SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ શાંતસુધારસ સર્વથી વધારે તે પાચે ઈદ્રિયના વિષયે ખૂબ જોર કરે છે એ ત્યાં ત્યાં પ્રાણીને માથાં મરાવે છે. એને કઈ પ્રકારના ભોગથી તૃપ્તિ થતી નથી અને એક ઈરછા સહજ પૂરી થાય. ત્યાં બીજી જાગે છે એને રાગરાગણી સાભળવાની ઇચ્છાઓ, નાટક-સિનેમા જોવાના શોખે, સગીતને સ્વાયત્ત કરવાની ભાવનાઓ, સ્ત્રી ભોગવવાની અભિલાષાઓ એવી તો વળગેલી હોય છે કે એને એક કાર્યમાં સ્થિરતા થતી નથી અને મને આખો વખત આકુળવ્યાકુળ રહ્યા કરે છે - આમા ચિત્તની એકાગ્રતા ક્યા થાય? પ્રાણી પિતાને હાથે સગો ઊભા કરે છે અને પછી એનાથી જ મૂઝાય છે. એમાં હોય તેને સંતોષ નથી અને ન હોય તેને તે દુખનો પાર નથી. આવા પ્રકારની પરિસ્થિતિમાં શાંતિને સવાલ કયા થાય? કેમ મળે ? કેવી રીતે મળે ? મન પ્રસાદ-ચિત્તસ્થય કેમ થાય? આવા સચોગોમા પડેલા, સ્વય દુ અને ઊભુ કરી તેનાથી હેરાન થનારા પ્રાણુના સગો પર કરુણાભાવ ન આવે તો બીજુ શુ થાય? ખૂબ વિચારવા જેવી આખી પરિસ્થિતિ છે ચારે તરફ દાવાનળ સળગી રહ્યો છે, ભય કર ઉકળાટ છે, હાથે ઊભો કરેલો ત્રાસ છે અને ગૂંચવણનું ચક્કર દેખાય છે અને તે દયાવાનું પ્રભુ કે મેગીને એ જોઈ હૃદયમાં શું ભાવ ઉત્પન્ન થતો હશે તેને ખ્યાલ કરવા જેવું છે ૪ ૨, કરુણાના પ્રસંગોનો આ દુનિયામાં પાર નથી અભિલાષાઓની વિવિધતા મનને સ્થિરતા આવવા દેતી નથી એ વાત ઉપર જોઈ હવે વૈભવની પ્રાપ્તિ, રક્ષણ અને નાશને અંગે કેવી કરુણાસ્પદ સ્થિતિ પ્રાણી ઉત્પન્ન કરે છે તે વિચારીએ - આ પ્રાણી વ્યાપાર કરે, સાચા-ખોટા કરે, પરદેશ જાય, ઉજાગર કરે, ખાવાપીવાનું વીસરે, પિતાના સિદ્ધાન્તો કે ધર્મના આદેશને લાત મારે, ન બોલાવવા યોગ્યની ખુશામત કરે, મહાઆર ભવાળા કર્માદાનના વ્યાપાર આચરે, અપ્રામાણિકપણું કરે, ચેખે લૂટારાને ધ છે હોય તેમ છતા સાહુકાર હોવાનો દાવો કરે અને સદ્ભાગ્યથી વૈભવને એકઠા કરે, પણ એને એમા કદી સ તો તે થતો જ નથી. એ સર્વ ધન, ગૃહ, અલ કારને પિતાના માની બેસે, એને સ્થાયી માની બેસે, એ ઘરના ઘર યાવચ્ચ દ્રદિવાકરી પિતાના જ છે એમ માને, એ ખરીદીના દસ્તાવેજમાં આકાશથી પાતાળ સુધીના હક્કો પિતાના જ લખાવે અને અઘાટ વેચાણ કરી લે આ સર્વની અદર એને “ધ્રુવતા (સ્થાયિત્વ)ને ખ્યાલ થાય છે એ મારુ છે એ જ એને ખ્યાલ હોય છે, અને એનો પડોશી એક ઇચ જગ્યા દબાવે તો એ ઊ ચાની થઈ જાય છે. પછી એ અનેક પ્રકારના મનસૂબા કરે છે છોકરાના લગ્ન આવા કરશુ અને અમુક અમુકને આમ નેતરઘુ વગેરે વગેરે. આવા શેખચલ્લીના વિચારે ચાલતા હોય છે અને
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy