારમી સદીને બરાબર સમજવા માટે શ્રી હીરવિજયસૂરિથી માંડીને શરૂ થતા યુગની અતિ સ ક્ષેપમાં વિચારણા કરવી જરૂરી છે પાલણપુરમા કુરા ઓશવાલ અને નાથીબાઈને ત્યાં હીરાને જન્મ સ ૧૫૮૩માં થયે વિજયદાનસૂરિ(૫૭મી પાટ)ના ઉપદેશથી ૧૩ વર્ષની વયે એણે સ , ૧૫૯૬મા માબાપની પરવાનગીથી પાટણ શહેરમાં દીક્ષા લીધી દક્ષિણમાં દેવગિરિ થઈ દક્ષિણી પડિત પાસે ખૂબ અભ્યાસ કર્યો, ન્યાય અને જોતિષમા ખાસ પ્રાવીય પ્રાપ્ત કર્યું સ. ૧૯૯૮માં નાડલાઈમાં તેમને પવિતપદ પ્રાપ્ત થયું, સ ૧૬૦૮માં ઉપાધ્યાયપદ પ્રાપ્ત થયું અને સ. ૧૬૧૦મા શિરોહીમાં તેમને આચાર્યપદવીનું પ્રદાન થયુ આચાર્ય વિજયદેવસૂરિને સ્વર્ગવાસ સ ૧૯૨૧માં થતા તપગચ્છના વિજયહીરસૂરિ નાયક થયા. આ વખતે આખા તપગચ્છમાં તેમની આજ્ઞા વર્તતી હતી અને તેઓ એકલા અદ્વિતીય નાયક
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy