SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આ મુખ થિી વિનયવિજય ઉપાધ્યાય વિક્રમની સત્તરમી સદીની છેલ્લી પચ્ચીશીમાં જન્મ્યા અને અઢારમી સદીમાં પિતાની સાહિત્ય-પ્રમાદી જનતાને આપી એવી પ્રસાદીઓ પૈકીની આ શ્રી શાંતસુધારસ ગ્રથ એક વિભૂતિ છે એમાં શાહરસ ગેય૩૫ લે છલ ભરેલું છે અને પ્રત્યેક ભાવના સાથે ગુજરાતમાં સુપ્રસિદ્ધ દેશીના રાગમાં સાદી પણ માર્મિક સંસ્કૃત ભાષામાં સુંદર ઢબે ગાઈ શકાય તેવુ એક એક અષ્ટક આપ્યુ છે આ પ્રથમ વિભાગમાં નવ ભાવનાઓ આવે છે અનિત્ય, અશરણ, સંસાર, એકવ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સવર અને નિર્જરા પ્રથમની પાચ ભાવના આત્માને ઉદ્દેશીને છે, છઠ્ઠી શરીરને ઉદ્દેશીને છે અને સાતમી, આઠમી અને નવમી ભાવનામા તત્વચર્ચા ખાસ કરીને તત્ત્વદષ્ટિએ કરી છે આ ગ્રંથ અતિ મધુર ભાષામાં અને સુંદર રીતે લેખક–મહાત્માએ તૈયાર કર્યો છે , મારા જેલનિવાસ દરમ્યાન મને આ આકર્ષક ગ્રથ પર વિવેચન લખવાની અભિલાષા થઈ મને મળેલી શાતિનું આ ગ્રંથ પણ એક પરિણામ છે. અત્રે પ્રથમ ભાગ રજૂ કર્યો છે. બીજ વિભાગમાં બાકીની ત્રણ અનુપ્રેક્ષા–ભાવના (ધર્મસૂતતા, લેકપદ્ધતિ અને બેધિદુર્લભતા) આવશે અને ત્યાર પછી મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાઓ આવશે આ ગ્રથના કર્તા શ્રી વિનયવિજય ઉપાધ્યાયનું ચરિત્ર અને વિસ્તૃત ઉપોદઘાત બીજા વિભાગમાં આવશે બની શકશે તો શતરસને રસ ગણવા સબંધીની સાહિત્યવિષયક સર્ચા પણ બીજા ભાગમાં કરવાની તક હાથ ધરવામા આવશે શ્રા અધ્યાત્મકલ્પદ્રુમમા એ ચર્ચા મૂકવાની હતી તે રહી ગઈ છે, તે વિચારનો અમલ આ પુસ્તકના બીજા ભાગમાં કરવાની ઈચ્છા છે બીજો ભાગ પણ લગભગ આ પ્રથમ વિભાગ જેવડો જ થશે એમ લાગે છે સર્વને ગાવાની અથવા અભ્યાસ કરવાની સગવડ થવા માટે ઉપયોગી લાગશે તો માત્ર મૂળ ગ્રથને બીજા ભાગમાં પૃથ આપવાની પણ ઈચ્છા છે અને સમાન ભાવનાઓ (યશ સોમ અને સકળચદ્રજી ઉપાધ્યાયની) વચ્ચે મૂકી છે તે પૈકી બાકીની રજૂ કરવામાં આવશે કેટલાક ગ્રંથો પચાવી હૃદયમાં ઉતારવા યોગ્ય છે, આત્માને ઉદ્દેશીને એની પ્રગતિ અને સાધ્યસામીણની નજરે જ ચાયેલા હોય છે અને શાતિના પ્રેરક અને સાધ્યને નજીક લાવનાર હોય છે તે પિકીને આ પ્રથા હૈઈ એને નવલકથાની પેઠે વાચી જવાનો નથી, એને તો જેટલી વાર બને તેટલી વાર વાચી હદયમાં ઉતારવા ગ્ય છે કેટલીક વાતો વ્યવહારુ નજરે ન બેસે તો વિચારવા યોગ્ય છે, પણ તે આ પ્રથમ બતાવેલ રસ્તે જ સિદ્ધિ છે, એ વિચારપૂર્વક જ આ ગ્રંથ પચાવવાને છે આવા પાચ ગ્રથો મે જૈન સાહિત્યમાંથી ધાર રાખ્યા છે, તે પૈકી શ્રા અધ્યાત્મકલ્પદ્રુમ” પછી આ બીજે ગ્રંથ છે જે હેતુથી ગ્રંથકર્તાએ આ ગ્રંથ રચ્યો છે તે મુદ્દો ધ્યાનમાં રાખી તે પર વિસ્તારથી વિવેચન કર્યું છે જ્યા અપૂર્વ ભાવ જણાય ત્યા બલિહારી મૂળ લેખકની છે, જ્યાં કિલષ્ટતા જણાય ત્યાં મારી જવાબદારી છે અભ્યાસક દષ્ટિએ આ વિચારણા કરી છે એ ધ્યાનમાં રાખી એમાં પ્રવેશ કરવા વિજ્ઞપ્તિ કરુ છુ બીજા ભાગમાં હજુ પણ વિશિષ્ટ ભાવ જણાશે એટલી ખાતરી આપી આ ગ્રંથ અનેક વાર વાચવા અને વાચ્યા કરતા પણ વધારે વિચારવા
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy