SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૦] વિવેકયુક્ત અને બકુ સ્થાન રહેતું નથી. ભુજંગ એટલે સર્પ, એને મારી નાખનાર “મચૂરી” એટલે તેલ (મોરની માદા-female peacock) જૈન જેવા અહિ સપ્રિય સમાજમાં પુસ્તકનું આવુ નામ રાખવામાં આવે ત્યા એ ગત તત્વ કેટલું વિપરીત થઈ જાય તે સમજી શકાય તેવું છે. આ તકરારની જડ ઘણી ઊંડી ગયેલી જણાય છે અને એ લેખપરંપરા સાથે બીજ તિહાસિક પ્રસગો જેતા મનમાં ખેદ થાય તેવી પરિસ્થિતિએ એ તકરાર પહોંચી ગયેલી જાય છે. એટલા ઉપરથી એમ લાગે છે કે તે વખતના જ્ઞાનયુગમાં જૈન સમાજમાં જે મહાન કોલાહલ ચાલ્યો હતો તેનાથી આપણા લેખકમહાત્મા તદ્દન અલિપ્ત રહી શકયા નહિ હોય લેખક તરીકે “કલ્પબુથિકા વાચતા તેઓને સંસ્કૃત ભાષા પર કાબુ ઘણે સુદર દેખાય છે લોકપ્રકાશ વાંચતાં તેઓનું આગમજ્ઞાન શું વિસ્તૃત દેખાય છે તેઓએ અનેક ગ્રોની શહાદત જે સહેલાઈથી ટાકી છે તે જોતાં તેમની યાદશક્તિ અસાધારણ હેવી જોઈએ એમ જાય છે. વ્યાકરણગ્રંથ aખીને તેઓએ આખી વ્યાકરણના અભ્યાસની પદ્ધતિમાં ઘણી સહેલાઈ કરી આપી છે અને તે રીતે તેઓએ મૌલિક્તા બનાવી છે શાતમુધારસ, વિનયવિલાસ અને આરાધનાનું સ્તવન બનાવીને પિતાની આત્મરસિકતા કેવી હતી એ બતાવ્યું છે. શાંતસુધાર ગ્રંથમાં વિદત્તા બતાવવાનો જરા પણ પ્રયાસ નથી એ ગ્રંથ આત્માને ઉદેશીને ભાવનામય બનાવવા માટે રચાયેલ છે એમ એ વાચતાં લાગ્યા વગર રહે તેમ નથી એટલા ઉપરથી પિતાનું સાધ્ય તેઓ સન્મુખ રાખી શક્તા હતા એમ જણાય છે. વૃદ્વવયે શ્રીપાળને રાસ ૯ખવા બેસી જય અને તેમાં શૃંગારના, વીરરસ્તા, અદભુતરસના અનેક પ્રસગે ચીતરી શકે છે તેમનું વિધ્ય બનાવે છે શ્રીપાળનો રાસ એ તેમની અધુરી રહેલી છેલ્લી કળાકૃતિ છે. એ સર્વરમય રાક બનાવવાનું કામ જે હાથ ધરે તે અસાધારણ બુભિવવાન્ હોવા સાથે માલવિદ્યાના પ્રખર અભ્યાસી હોવા જ જોઈએ એમ લાગ્યા વગર રહે તેમ નથી. સક્ષેપમાં કહીએ તો તેઓએ સ્પસૂત્રની ટીકા રચી ગ્રંથકર્તા તરીકે સ્થાન મેળવ્યું, પિનાનું ગાન બને તેટલું પ્રકાશ માં રેડ્યું, તેની પાછળ તેમણે લગભગ દશબાર વર્ષ ગાળ્યા અને ત્યારપછી વ્યાકરણુ–પ્રક્રિયા બનાવી તેઓ શાંતિના માર્ગ પર વળ્યા. ત્યારબાદ વ્યાખ્યાને આપ્યા શાંતભાવની નાની કળાકૃતિઓ કરી. પણ ધર્મચિતવનમાં બાકીના ત્રમય ગાળી જીવન વ્યતીત કર્યું સં. ૧૭૩૮માં દેના સંઘે શ્રીપાળને રાસ બનાવવા વિજ્ઞતિ કરી ત્યારે આ વિદ્વાન લેખકને વળી પાછાં મૂકી દીધેલ હથિયારો હાથ ધરવાને મય સાંપડ્યો અને તેમાં તેમણે ખૂબ રસથી ઝુકાવ્યું અને ચાલતી કૃતિએ કાળધર્મ પામ્યા. મને એમના જીવનમાં ફેરફાર થયા હોય તેવું દેખાય છે. સં ૧૯૯૫માં કલ્પસૂત્રની સુબોધિકા ટીકા રચી તે વખતે તેઓ સાગરપક્ષની વિરુદ્ધના હતા. જે શબ્દોમાં તેમણે
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy