SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૫o શાંતસુધારસ વિષયભોગ ન મળે એટલે મન મૂઝાય છે તેમ જ જીવનને નિ સાર બનાવી મૂકે છે. આવી સ્થિતિમાં મનને ઇન્દ્રિયને વિષયમાથી ચી લાવવા શક્તિ પ્રાપ્ત થાય અથવા એને અમુક પ્રકારની અશુભ વિચારસરણીમાં પડતુ અટકાવી શકાય તો સર્વ ઉપાધિઓનો ઉપાય સુગમ છે. અ કુશરહિત મન સર્વ પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન કરે છે મનમાં જે કલેશ અને સ તાપે થાય છે તે તેના ઉપરના અકુશની ગેરહાજરીને લઈને જ થાય છે. એ જ મન આત્મારામમાં રમણ કરતુ હોય, આત્મવાટિકામાં વિહરતુ હોય, ઉચ્ચચાહવાસિત હોય, ભાવનાશીલ હોય, આદર્શવાનું હોય તે અકથ્ય સુખ આપે છે. આત્મારામમા મનને રમણ કરતુ રાખવુ એ જરા મુશ્કેલ વિષય છે, પણ અભ્યાસથી સાધ્ય છે. એ ઉપરાત મનમા સ દેહ ન રાખવો ઘટે સદેહ એટલે શકા-આશંકા. આમ હશે કે તેમ હશે એવી અવ્યવસ્થિત મનોદશાને પરિણામે અસ્થિરતા ખૂબ રહે છે, અને યોગનું જાણીતુ સૂત્ર છે કે સંસાયામ વિનતિ દુવિધામાં બને જાય છે, સાધ્ય મળતું નથી અને સામાન્ય કક્ષાનું સ્થાન પણ જાય છે એટલા માટે કરુણાના પ્રસંગોની દરકાર જ ન કરે અને ગમે તે સગોમા મનને સ્થિર રાખી શકે એવી પરિસ્થિતિ નિપજાવવા યોગ્ય છે અને તે જ ખરે ગ છે. એ કાઈ ગીઓ માટે ખાસ રાખી મૂકેલ વિષય નથી, સંસારમાં પણ રાજયોગને મોટુ સ્થાન છે અને તેની પ્રાપ્તિ કરુણાના પ્રસ ગે આવે ત્યારે વિશેષ સ્પષ્ટ થાય છે આત્મારામમાં રમતું નિ:શ ક મન પણ આ પ્રમાણે કરુણાના પ્રસંગોને પ્રતિકાર કરનાર આડકતરી રીતે થાય છે. વસ્તુત વસ્તુ પોતે કેવી છે તેના કરતાં તે મન પર શી અસર કરે છે તે પર તેના શિષ્યત્વ-અશિષ્ટવનો આધાર રહે છે, અને એકને મન જે વસ્તુ વિનોદ કરાવે તે જ વસ્તુ અન્યને ઉગ કરાવનાર થાય છે. મનને એ સ બ ધમાં કબજે કરી દિધુ હોય તો આ સર્વ ગૂંચવણનો નિકાલ થઈ જાય છે - દ. એક સાથે પ્રતિકારના અનેક ઉપાયો અહી બતાવે છે એ ઉપાયોને અમલ પ્રાણી કરે તે કરુણાના પ્રસંગો આવે જ નહિ એ મુદ્દા પર અહી આલબન છે. ત્રણ કાળમાં સત્ય, કઈ પણ અપવાદ વગરનુ મહાન સત્ય, તને અત્ર કહેવામાં આવે છે શાસ્ત્રગ્ર મા અનેક સ્થાનકે છૂટી છૂટી વાતો કરી હોય તેનું રહસ્ય તને અહી જણાવે છે. “ કડો ગ્રથમા જે કહ્યું છે તે તને અર્ધા શ્લોકમાં કહી બતાવે છે. આવી રીતે જે રહસ્યવાર્તા કહેવાણી છે તેવી આ વાત છે પ્રથમ તો તારે અથવો, વિકથાઓ, ગૌર અને કામદેવને છોડી દેવા, તેનો પરિચય બધ કરવો અથવા બને તેટલો ઓછો કરે.
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy