SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણાભાવના ૪૪૭ છે, સાધ્યનુ લક્ષ્ય તેમા હેાતુ નથી અને ઘણી વખત કુમુક્તિએ, હેત્વાભાસા અને મમ ભેદી હાવાના દાવા કરનાર મસ્પર્શ વગરના ઉપલક્રિયા પર્યાલાચનેાથી ભરપૂર હાઈ તમને જ્યા ત્યાં ખેચી જનાર હેાય છે. આવા આડાઅવળા માર્ગીની રચનાના વમળમાં તમે પડી જશો તે તમારુ વિચારક્ષેત્ર વિકારમય થઈ જશે આવી વિચારપદ્ધતિ અસાર છે, પરમાર્થ રહિત છે અને ગેાટાળે ચઢાવનાર છે. ‘કૃતાત’ એટલે ભિન્ન ભિન્ન ધર્મના સિદ્ધાંત. આવા વિકારમય અને અસાર મતાને મૂકી દો. અહીં મુદ્દો ચિત્તને સ્થિર કરી સત્ય માને સમજવાના છે અને અસત્ય માને તજી દેવાના છે. જ્યાં સુધી પ્રાણી પેાતાના ધમંતવ્યાને અનુભવની સરાણે ચઢાવી સ્પષ્ટ નથી કરતા ત્યાં સુધી એને શાતિ થતી નથી અને શાતિ વગર ગમે તેટલી વાતા કરવામાં આવે તેમા કાઈ વળે તેમ નથી. અવ્યવસ્થિત ધર્મ માન્યતા છેડી દઈ દર્શીનશુદ્ધિ કરી અને ચિત્તની સ્થિરતા કરા એટલે તમને કરુણામય પ્રસંગાના પ્રતિકારા મળી આવશે ૩. દનશુદ્ધિના જેટલું જ મહત્ત્વ ગુરુને અગે પ્રાપ્ત થાય છે. ગુરુ એટલે ધર્મોપદેષ્ટા, ધર્મોના અભ્યાસ કરાવનાર, ધર્મ ખતાવનાર અમુક નજરે દેવ કરતાં પણ ગુરુને મહત્ત્વનું સ્થાન ઘટે છે, કારણ કે દેવને ઓળખાવનાર પણ ગુરુ જ છે. ; ગુરુની પસ'દગીમા ખૂબ ડહાપણુ રાખવાની જરૂર છે. અનેક ભાવા પુસ્તકમાં લખાયલા હાતા નથી કેટલીક ચાવીઓ દ્વારા ગુરુ પદ્ધતિસર જ્ઞાન આપી શકે છે. સાપ્રદાયિક જ્ઞાન જીરું વગર પ્રાપ્ત થઈ શકતુ નથી. સવ ભાવેા લખી શકાય તેમ નથી ગુરુ વગર જ્ઞાનપ્રાપ્તિ થવી દુર્લભ છે, પણુ કષાયવાળા અથવા મનેાવિકારને વશ થનારા ગુરુ મળી જાય તેા મા ને વિષમ કરી દે છે. ખૂબ વિચક્ષણતા વાપરી ગુરુની પસ દગી કરવી જોઈ એ. જે ગુરુ પાતે જ સ્વપરહિત સમજતા ન હોય, સત્યાસત્યના જ્ઞાન વગરના હાય, દીર્ઘદૃષ્ટા ન હેાય, વ્યવહાર-નિશ્ચયને સમન્વય કરવાના બુદ્ધિકૌશલ્ય વગરના હાય, ટૂંકમા જે અવિવેકી હાય તેવા ગુરુને દૂરથી તજી દેવા. એવા ગુરુ સામાન્ય બુદ્ધિવાળા અભ્યાસીને આડે રસ્તે ચઢાવી દે છે. વસ્તુભાવના પૂર્ણ જ્ઞાન વગરના, દેશ–કાળના પરિવનાને ન સમજનાર, સ`સારના ભાવામા આસક્ત, ધન કે સ્ત્રીના મેાહમાં મૂ`આઈ ગયેલા અને સામાન્ય જનેાની સપાટી પર રહેલા ગુરુને તજી દેવા. આમાં દીક્ષિત-અદીક્ષિતને સવાલ નથી ગુરુની પસદગીમા તેમનુ આંતર મનેારાજ્ય કેટલુ ખીલે છે અને એ દૃષ્ટા છે કે નહિ એ મુખ્યત્વે કરીને તપાસવાતુ રહે છે. દૃષ્ટાહાય તેને સ્વીકારવા. અવિવેકી શુરુ હોય તે પાતે રખડે છે અને આશ્રિતને પણું રખડાવી દે છે. *
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy