SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ કારુણ્ય : : પરિચય ૨. ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એમાં જે રાગદ્વેષનો કચરો જામ્યો છે તે પ્રથમ દૂર કરવો જોઈએ, અને તે માટે આ મેગ્યાદિ ચાર ભાવનાની યોજના કરવામાં આવી છે જેમ મૈત્રીભાવનામાં રાગને વિશ્વ સુધી લાંબાવતા એ વિશાળ બની આખરે તેમા લય પામી જાય છે, તેમ હેપને ત્યાગ કરવાનો ઉપાય આખા વિશ્વમાં દયાભાવને લબાવતાં પ્રાપ્ત થાય છે પારકાના દુ ખસ બધી વિચાર કરતા અને તેમાંથી તેને બચાવવાનો વિચાર કરતાં પ્રાણી વિશ્વબ ધુત્વભાવની પેઠે પિતાની કરુણાની પાખો ચારે તરફ વિસ્તારે છે અને પરિણામે એ પિતાની જાતને વિસરી જઈ વિશ્વદયામાં લીન થઈ જાય છે. આવા પ્રાણીને પારકાનાં દુઃખ જેવાનું, તેને અભ્યાસ કરવાનું, તેનું પૃથકકરણ કરવાનું, તેને દૂર કરવાના ઉપાયો વિચારવાનું અને તે દ્વારા ચિત્તને પ્રસાદ પ્રાપ્ત કરવાનું સદભાગ્ય સાંપડે છે. એટલા માટે પારકાના દુઃખાના પ્રકારે વિચારવા અને તેના પ્રતિકાર (દુ ખ દૂર કરવાના ઉપાયો) વિચારવા એ ચોગપ્રગતિમાં મનને સ્થિર કરવાને અગે અતિ અગત્યનો ભાગ ભજવે છે. દુ:ખના પ્રકારે આ સંસારમાં એટલા બધા છે કે એને સશે તે શુ પણ એના એક વિભાગના નાના અને પણ પૂરતો ન્યાય આપી શકાય નહિ એટલા માટે દુખના પ્રસગે પર સામાન્ય અવલોકન કરી લેખકમહાત્મા તેના ઉપર વિચારણા કરે છે અને બાકીની હકીકત વાચકની બુદ્ધિ પર છોડે છે. આ દુખપર પરાની વિચારણામાં પ્રતિકારના પ્રસગો આવી જશે અને પ્રત્યેક પ્રસંગમાં દયા એના ઉત્કૃષ્ટ આકારમાં બહાર આવશે આટલો સામાન્ય ઉપઘાત કરી આપણે એ પ્રસંગો અને પ્રતિકારના માર્ગો વિચારી જઈએ બાહ્ય ક્રિયાઓ પર કાઈ ખાસ આધાર નથી આપણે જોયું છે કે બાહ્ય દષ્ટિએ સમાન ક્રિયા કરનારના કર્મબંધમાં ઘણે તફાવત પડે છે તે ક્રિયા કરતી વખતે મનની પ્રવૃત્તિ કેવા પ્રકારની વતે છે તે પર કર્મબ ધન આધાર રહે છે એક ટેબલ પર બેસી વાતો કરનારમાંથી એક તીવ્ર ફલિષ્ટ કર્મબ ધન કરે અને બીજે કમની નિર્જરા કરે એ બનવાજોગ છે માનસિક હલનચલન પર કર્મબ ધને ઘણે આધાર છે એ મનને સ્થિરતા પ્રાપ્ત થાય, અને જ્યાં ત્યાં રખડતુ બધ કરાય અને એ ખૂબ પ્રસાદ પામે એ મુખ્ય કર્તવ્ય છે મનને કબજામાં રાખવુ એ રાગ છે અને “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું’ એ ચગી આન દઘનજીતુ વચન નિ.શક સત્ય છે. નીચેના પ્રસગો વિચારો. એ જ્યા હોય ત્યા મનની સ્થિરતા સભવે ખરી? આ પ્રાણીને સર્વથી પ્રથમ તો ખાવાની વસ્તુઓ મેળવવાની વાછા પાર વગરની હોય છે એ ગરીબ હોય તો અનાજ, શાક, ઘી, વગેરે કયાથી લાવવા તેની પીડા તેને હોય, ધનવાન હોય તે આજે કેટલા શાક કરવા તેની ખટપટ, પરિચયવાળો હોય તો આજે હેમાનોને શુ જમાડવું તેની ખટપટ, ઉજાણીમાં કે જમણવારમાં કયા કયા શાકેના
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy